Daily Archives: April 7, 2010


વહુનું વાસીદું – મકરન્દ દવે 7

એક વહુના મનની વ્યથા, એક પરણીત પરતંત્ર સ્ત્રીના હદયનો વલોપાત કવિએ ઉપરોકત રચનામાં સુપેરે આલેખ્યો છે. ઘરનાં બધાને જ્યારે મનગમતા ભોજન કરવા મળે છે ત્યારે વહુને ભાગે સુકો રોટલો અને ખાટી છાશ આવે છે. આયુષ્ય જાણે ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ જતું લાગે છે અને તેને માનું વાત્સલ્ય યાદ આવ છે. પ્રભુએ આવો અવતાર આપ્યો તે બદલ કોને પુછવું એવી વ્યથા પણ તે અનુભવે છે. આ બધી વાત તે પોતાના ભાઈને સંબોધીને કહે છે. શ્રી મકરન્દ દવેની આ સુંદર કવિતા દરેક પરતંત્ર પરણીત સ્ત્રીના મનની વાત બની રહે છે.