પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ) 13
માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..
શનિવાર તા. ૨૩-૨૪ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે ધૈવતભાઈ ત્રિવેદીની નવલકથા ‘૬૪ સમરહિલ’માંથી ઉદધૃત જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી..
અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’