Yearly Archives: 2009


વિદ્યા સહાયકોને – તરૂણભાઈ મહેતા 9

( વિદ્યા સહાયકોને ) વટ જાય છે પડી, – ટૂંકા પગાર માં ! નોકરી એવી મળી – ટૂંકા પગાર માં ! આજે નહીં તો કાલે જશે નક્કી વધી એ જ આશા ફળી  – ટુંકા પગાર માં ! કરીયાણા કરતા કટલરીનું બીલ ગ્યું વધી એવી જ શ્રીમતી મળી, – ટૂંકા પગાર માં ! એક સાંધો ત્યાં તેર તૂટી જાય છે, આફત એવી પડી, – ટૂંકા પગાર માં ! સરકાર અમને સાચવે એટલું ઘણું, બીજાની અમને શી પડી, – ટુંકા પગાર માં !  – તરૂણભાઈ મહેતા


વિવિધ પ્રકારનાં સૂપ બનાવો – પ્રતિભા અધ્યારૂ 2

હોટ એન્ડ સોઅર સૂપ સામગ્રીઃ ૧/૨ કપ કોબી, ૧/૨ કપ ગાજર, ૧/૨ કપ ફેંચ બીન્સ, ૧/૨ કપ ઘોલર મરચાં, ૧/૨ કપ સોયા બીન્સ અથવા ૧ કપ પલાળેલા વટાણા, ૪ થી ૬ કપ પાણી, ૧/૪ કપ વિનેગાર, ૨ ચમચી તેલ ,૧ ચમચી કાળા મરી, ૧ ચમચી સોયાસોસ, ૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, પ્રમાણસર મીઠું. રીતઃ શાકને બારીક સમારી લેવું , ફ્રાયપેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને પછી ગરમ થાય એટલે સમારેલું શાક નાખી જલદી જલદી સાંતળવું. સાંતળાઇ જાય એટલે તેમાં પાણી અને પ્રમાણસર મીઠું નાખવુ એક ઉભરો આવે ત્યારબાદ ઘીમાતાપે બે મિનિટ ચડવા દેવું. કોર્ન સ્ટાર્ચ ઠંડા પાણીમાં હલાવી સૂપની અંદર નાખવું. કોર્ન સ્ટાર્ચ નાખ્યા બાદ સૂપને હજી એક વાર ઉકળવા દેવું. ગરમ ગરમ સૂપને પીરસવું. સ્પિનેચ  સૂપ   સામગ્રીઃ ૨૦૦ ગ્રામ પાલખની ભાજી, ૧૦૦ ગ્રામ બટેટા, ૧ ચમચો માખણ, ૧ ચમચી મેંદો, ૧ કપ દૂઘ, પ્રમાણસર મીઠું, મરીનો ભૂકો, જીરૂનો પાવડર. રીતઃ પાલખની ભાજીને ઝીણી સમારી ઘોઈ એક તપેલીમાં પાણી ઉકાળી તેમાં નાખવી. બટેટાને છોલી, કટકા કરી બફાય એટલે ઉતારી ચમચાથી ઘૂંટી એકરસ કરવું. પછી ગરણીથી ગાળી લેવું. એક તપેલીમાં માખણ ગરમ કરી, મેંદો નાખી , બરાબર શેકાય એટલે દૂઘ નાખવું. થોડી વાર હલાવી તેમાં સૂપનું પાણી, મીઠું, જીરૂનો પાવડર, મરીનો ભૂકો નાખવો. સર્વ કરતી વખતે થોડું ખમણેલું ચીઝ ભભરાવવું.  રશિયન સૂપ સામગ્રીઃ ૧ ખમણેલું બીટ, ૫૦૦ ગ્રામ વટાણા, ૧૨ નંગ ફણસી, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૨ બટેટા, ૨ ટમેટા, ૨ ચમચી માખણ, ૧ ચમચી લીંબુનો રસ, ૨ કાંદા, કોબીનો ટુકડો, પ્રમાણસર મીઠું, મરી. રીતઃ ફણસી, વટાણા, બટાટા,ટમેટા,કાંદા,કોબીને સમારી પાણીમાં બાફી નીતારી એકરસ બનાવી ગાળી લેવા. બાફેલા શાકનું પાણી જુદુ રાખવું. આ પાણી એક તપેલીમાં ઉકળવા મૂકવું. […]


બે નાદાન બાળકો – હરિશ્ચંદ્ર (વીણેલા ફૂલ – ભાગ ૨) 9

‘કમલ ભઈલા!તું હજી જાગે છે? કેમ રડે છે? ‘ દસવર્ષની  નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે. ‘દીદી, પપ્પા ક્યારે  આવશે? એમની પાસે ચાલ ને!’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય?’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી  એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે? પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે? તને શું થયું? તાવ આવ્યો?’ ‘ચૂપ રહે, માસી આવી રહી છે.’ ‘કેમ નીના,શં છે? ઓહો! ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને! મારી શું વાતો કરતાં હતાં? બોલ! બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ‘કેમ શું થયું? માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું ! ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને? પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે!’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું?’ ‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી […]


ગીરમાં કાનો અને તેનો ડાયરો (વિડીયો ભાગ ૨) – જીગ્નેશ અધ્યારૂ 6

આ પહેલા અમારી ગીર વન અને લીલાપાણી તથા અન્ય નેસ ની મુલાકાતો વિશે ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ, ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru , વગેરે પોસ્ટ અંતર્ગત લખ્યું હતું. પરંતુ જેટલો પ્રતિભાવ “કાના” ના ડાયરાને મળ્યો છે એ જોઈને હૈયુ ખરેખર આનંદથી ભરાઈ જાય છે. અમે એક નેસની મુલાકાત લીધી, તે જંગલની લગભગ પશ્ચિમ મધ્યમાં છે, તેનુ નામ છે લીલાપાણી નેસ. અહીં જુદાજુદા ઘણાંય પરિવારો રહે છે. તેમના બાળકો ભણવા જતાં નથી. સવારે છોકરાઓ ગાય ચરાવવા અને છોકરીઓ છાણા વીણવા જાય છે. પણ અહીંના એક બાળકે અનેરી પ્રતિભા વિકસાવી છે. ચારણના ખોળીયામાં તો આમેય સરસ્વતિનો વાસ હોય જ પણ આવી દુર્ગમ જગ્યાએ પણ આ છોકરો પોતાની પરંપરા જાળવી રાખે છે. કોઈ શીખવવા વાળું નથી પણ તે શીખે છે, પોતાની ઈચ્છા થી. બાર વર્ષના છોકરાને કેમ ખબર પડે કે સંસ્કૃતિ કે વંશ પરંપરા શું કહેવાય પણ તોય તે આ અદભુત કાર્ય કરી રહ્યો છે. જુઓ આ ખાસ વીડીયો, આ ડાયરો બીજો ભાગ છે પ્રથમ ભાગ અને તેને સંલગ્ન લેખ ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ એ શીર્ષક અંતર્ગત મૂક્યો છે. આશા છે આપને ગુજરાતની આ તસવીર ગમશે. [youtube=http://www.youtube.com/watch?v=VFjgygFQmNg]


ભજન કરે તે જીતે – શ્રી મકરન્દ દવે 8

વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે તુલસી દલથી તોલ કરો તો, બને પર્વત પરપોટો અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો આ ભારે હળવા હરિવરને મૂલવવા શી રીતે ! – રે મનવા, ભજન કરે તે જીતે. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાટે, સાચખોટના ખાતાં પાડી એમાં તું નહીં ખાટે, સહેલીશ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછીતે? રે મનવા, ભજન કરે તે જીતે આવ, હવે તારા ગજ મૂકી, વજન મૂકીને, વરવા, નવલખ તારાં નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા ? ચૌદ ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે મનવા, ભજન કરે તે જીતે  – મકરન્દ દવે. ભજન અને દુન્યવી વેપારની સરખામણી તો શક્ય જ નથી, શ્રી મકરન્દ દવે અહીં કહે છે કે વજન કરે તે હારે અને ભજન કરે તે જીતે, જીવનનાં વેપારમાં કયા ત્રાજવા કાટલા વાપરીશ? કવિ પોતાના મનને સમજાવે છે કે પ્રભુ તુલસીદલની સામે હળવાફૂલ પરપોટા જેવા થઈ જાય છે તો સામે પર્વતથી પણ ભારે થઈ શકે છે. આ હળવા ભારે હરીને મૂલવવાની કોઈ રીત નથી એમ તેઓ મનને સમજાવે છે. જીવતર માટે માંડ એક ઘડી મળી છે, તો એમાં સાચ ખોટની, દુન્યવી સરખામણીઓ કરવાની છોડીને આનંદ સાગરની સહેલ માણવા તેઓ મનને સમજાવે છે. તેઓ મનને સમજાવતા કહે છે કે પ્રભુ માપવાનાં ગજ – ત્રાજવા મૂકી દે, નવલખ તારા નીચે બેસીને પ્રભુને કયા ત્રાજવે તોળીશ? ચૌદ ભુવનના સ્વામી પ્રભુ એક ચપટી ધૂળથી પણ જો સાચો પ્રેમ હોય તો, દોડતા આવે છે, આમ આ કાવ્યમાં કવિશ્રી મનને સાંસારીક વાતોમાંથી મુક્ત થઈ ભજનમાં મન લગાડવા કહે છે.


તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ) પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ) પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય) મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન, બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા) પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ) ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ ) નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ) પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે. પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે. પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે, બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ) પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને […]


સંબંધોની પેલે પાર – ડીમ્પલ આશાપુરી 7

એકમેકને ઓગાળી દઈએ આરપાર, બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ. શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ, ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ…. આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ ….. આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ ….. પછીતો ના ફરીયાદો, ના વિનંતિ, આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ …… વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત, વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ, તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને ‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ,…. ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ **************** મારી અંદર વરસે છે તું મારી અંદર વરસે છે ધોધમાર તું પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું, મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. જો ! આ ઝાકળભીનો સ્પર્શ એક તારો ભીંજવે મારા યુગો અનેક એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું. – શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી ( શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી તરફથી સ્નેહ અઠવાડીયામાં પ્રગટ કરવા માટે મળેલી આ બે રચનાઓ ખૂબ ઉર્મિસભર છે અને પ્રેમમાં મગ્ન એવા એક હ્રદયની લાગણીઓ ખૂબ સરસ શબ્દોમાં કહી જાય છે. આ રચનાઓ અધ્યારૂ નું જગતને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર. )


એક પતિનો પ્રથમ પ્રેમપત્ર – મૈત્રેયી દેવી (અનુ. નગીનદાસ પારેખ) 4

કુમારીશ્રી, આપ જીવનસાથીની પસંદગી કરવાનાં છો એવું જાણવામાં આવતા એ ખાલી જગ્યા માટે હું મારી જાતને એક ઉમેદવાર તરીકે રજૂ કરવાની રજા લઉં છું. મારી લાયકાતની બાબતમાં જણાવવાનું કે હું નથી પરણેલો કે નથી વિધુર. ખરું જોતા હું અસલી માલ છું. – સાચો કુંવારો માણસ છું, એટલું જ નહીં, હું પાક્કો એકલો માણસ છું કારણ હું લાંબા સમયથી કુંવારો છું. ન્યાયની ખાતર મારે મારી ગેરલાયકાતો પણ જણાવવી જોઈએ. હું નિખાલસ ભાવે કબૂલ કરું છું કે આ કામમાં હું તદ્દન નવો છું. અને આ લાઈનમાં પહેલાનાં કશા અનુભવનો દાવો કરી શકું તેમ નથી., કારણ પહેલા કોઈ સાથે આવી ભાગીદારીમાં જોડાવાનો મને કદી પ્રસંગ મળ્યો નથી. મારો અનુભવનો આ અભાવ મને ડર રહે છે કે, નડતરરૂપ અને ગેરલાયકાત ગણાવાનો સંભવ છે. તેમ છતાં હું એટલું જણાવવાની રજા લઉં છું કે ‘અનુભવનો અભાવ’ એ જીવનમાં બીજા કોઈ ક્ષેત્રોમાં ગેરલાયકાત હોવા છતાં જીવનનું આ એક જ એવું ક્ષેત્ર છે જેમાં એ બધી રીતે ઈચ્છવાયોગ્ય ગણાય, એથી પણ મોટી નડતર કદાચ એ હકીકત ગણાય એવો સંભવ છે કે હું લાંબા સમયથી કુંવારો માણસ છું અને કુંવારાપણાની મારી ટેવો દ્રઢ થઈ ગઈ છે. રખેને નવી પરિસ્થિતિને અનુકૂળ થવાની મારી શક્તિ વિશે શંકા સેવવામાં આવે એટલા ખાતર હું એ હકીકત તરફ આપનું ધ્યાન દોરવાની રજા લઉં છું કે મારો કેસ સર પી સી રાયના જેટલો છેક આશા છોડી દેવા જેવો નથી. વધુ માહિતી માટે હું આપને આપના માતાને મળવાની વિનંતી કરું છું જેઓ જેમણે કોઇ વિરલ મમીને તપાસતા કોઇ વિખ્યાત મિસરવિદને પણ જેબ આપે એટલી જિજ્ઞાસા અને રસપૂર્વક મારો અભ્યાસ કર્યો હતો. અંતમાં હું આપને ખાતરી આપું […]


