સાહિત્યકાર મુજબ સંગ્રહ... : માધવ રામાનુજ


કોઈના અનહદ સ્મરણમાં.. – માધવ રામાનુજ, સ્વર : હિમાલી વ્યાસ નાયક (Audiocast) 13

બાર સુંદર સ્વરબદ્ધ રચનાઓ ધરાવતા આલ્બમ ‘શબ્દ પેલે પાર’ માંથી આજે પ્રસ્તુત છે શ્રી માધવ રામાનુજ કૃત અને હિમાલી વ્યાસ નાયકના સ્વરમાં ગવાયેલું સુંદર ગીત, ‘કોઈના અનહદ સ્મરણમાં…’ આશા છે વાચકોને આ સાંભળવું ગમશે. આલ્બમ પાઠવવા અને અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર ગીત વહેંચવા બદલ શ્રી હિમાલી વ્યાસ નાયકનો ખૂબ ખૂબ આભાર.


માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ 5

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન … ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં સૈયરના દાવ નતા ઉતર્યા; સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર ફેર હજી એય ન’તા ઉતર્યા, આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન દાદાના આંગણામાં કોળેલા આંબાનું, કૂણેરું તોડ્યું રે પાન. આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં; કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને ભૂલી જવાના વેણ માગ્યાં, પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