સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરીશ થાનકી


સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 17

લઘુકથાઓમાં પ્રસંગોને ગૂંથીને, પાત્રોને સાંકળીને તેને રસપ્રદ બનાવવાની હથોટી એક સિદ્ધહસ્ત લેખકનું લક્ષણ છે પરંતુ સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવી રીતે વાર્તામાં એક કે તેથી વધુ હકારાત્મક સંદેશ વણી શકવાની ક્ષમતા તેને ખરેખર યાદગાર બનાવે છે. પોરબંદરના શ્રી હરીશભાઈ થાનકી જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. પ્રસ્તુત લઘુકથા વાર્તાના મૂળ તત્વ સાથે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.


કુંઠા (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી 10

અક્ષરનાદ પર હરીશભાઈ થાનકીની આ પ્રથમ કૃતિ છે. પોરબંદરના શ્રી હરીશભાઈ જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. લાગણીઓને વાચા આપવાનું કામ એક લેખકનું છે, સમાજમાં ઘટતી ઘટનાઓ, પ્રસંગવિશેષ અથવા સંવેદનાને શબ્દોથી મઢવી અને વાચકના મનમાં તેની આબેહૂબ પ્રતિકૃતિ ઉભી કરવી એ કામ શ્રી હરીશભાઈની કલમે આબાદ કરી બતાવ્યું છે. સંવેદનાનો પડઘો, રેખાનો એ હૈયા બળાપો કે પછી એ પ્રસંગને લીધે થતી અસરનો આટલો સજ્જડ સ્પર્શ એક વાર્તા કરાવી શકે એ તો હરીશભાઈની પ્રસ્તુત રચના વાંચીએ ત્યારે જ અનુભવાય. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.