મૃત્યુ, થોભી જા બે ઘડી – પ્રવીણભાઈ ઠક્કર 5

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં   જીંદગીએ કરી નરી બેવફાઇ,   હે મૃત્યુ સાચી સમજ તું તો દેજે,   નફરત ને ધિક્કારને   પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે.   કંઇક શબ્‍દોના વ્‍યર્થ પૃથ્થકરણે   જીવનના સંબંધો બગાડ્યા,   હે મૃત્‍યુ, તું તો સુધારી દે,   આપી અભય વરદાન એ શાશ્વત સ્‍નેહનું   પરીક્ષાની આગલી રાત્રિએ જ   ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,   તેમ મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં   સ્‍નેહના પગરણ માંડ્યા   જીંદગી ફરી મળે તો,   પ્‍યાર વહાવી દઉં અફાટ અવકાશમાં   ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,   આપ ઘડી બે ઘડી, હે મૃત્‍યુ,     હે મૃત્‍યુ થોડું તો થોભી જા,   તું તો ના કર બેવફાઇ,   તું ક્યાં જીંદગી છે?   હે મૃત્‍યુ, તને વ્‍હાલ કરી લઉં   નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,   મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં.   *********************   ઈશ્વર પ્રવેશે છે,   સ્નેહના આ સાગરમાં   અમારા દીપ પ્રગટી ઉઠ્યા.   શ્રધ્ધાના અમારા દીવડાઓમાંથી   નીકળતા કિરણોમાં જોયું તો   અહમના વજનથી મુક્ત એવા અમે   આયાસ વિના જ તરી રહ્યા હતા   એક આનંદ સાગરમાં   આનંદ સાગરના આ નવા અનુભવથી   રોમાંચિત થયું રોમે રોમ   અને હ્રદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે   વૃક્ષો રસ્તાઓ અને ગગન સાગર અને સર્વે   મંદ મંદ મુસ્કુરાતા લાગ્યા   એ સઘળામાંથી પ્રાપ્ત શાંતિના વિશ્વમાં   અભિન્ન લાગ્યા   દીપક કિરણો શ્રધ્ધા સ્નેહ સાગર અને સઘળા કદાચ એ જ દ્વાર છે   જ્યાંથી ઈશ્વર પ્રવેશે છે    – પી. યુ. ઠક્કર   ( પ્રવીણભાઈ ઠક્કરનો જ્યારે પ્રથમ વખત આ અઠવાડીયા માં લેખ આપવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ શંકા […]


મારી દીવાનગી અને હું ઝરુખો! – વિજયભાઈ રાજ્યગુરુ 3

મારી દીવાનગી મારી દીવાનગીની ચર્ચા બધે થવાની, કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની. સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું, પ્રાચી બની પ્રશંશા તો તું જ પામવાની. તારી હરેક પળમાં મારી જુએ નિશાની, તો વાત યાદ કરજે સુગંધ ને હવાની. સાગર બની હું ખળભળું ને બર્ફ જેમ પીગળું, ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની. મારી કથા વચાળે વિરામચિન્હ માફક, પ્રત્યેક વાક્યમાં તું બસ તું જ આવવાની. હું ઝરુખો ! રાતરાણી સુગંધ લાવે છે એમ તું આસપાસ આવે છે. હું ઉઝરડાતો જાઉં છું ને તું, ચાંદનીનો મલમ લગાવે છે. નામ મારું હવે છે ખાલીપો, ઝાંઝરી તું જ રણઝણાવે છે. ઝાંઝવાએ મને ઘણો ઘેર્યો, તું તમસની નદી વહાવે છે. શ્વાસને સાંધવા પડે કાયમ, અવનવાં સ્વપ્ન તું સજાવે છે. હું ઝરૂખો હવડ હવેલીનો કાંગરે તું કળશ મૂકાવે છે. સાવ જર્જર કિતાબ જેવો છું, લાભ ને શુભ તું લખાવે છે.  – વિજયભાઈ રાજ્યગુરુ ( વિજયભાઈ રવિશંકર રાજ્યગુરુ સિહોરની મુની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેથી સવિશેષ તો તેઓ એક કવિ, લેખક અને સારા રચનાકાર તરીકેનો કાર્યભાર ખૂબ ખંતથી અને નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. તેમના પ્રકાશિત સંગ્રહો “ચાલ પલળીએ!” (૨૦૦૦), “તું બરફની મીણબત્તી” (૨૦૦૩) અને “રૂપેરી વાળ” (૨૦૦૫) તેમની સક્ષમતાઓનો પરિચય સુપેરે આપી જાય છે અને ત્રણેય પ્રકાશનો ખૂબ સુંદર રચનાઓનો ભંડાર છે. આજે મૂકેલી ગઝલો તેમના સંગ્રહ “અવઢવ” (૨૦૦૫ માં પ્રકાશિત) માંથી લેવામાં આવી છે. આ ગઝલો અધ્યારૂ નું જગતને સ્નેહ અઠવાડીયા માટે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્ત કરવા માટે નું તેમનું સરનામુ છે રવિ મંગલ પ્રકાશન, ૪૦, ગૌતમેશ્વર નગર, રાજકોટ રોડ, પુલ પાસે, સિહોર, […]


