Daily Archives: March 16, 2016


મમી – સ્નેહરશ્મિ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એવા વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી સર્જન આપ્યાં છે એવા આપણી ભાષાના અદના સર્જક શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની પ્રસ્તુત વાર્તા ‘મમી’ વર્ણન અને અવધારણાઓની દ્રષ્ટિએ અનોખી છે, ખૂબ પાતળો એવો વાર્તાનો ઘટનાક્રમ વાચકને એક અનોખા વિશ્વમાં લઈ જાય છે અને ભયનું લખલખું જન્માવી આપે છે. વર્ષો પહેલા તેમણે પોતાના સર્જનમાં વાપરેલો ટેક્સીડર્મીનો સંદર્ભ પણ અનોખો છે.