Daily Archives: September 30, 2010


એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા 2

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!