Daily Archives: January 18, 2016


અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા 16

હું જ્યાં નોકરી કરું છું ત્યાં, પીપાવાવ બંદરથી ખૂબ જ નજીક આવેલા જાફરાબાદ બંદરની એક બોટની આ કરુણાંતિકા છે. જાફરાબાદના વિષ્ણુભાઈ ભાલીયા વ્યવસાયે મૂળે માછીમાર અને સાથે વ્યાપાર પણ કરતા વિષ્ણુભાઈનો લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, જેને સંપાદક તરીકે મેં મઠારવાનો યત્ન માત્ર કર્યો છે. અષ્ટવિનાયક બોટની આ વાત અમને એટલે પણ યાદ છે કે એ શોકસમયના અમે પણ સાક્ષી છીએ, એ વખતે દરિયામાં હું ડ્રેજીંગનું કામ સંભાળતો અને એટલે મારી સાથે કામ કરતા ખલાસીઓ અને કેપ્ટન વગેરે પાસેથી આ ઘટના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આટલી વિગતે વાત કરીને વિષ્ણુભાઈએ આ દુર્ઘટનાને એક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. લેખનના પ્રથમ પ્રયત્ન અને અક્ષરનાદ પર તેમની પ્રથમ રચના બદલ તેમને શુભકામનાઓ.