Daily Archives: September 10, 2008


અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ

મિત્રો, આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી, આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે. ધન્યવાદ


श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ 6

ॐ श्रीपरमात्मने नमः ”’अथ पञ्चदशोऽध्यायः”’ श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥ શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે)  એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥ આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा । अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥ આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥ તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું […]