Daily Archives: May 14, 2010


અમે અમારી કબર….. – દક્ષા દેસાઈ (અછાંદસ) 3

માણસ જીવનની બધી તૈયારીઓ કરે છે, જીવવા માટેની બધી જ સુખ સગવડોની, સાધનોની, ઐશ અને આરામની તેઓ વ્યવસ્થા કરી રાખે છે પરંતુ જીવન પછીના સફરની તે કોઈ તૈયારી કરતો નથી. પ્રસ્તુત અછાંદસ ક્યાંક આ વાતની જ મજાક ઉડાવે છે. મૃત્યુ પછીની તૈયારીઓ એટલે સાધન સગવડોની તૈયારી કરવાની વાત કરીને કવયિત્રીએ અહીઁ આપણી સમજની નિષ્ફળતા દર્શાવી છે. માણસ પોતાની ભૌતિક સગવડોથી જીવન પછીની સફર પણ તોળવાનો યત્ન કરે છે, જે વ્યર્થ છે એમ સમજાવવાનો અહીં પ્રયત્ન છે.