Daily Archives: December 25, 2012


રવિસાહેબના ત્રણ ભજનો… (Audio / Video) 4

સંતશ્રી ભાણસાહેબ સમાધિસ્થાન, કમિજલા (તા. વિરમગામ) ના મહંત શ્રી જાનકીદાસજીબાપુ સાથે આવેલા કેશવપુરા ગામના સેનવા સમાજના દેશી ભજનિકોમાં ચાર સગા ભાઈઓ છે. શ્રી મોરારીબાપુ દ્વારા સંતવાણી – સંતસાહિત્યના ગાયકો, વાદકો અને વિદ્વાનોને સન્માનવા માટે યોજાતા સંતવાણી એવોર્ડ કાર્યક્રમ પછી સંતવાણી કાર્યક્રમ દરમ્યાન આ ભાઈઓ, શ્રી જેઠાભાઈ મકવાણા, શ્રી વીઠાભાઈ મકવાણા અને શ્રી કાવાભાઈ મકવાણાએ સંતવાણીની સરવાણી રેલાવી હતી તેમાંના ત્રણ ભજનો આજે અહીં મૂક્યા છે. રવિસાહેબના આ ભજનો અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુનો ખૂબ ખૂબ આભાર અને વંદન.