પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ભાવિન મીરાણી 18
અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદ તરફથી હવે કેટલાક વિશેષ પ્રયત્નો પણ કરવામાં આવશે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. ભાવિનભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે અને છતાંય તેમની પાંચેય માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. ‘એઈડ્સ’, ‘ચૂંટણી’, ‘પ્રકૃતિ’, ‘માણસાઈ’ જેવા વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ અને અક્ષરનાદમાં તેમનું સ્વાગત.