Daily Archives: August 24, 2010


સ્મૃતિની સફરે… રક્ષાબંધન – ડો પ્રવીણ સેદાની. 2

રક્ષાબંધન એ એક સંબંધના અનેરા સ્નેહાળ બંધનની ઉજવણીનો, એ જવાબદારીના વહનની સહજ સ્વીકૃતિનો અને સૌથી વધુ તો ભાઈ બહેનના એક બીજા પ્રત્યેના સ્નેહનો ઉત્સવ છે. ડો. પ્રવીણ સેદાની દ્વારા અહીં પ્રસ્તુત કરાયેલી પ્રસંગકથા આ જ દિવસના મહત્વની એક અનેરી દાસ્તાન કહી જાય છે. દરેક તહેવારોની સાથે કેટલીક યાદો, સ્મરણો જોડાયેલા હોય જ છે, રક્ષાબંધન વિશેના એવા જ સ્મરણોનું ભાથું લઈને અક્ષરનાદના વાચકમિત્રો સાથે વહેંચનારા ડો. પ્રવીણ સેદાનીની લાગણીઓ આપણને સૌને સ્પર્શી જશે એ ચોક્કસ. યાદોની આવી સુંદર સફરે આપણને લઈ જવા બદલ અને આ સ્નેહ ગાથા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈ બહેનના સ્નેહને વંદન સાથે સર્વે વાંચકમિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ.