Daily Archives: April 11, 2015


પાંચ કાવ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 4

બદલાતા સમય અને સંજોગોની સાથે સર્જનમાં સંકળાતી વાતો પણ રંગાય છે. મિતુલભાઈની પાંચ રચનાઓ પૈકીની પહેલી ‘વ્યથા’ આવી જ વાત લાવી છે, જે સત્યઘટના આસપાસની છે. નાયક તેની પરણેતર ને મળવા માટે તરસી રહ્યો હતો અને પેલી તેની વહુની વડીલોની આમન્યા અને ગરીબ ઘરમાં સુવાની સંકડાશથી તે વ્યથિત થઇ ગયો હતો. જયારે લગ્નના બે ચાર દિવસ પછી તેના વૃદ્ધ બાપને મળવા અને હરખ કરવા આવતા ગામના વયોવૃદ્ધો તેના બાપને કહેતા કે “આતા હવે તો દાદા બનશે પશી થોડા આપડી વાટ જોઈ ને બેહી રેવાના, એય ને આવનારા કિકલા હાર્યે ટેમ કાઢી નાખશે…” ત્યારે નાયક છોભીલું હસી ને આઘોપાછો થઇ જતો. આવા જ ભાવો સાથે વણાયેલી તેમની પાંચ કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત છે. મિતુલભાઈનો આ રચનાઓ બદલ આભાર અને શુભકામનાઓ.