Daily Archives: June 4, 2008


ગુર્જર લડત – આરક્ષણ આપો છો કે પછી…?

આજકાલ રાજસ્થાનનો ગુર્જર સમાજ છવાયેલો છે, …..કોઈ પણ સભ્ય સમાજમાં અવિકસિત લોકોને સમાન તક મળે અને તે સમાજના અન્ય પ્રગતિશીલ લોકો સાથે સુમેળ સાધીને રહી શકે એ જ દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજના લોકોનું ધ્યેય હોવુ ઘટે. પણ આરક્ષણ માટેની આ લડત એ ખરેખર સાચા રસ્તે છે? પછાત વર્ગ માં ગણના માટે તેમની આ લડત તદન બ્લેકમેઈલીંગ કરનારી અને અસ્થાને છે…..હોઈ શકે કે ભારતમાં વર્ણ વ્યવસ્થાને લીધે અમુક લોકો વિકાસ અને સમાજની મુખ્ય ધારા થી દૂર રહી ગયા છે અને તેમને આગળ આવવા માટે તક મળે એ આપણા સૌની ઈચ્છા હોય, પણ શું અત્યારે રાજસ્થાન જે વાતની સાક્ષી પૂરાવી રહ્યું છે એ લડત ખરેખર સાથ આપવા લાયક છે? કોઈપણ સભ્ય સમાજ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લઈને અમારી ફલાણી માંગ પૂરી ના કરો ત્યાં સુધી ફલાણા ફલાણા કામ અને શહેર બંધ રહેશે એ રીત શું યોગ્ય છે? વળી ગુર્જર સમાજના છ થી સાત સભ્યો વિધાન સભામાં છે જ્યારે તેમને આરક્ષણ ન આપવાની હિમાયત કરનારા મીણા સમુદાયના લગભગ એકવીસ સભ્યો વિધાનસભા માં છે એટલે ગુર્જરોની માંગ સ્વીકારવી એ વસુંધરા રાજે સરકાર માટે રાજકીય આપઘાત છે….જેથી તે કોઈ પણ પગલા લેતા ખચકાય છે. ગુર્જર સમાજ ફક્ત રાજસ્થાન પૂરતો સિમીત નથી અને અન્ય ઘણા રાજ્યો માં તેમને આરક્ષણ મળેલુ છે, તેઓ એસ ટી દરજ્જા માટે આ લડત આપી રહ્યા છે એ ફક્ત ભાજપ કે વસુંધરા રાજે માટે જ નહીં પણ ભારતના ભવિષ્ય માટે પણ લાલ બત્તી છે, કાલે સવારે બીજી દસ આવી જાતીઓ ઉભી થશે અને કહેશે કે અમેય પછાત છીએ, અમને ય આરક્ષણ આપો…..તો આપણી સરકાર કે સમાજ પાસે […]