Daily Archives: November 18, 2010


પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ

શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક ‘સાફલ્યટાણું’ માં વર્ણવે છે, ‘પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.’ પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.