Daily Archives: January 17, 2012


નમું આજ આદિત્ય ને હાથ જોડી (સૂર્યસ્તુતિ) – ‘વસંત’ 5

વેદ-પુરાણકાળથી આપણા ભક્તિપ્રકારોમાં સૂર્યોપાસનાની ખૂબ પ્રચલિત પ્રણાલિકા રહી છે. સૂર્ય શક્તિ, ઉર્જા અને પ્રકાશનો ભંડાર છે. અને આપણા વેદોમાં પ્રકૃતિના બધા તત્વો – હવા, પાણી, અગ્નિ તથા સૂર્ય વગેરેને દેવો તરીકે ગણીને તેમના શ્રેષ્ઠ તત્વો – ઉર્જા પ્રાપ્ત કરવા માટેના માર્ગો બતાવ્યા છે. આ ઉપાસનાની સાથે સાથે સૂર્યમાંથી મળતી ઉર્જાને પ્રાપ્ત કરવાની ભાવના છે. સૂર્યનમસ્કારને વૈજ્ઞાનિક માન્યતા મળી છે ત્યારે આવા સ્તોત્ર એ અખૂટ ઉર્જાભંડાર તરફની લાગણી વ્યક્ત કરવાનો અનેરો માર્ગ છે. આપણા વડીલોના મુખેથી આપણે એક અથવા બીજા અવસરે પ્રસ્તુત રચનાઓ સાંભળી જ છે. અક્ષરનાદના આવા જ એક વાચકમિત્ર શ્રી નલિનિબેન દેસાઈએ, તેમના માતુશ્રી પ્રસ્તુત સ્તુતિ ભાવપૂર્ણ સ્વરે ગાતા એ યાદ કરીને મકરસંક્રાંતિના દિવસે અક્ષરનાદને તેમની ડાયરીમાંથી આ સૂર્યસ્તુતિ પાઠવી છે. તેમનો આભાર વ્યક્ત કરીને આજે આ રચના મૂકી છે.