Daily Archives: April 10, 2010


દુ:ખદ સમાચાર

‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. લિ. મૃગેશ શાહ વડોદરા.


પરમ સખા મત્યુ – કાકા કાલેલકર (પુસ્તક ડાઉનલોડ) 4

કાકાસાહેબ કાલેલકરે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ” આત્મા શું છે? પરમાત્મા શું છે? જીવન શું છે? ધર્મ શું છે? સમાજ શું છે? નાગરિકોનું કર્તવ્ય શું છે? એવા એવા સવાલ મનુષ્યજીવન માટે જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના સવાલ છે: મરણ શું છે? અને એના પ્રત્યે આપણી વૃત્તિ કેવી રહેવી જોઇએ? આથી મનનશીલ મનુષ્યો એ વિશે થોડું વધારે ચિંતન મનન કરવું જોઇએ. આ પ્રકારનું શ્રવણ, મનન અને ચિંતન કરીને હું જે કાંઇ પામ્યો છું તેનો નાનકડો સંગ્રહ કરી, એ તમામનો સાર મેં આ પુસ્તકના લેખોમાં આપ્યો છે.” હીરા વિશે જેમ વર્ણન કરવાની જરૂર ન હોય તેમ આ પુસ્તક વિશે વધુ ન લખતાં તેમાંથી લીધેલા કેટલાક ચિંતન વિચારો અને અંતે પુસ્તક ડાઉનલોડની લિન્ક આપી છે.