Daily Archives: July 7, 2011


આપજે … – અશ્વિન ચંદારાણા 9

ઉદ્દેશ સામયિકના ફેબ્રુઆરી ૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલી શ્રી અશ્વિનભાઈ ચંદારાણાની પ્રસ્તુત ગઝલ ‘આપજે…’ ઈશ્વર પાસેની માંગણીનો એક નવો આયામ ઉભો કરે છે. ગઝલકાર પ્રભુ પાસે સુખ સમૃદ્ધિ નથી માંગતા, પણ ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ રહી શકવાની ક્ષમતા પ્રાર્થે છે. તો ચોથા અને પાંચમાં શેરમાં તેઓ યુવાવસ્થા તરફ પ્રયાણ કરી રહેલી પેઢી માટે બાળપણ પૂર્ણ શક્યતાઓએ ખીલી શકે તેવું યોગ્ય જ્ઞાન આપતી નિશાળો અને ‘વળતો મલાજો’ માંગે છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર.