Daily Archives: October 25, 2013


ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત – યોગેશ વૈદ્ય 6

ગુજરાતી પદ્યને પ્રસ્તુત કરતા ઈ-સામયિક નિસ્યંદનના તંત્રી-સંપાદક શ્રી યોગેશભાઈ વૈદ્ય તેમના ઓક્ટોબર ૨૦૧૩ના સંપાદકીયમાં ગુજરાતી કવિતાની સામાજીક નિસ્બત વિશે આછેરો વિચાર વહેતો મૂકે છે. તેઓ આપણી કાવ્યધરોહરના વિવિધ તબક્કાઓ અને તેનો વંશવિસ્તાર પણ પ્રસ્તુત કરે છે અને સૌને આપણી કવિતાઓની મૂળભૂત નિસ્બત વિશે વિચારતા કરે છે. પ્રસ્તુત વિચારવલોણું અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી યોગેશભાઈનો આભાર તથા શુભકામનાઓ.