Daily Archives: May 24, 2008


એપ્રાઈઝલ – ગીતા સાર 6

હે પાર્થ (કર્મચારી), અપ્રાઈઝલ / નથી થયુ, ખરાબ થયુ ઈન્ક્રીમેન્ટ પણ નથી આવ્યુ  ખરાબ થયુ ઇન્સેન્ટીવ નથી મળ્યુ, એ પણ ખરાબ થઈ રહ્યુ છે. પગાર કપાઈ રહ્યો છે, ખરાબ થઈ રહ્યું છે. તું પહેલાના ઈન્સેન્ટીવ મળવાની રાહ ના જો તું આવનારા ઈન્સેન્ટીવની ચિંતા પણ ના કર બસ અત્યારના પગારમાં ખુશ રહે, તારા પાકીટ માં થી શું ગયુ કે રડે છે? જે આવ્યુ તે અહીં થી જ આવ્યુ હતું. જ્યારે તું નહોતો ત્યારે પણ આ કંપની ચાલતી હતી તું છે તોય ચાલે છે, તું જતો રહેશે તોય એ આમ જ ચાલશે… તું અહીં શું લઈને આવ્યો હતો કે તને ગુમાવવાનું દુખ છે? જે કાંઈ મળ્યુ એ અહીં જ મળ્યુ ડીગ્રી લઈને આવ્યો હતો, અનુભવ લઈને જઈશ. જે કોમ્પ્યુટર આજે તારૂ છે ગઈકાલે કોઈક બીજાનું હતુ, આવતી કાલે કોઈક બીજાનું હશે તું એને પોતાનું સમજીને આસક્ત થાય છે, ખુશ થાય છે આ જ સઘળી પરેશાનીઓનું મૂળ કારણ છે તું કેમ વ્યર્થ ચિંતા કરે છે…તને કોણ કાઢી શકે છે? તું નાહકનો જ ડરે છે. પરિવર્તન એ ઈન્ડસ્ટ્રીનો નિયમ છે અને આ જ તો તને “પરિવર્તન” નહીં આપવાની ચાલ છે. અત્યારે તું બેસ્ટ પરફોર્મર છે, કામઢો નંબર વન છે પણ જો ઈન્ક્રીમેન્ટ માંગીશ તો…. તું વર્સ્ટ પરફોર્મર છે, નકામો નંબર વન છે… ટારગેટ કદી મેળવી શક્તો નથી… એપ્રાઈઝલ, ઈન્સેન્ટીવ, પ્રમોશન એ બધુંય મનમાં થી કાઢી નાખ વિચારો માં થી ય મીટાવી દે… પછી તું કંપનીનો છે અને કંપની તારી છે, ન આ ઇન્ક્રીમેન્ટ વગેરે મોહ તારા માટે છે, કે ના તું આ બધા માટે છે.. બસ અત્યારે તારી નોકરી સુરક્ષીત છે તો તું શું […]