Daily Archives: August 17, 2018


‘પગથાર’ને વિસામે.. – સંકલિત

‘અક્ષરપર્વ-૨’ ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ ‘ગઝલ તો હું લખું’ નો ચોથો ગઝલસંગ્રહ ‘પગથાર’ ભેટ આપ્યો. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા ‘લઈને અગિયારમી દિશા’ સંગ્રહની વાત પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા ‘મંગલપંથી’ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.