Daily Archives: March 1, 2011


બે કાવ્યરચનાઓ – જગદીશ જોશી 8

શ્રી જગદીશ જોષીની કવિતાને શ્રી સુરેશ દલાલ ‘કાળા ગુલમ્હોરની કવિતા’ કહે છે. તેમની કવિતામાં કવિતા વિશેના કાવ્યો છે, રાજકારણ અને સામાજિક અભિજ્ઞતા છે, કટાક્ષ છે, નગરજીવનની વ્યથા છે, જીવનનો થાક અને કંટાળો છે, મૃત્યુની ઝંખનાના કાવ્યો છે. એમની કવિતામાં પરંપરા છે, પણ એ કવિતા પરંપરાગત નથી. એ પ્રયોગશીલ છે, પણ અખતરાબાજ નથી. વેદના અને તેની સચ્ચાઈ છે ચિત્રાત્મકતા છે, અભિવ્યક્તિની તાજગી છે. આવા જ આપણી ભાષાની યાદગાર રચનાઓના કર્તા એવા શ્રી જગદીશ જોષીની બે રચનાઓ આજે પ્રસ્તુત છે.