Daily Archives: August 11, 2010


જુમો ભિસ્તી – ધૂમકેતુ 50

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫)આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ તણખા ભાગ – માંથી લેવામાં આવી છે. જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, મને ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. આ સુંદર રચના ગોપાલભાઈ પારેખની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.