Daily Archives: January 16, 2011


માનવીનું ઘડતર (ક્રાંતિ – નવલ) – નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી, અનુ. શાંતા ગાંધી 1

ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’ ઓગણીસમા શતકના સાતમા દાયકામાં લખાયેલી મહાનવલ છે, રોમાં રોલાની મહાનવલ ‘જ્હોન ક્રિસ્ટોફર’ વીસમાં શતકના ઉપકાળનો પરિપાક છે, તો નિકોલાઇ ઓસ્ત્રોવસ્કીનું ‘માનવીનું ઘડતર’ (અંગ્રેજીમાં ‘હાઉ દ સ્ટીલ વોઝ ટેમ્પર્ડ’), નવા યુગના નવા પરિબળોનો હ્રદયધબકાર છે. પહેલી બે કૃતિઓમાં અજંપો છે તો ત્રીજીમાં છે નવજીવનની અપરિહાર્ય શ્રદ્ધા. નિકોલાઈ ઓસ્ત્રોવસ્કી ઝારશાહીના અંધકારયુગમાં જનમ્યા હતાં. તેમને અગિયાર વર્ષની વયે આજીવિકા મેળવવા શ્રમજીવનનો પ્રારંભ કરવો પડ્યો હતો. મેક્સીમ ગોર્કીને આદર્શ તરીકે રાખીને એકવીસ વર્ષની વયે તેમણે લખવાનું આરંભ્યું, છવ્વીસ વર્ષે તે અપંગ થયા. એ પછીના કાળમાં જ તેમણે તેમની કીર્તિના કળશરૂપ આ નવલકથા લખી. તેમને એ કાળનું સોવિયેત સંઘનૂં સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ લેનિન’ અપાયું. બત્રીસ વર્ષની વયે, ૧૯૩૬માં તેમનું અવસાન થયું. તેમની આ કાંતિગાથાનો શરૂઆતનો એક નાનકડો ભાગ અત્રે પ્રસ્તુત છે.