ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે 8
હર્ષદભાઈ દવેના પુસ્તક ‘પલ દો પલ’માંથી સાભાર લેવામાં આવેલ પ્રસ્તુત ત્રણ મોતીઓ વિશેષ બોધપ્રદ પ્રસંગો છે. પ્રથમ ઘટનાક્રમ પ્રેમ અને તેની અભિવ્યક્તિના ખયાલોને સુંદર રીતે વર્ણવે છે અને તેની જરૂરત વિશે સહજતાથી ઘણું બધું કહી જાય છે. એક અનાથ બાળકીના જીવન વિશે કહેતી કહેતી બીજી વાત ભાગ્ય અને તકના ચક્રને વર્ણવે છે તો ત્રીજો પ્રસંગ ભાષાકીય દ્રષ્ટિએ રૂમાલ શબ્દના ઉંડાણમાં લઈ જાય છે. ત્રણેય પ્રસંગો અહીં પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.