Daily Archives: June 1, 2011


શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.