સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સાહિત્ય લેખ


કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત 12

મારી સાથે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીમાં શિપ રિપેર વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત શ્રી સંજયભાઈ દૂધાત સુંદર લેખન કરે છે એવી ખબર થોડાક દિવસ પહેલા જ થઈ, તેમનો આ પેખ ‘ઘર એક તીર્થ’ સામયિકમાં પ્રસ્તુત થયેલો જે તેમણે પાઠવ્યો હતો. આજે એ જ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. પ્રમાણિકતાની અને કર્મના સિદ્ધાંતની વિશદ વાત તેઓ મૂકે છે. તેમની કલમને અનેક શુભકામનાઓ…


નવા વરસની શુભેચ્છાઓ.. કઈ રીતે પાઠવી? – કંદર્પ પટેલ 9

કંદર્પભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખનપ્રયાસ છે. બેસતા વરસના સપરમા દિવસે એકબીજાના ઘરે જઈ, સંબંધીઓ અને મિત્રોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની મજા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડીય પ્લેટફોર્મ લઈ ગયા છે. સૂરતના કંદર્પભાઈ પટેલ આ જ વિષય પર તેમની વાત લઈ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદમાં તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.


રૂપ રૂપનો અંબાર : કોથમીર ! – અરુણા જાડેજા 10

મીઠામરચાના સિંહાસને સદા બિરાજમાન કાંગરિયાળા અને ઝાલરિયાળા, હર હાઈનેસ બાશ્રી કોથમીરબા, રસોઈના રાજરાણીસાહેબા પધાર રહે હૈઁ ! બા મુલાયજા હોંશિયાર ! કોથમીરની આ સવારી નીકળી છે શ્રી અરુણાબેન જાડેજાની કલમે, ભલભલા રસોઈયા કે ભલભલી રસોઇયાણીનું પાંદડું જેના વગર હાલે નહીં તે આ રૂપ રૂપના અંબાર સમી કોથમીરનું પાંદડ઼ું. નાજુકાઈ અને નમણાશની વ્યાખ્યા જેના થકી ધન્યધન્ય થાય તે આ કોથમીર. લીલા રંગનું જીવતર સાર્થક થાય તે આ કોથમીર થકી. જેની હાજરી વગર કોઈ પણ મરીમસાલો બિચારો તે આ કોથમીર. કોથમીરના મહાત્મય વિશેનો આજનો આ લીલોછમ્મ કૂણો લેખ આપ સૌને સાદર.. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અરુણાબેન જાડેજાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.