Daily Archives: October 3, 2009


જીવન થોડું રહ્યું… (ભજન)

જીવનને અંતે મૃત્યુ એ નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. આપણા સાહિત્યમાં એવી ઘણી રચનાઓ છે જે જીવનની ક્ષણભંગુરતા વિશે સાનમાં સમજાવવાનો યત્ન કરે છે. અનિશ્ચિત્ત જીવનનો અંત ગમે ત્યારે આવી શકે તેવી વાત સમજાવતા પ્રસ્તુત ભજનમાં પ્રભુભક્તિ અને આત્માના કલ્યાણના માર્ગે ચાલવાનું અને દુન્યવી લોભ લાલસાઓ ત્યજવાનું ભજનકાર ખૂબ સુંદર અને સરળ પણ ધારદાર રીતે કહી જાય છે.