રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 5
રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.
જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.