Daily Archives: April 9, 2015


એકાત્મ માનવદર્શન અને વ્યવસ્થાપન – નિરુપમ છાયા 3

આજકાલ management – વ્યવસ્થાપન – અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અને એની કાર્યપદ્ધતિ તથા પ્રભાવ વધારવા માટે ચિંતન મનન થઇ રહ્યા છે. એકાત્મ માનવદર્શનનો અર્થ છે માનવજીવન તથા સંપૂર્ણ પ્રકૃતિના એકાત્મ સંબંધોનું દર્શન. મનુષ્ય વૈવિધ્યસભર છે. પરંતુ આ વૈવિધ્યમાં આંતરિક એકતાનું દર્શન થાય છે. આપણા ઋષિમુનિઓએ મૂળભૂત અનુભૂતિજન્ય સૂત્રો દ્વારા ચિંતન પ્રગટ કર્યું છે એ ભારતીય જીવન દૃષ્ટિ છે. અને એની જ કાલ સુસંસંગત પુનઃરચના આ દર્શન સ્વરૂપે મૂકી છે. ભારતીય જીવનદૃષ્ટિ એમ કહે છે કે સમગ્ર અસ્તિત્વનો આ અંશ એક જ ચૈતન્યમાંથી પ્રગટે છે. એ રીતે વૈવિધ્યસભર વિશ્વ અને તેના વ્યવહારના બધા જ ઘટકોમાં મૂલતઃ એકાત્મતા જ છે.