સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લીના ત્રિવેદી


ચક્કર ચક્કર ફરતાં રહ્યાં – લીના ત્રિવેદી 3

સમાજના બદલાઈ રહેલા પરિમાણોની, માપપટ્ટીઓના ભેદભાવની અને પરિવર્તનના પરીણામોની વાત ખૂબ ચોટદાર અને માર્મિક રીતે કવિયત્રી પ્રસ્તુત અછાંદસમાં રજૂ કરે છે. અહિં તેમણે ઘણાં વિષયોને સ્પર્શ્યા છે, અબોર્શનથી સ્ત્રી ભ્રૂણહત્યા, પહેલું સુખ તે જાતે નર્યા થી એચ આઈ વી, આદર્શોથી લઈને ભ્રષ્ટાચાર, ગાંધીજીથી લઈને આગરા શિખર સંમેલન સુધી અને અંતે ગુજરાતી ભાષાથી લઈ અંગ્રેજી સુધી એમ વિવિધ વિષયોને આવરી લઈને પરિવર્તનનો પવન કેવો ફૂંકાયો છે તેનું જલદ આલેખન તેમના અછાંદસમાંથી ઉપસી આવે છે.