Daily Archives: September 30, 2015


આદર્શ વક્તાની ઓળખ.. – ડૉ. સંતોષ દેવકર 3

વકતા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વકતા કન્વર્ટ ઈનટુ બકતા) પ્રથમ તો વકતા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વકતાઓને આમંત્રવા. માનો કે વકતા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે? તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વકતાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વકતાઓ ફજેતી પામતા હોય છે.