Daily Archives: February 2, 2008


સમજણ વિના રે સુખ નહીં – અખો 1

સમજણ વિના રે સુખ નહીં જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે થાય.. સમજણ.. જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ; પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ.. પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય; સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ.. દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે, એને લઈ રૂમાં જો અલપાય; એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે, રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ.. જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે, એ તો વાણીરહિત છે રે વિચાર; જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે, કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..  — અખો