Daily Archives: August 7, 2010


ચાલો ગઝલ શીખીએ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ (લઘુ ગુરુ અક્ષરોની સમજ) 14

વાણી શબ્દોની બનેલી છે અને શબ્દો અક્ષરોના બનેલા છે. અક્ષરોમાં સ્વરો તેમજ સ્વરના ટેકાથી ઉચ્ચારાતા વ્યંજનોનો સમાવેશ થાય છે. અક્ષરો ઉચ્ચારના એકમ છે. પદ્યના લયબદ્ધ પઠન અને તાલ સહિતના ગાયન માટે અક્ષરોને લઘુ અને ગુરુ એમ બે માપમાં વહેંચી શકાય. ભારતીય પિંગળના અક્ષરમેળ અને માત્રામેળ, બંને પ્રકારના છંદોમાં લઘુ અને ગુરુની વિભાવના પાયાના સ્થાને છે. લઘુ અને ગુરુ અક્ષરના ઉચ્ચાર સમયનું પ્રમાણ ગઝલની પરિભાષામાં વજન તરીકે ઓળખાય છે. તેથી ગુરુ અક્ષરનું વજન લઘુ અક્ષરના વજનથી બમણું છે તેમ કહેવાય છે. આજે લઘુ ગુરુ અક્ષરોની વિભાવનાની અહીં વિગતે ચર્ચા કરીશું તથા નિયમોમાંથી લેવામાં આવતા અપવાદો વિશે નોંધવાનો પ્રયત્ન પણ કરીશું.