Daily Archives: July 12, 2010


સંસ્કૃત સુભાષિતો (ગુજરાતી ભાષાંતર સાથે) – સંકલિત 6

આજે પ્રસ્તુત છે સંસ્કૃત ભાષામાંથી કેટલાક સુભાષિત અને તેની ગુજરાતી સમજણ. સુભાષિત એટલે સુષ્ઠ ભાષિતમ્ – સારી રીતે કહેવાયેલું એક એક ખંડને કવિતા નામથી પણ ઓળખી શકીએ. સુભાષિતને મુક્તક, સૂક્તિ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ સુભાષિતો સુચારુ અભિવ્યક્તિની દ્રષ્ટિએ મોતી જેવા હોય છે એટલે તેને મુક્તક પણ કહેવાય છે. સંસ્કૃત સુભાષિતોની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ ભાષા છે પરંતુ તેનો વૈભવ વીસરાઈ રહ્યો છે. સુભાષિતો જીવનના સત્યોને બે કે ચાર પંક્તિઓમાં વણી લેતાં હોય છે. આ સત્યો જીવનનાં અર્ધસત્યો પણ હોઈ શકે, વ્યવહારૂ વાત કે સમજણ પણ હોઈ શકે, યશોગાન પણ હોઈ શકે અને વિચારનો પડઘો પણ હોઈ શકે. સુભાષિતોની વિનિયોગ્યતા સાર્વત્રિક હોય છે.