Daily Archives: September 8, 2014


આજ મેં કૈલાસ દીઠો ! – સ્વામી પ્રણવતીર્થજી 5

પ્રવાસવર્ણનો વાંચવા અને લખવા વિશે મને નાનપણથી લાલચ રહી છે, ન જોયેલી સૃષ્ટી અને એક યાત્રીની દ્રષ્ટીનો સુભગ સંયોગ વાચકને જાણે એ અજાણ્યા પ્રદેશની સર્વાંગસંપૂર્ણ વિગત આપે છે કેટલાક પ્રવાસનિબંધો કાળથી પર હોય છે. ‘કૈલાસ’ (૧૯૬૨) માંથી સ્વામી પ્રણવતીર્થજી દ્વારા લખાયેલ આજનો આ પ્રવાસનિબંધ ‘આજ મેં કૈલાસ દીઠો !’ એક અનોખી અનુભૂતિ લઈને આવે છે. અક્ષરનાદનું તો મૂળ જ છે અંતરની અનુભૂતિનો ધ્વનિ – અને કૈલાસ માનસરોવર જેવા સ્થળોની વાત અ-ક્ષર જ હોવાની. સ્વામીજીનો અનુભવ એક સાચા તીર્થયાત્રીનો અનુભવ છે, કષ્ટોને પાર જ દર્શન છે એવી વાત સાથે તેમણે કૈલાસના દર્શન કર્યાં ત્યારની અનુભૂતિની વાત વાચકને જાણે તેમની કલમે કૈલાસદર્શન કરાવે છે.