સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ભરત કોટડીયા


આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા 13

ગર્ભનું જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા જેવા જઘન્ય પાપ વિશે કાંઈ પણ કહેવા કરતા શ્રી ભરતભાઈ કોટડીયાની આ કૃતિ વાચકો સમક્ષ મૂકવી ઉચિત ગણું છું. આ કૃત્યોની સામે ઉભા થવાની જાગૃતિ વધુ ને વધુ ફેલાય એ જરૂરી છે. કદાચ જેની ગર્ભમાં હત્યા થઈ છે એ દીકરી આમ જ અનુભવતી હશે.. નહીં ! કૃતિ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ ભરતભાઇનો ખૂબ ખૂબ આભાર.


ક્રાંતિ – ભરત કોટડિયા 8

ભરતભાઈ કોટડીયાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. સમાજજીવનને અને સંસ્કૃતિને નિસબત ધરાવતા વિષયવસ્તુ સાથેની આ વાર્તા ભૃણપરીક્ષણ અને સ્ત્રી ભૃણહત્યા જેવા વિષયને સુંદર રીતે એક દોરીમાં પરોવીને વાર્તાના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરી છે. અહીં તેમણે સૂચવેલી ક્રાંતિ કોઈ વિશાળ સામાજીક ક્રાંતિ નથી પરંતુ દરેકને મનમાં અને વ્યવહારમાં સમાવવા જેવી માનસીક ક્રાંતિ છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કર વાની તાક આપવા બદલ શ્રી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેકો શુભકામનાઓ. અનિવાર્ય સંજોગોને કારણે તેમની વાર્તા ખૂબ મોડી પ્રસ્તુત થઈ રહી છે એ બદલ ક્ષમા.