Daily Archives: January 2, 2019


જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય 6

હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.