દીકરીઓનો દબદબો – જીગ્નેશ અધ્યારૂ અને વિકાસ બેલાણી 11

  સૂરજ ઉગે તે પહેલા, ઉગતા તારા ટહુકા ઓ દીકરી. હોઉં ગમે તેટલો દૂર, પૂગતા તારા ટહુકા ઓ દીકરી. – જીગ્નેશ અધ્યારૂ દીકરી વિષે શું ને કેટલું લખવું? મારા અને મારી પત્નીના, અરે મારા આખાંય કુટુંબના પ્રેમનું, સ્નેહનું કેન્દ્ર એટલે મારી “દીકરી”. જે સૂવે તો અમારી દુનિયા પૂરી થાય અને ઉઠે તો શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે મારો પ્રિય વિષય. સ્નેહ અઠવાડીયા માટે તેનાથી, દીકરીઓથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે? તેના વિશે લખેલી એક નાનકડી ગઝલ અહીં મૂકી રહ્યો છું. હોશ અને હાશ મારા, હૈયું ને શ્વાસ તું, દીકરી તું તો મારું ભાવી ઉજ્જાવલ ઉગતા ન સૂરજ ને ઉગતા ન તારલા દીકરી નહીં તો સૂની દુનિયા હરપલ તારા સથવારે મેં શમણાં જોયા ઘણાં શમણાં મા જોયું તારું ભાવિ નિશ્ચલ હસરતોની યાદીમાં, પહેલે થી છેલ્લે તું તારાથી ગૂંજે આ જીવન કલકલ, દીકરી છે શ્વાસ અને દીકરી છે આશ મારી દીકરીના શ્વાસે જીવું જીવન હરપલ, દીકરી છે મત્લા ને દીકરી છે મક્તા દીકરી છે કાફીયા ને જીવન ગઝલ  – જીગ્નેશ અધ્યારૂ **************************************************************************** હીર મારી આંખોનો ઉજાસ, મારા હ્રદયનો ધબકાર હીર હીર મારી નસોમાં વહેતું લોહી, મારા સ્નેહનો સાગર હીર, હીર મારો શ્વાસોચ્છવાસ, મારી ચેતનાનું બળ હીર, હીર મારો પડછાયો, મારી ઉર્મીનું ગીત હીર, હીર મારી ખુશીઓનું નંદનવન, મારા મોહની માયા હીર, હીર મારા શબ્દોની સાંકળ, મારા સર્જનનો સાર હીર હીર મારું પ્રિય સ્વજન, મારા નિત્યસ્મરણ ઇશ હીર, હીર મારા સ્નેહવૃક્ષનું ફળ, મારી લાગણીનો છોડ હીર. ( હીર તેમની પુત્રીનું નામ છે. ) આ રચના મેં મારી ઈચ્છાથી લખી નથી, એક દિવસ અમારી સાઈટ પર મારી વહાલી દીકરી “હીર” મને […]


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


ગૃહસ્થી અને શાકભાજી – વિકાસભાઈ બેલાણી 6

“એઈ સાંભળો છો?” આવું ઉદબોધન હું અવારનવાર મારા શ્રીમતીજી ના મુખે થી સાંભળું છું અને સાંભળતાજ તુંરત યાદ કરી લઉ છું કે સવારે નહાઈને મે બંને કાન બરાબર સાફ કરેલા! તદુંપરાંત મને ઝીણા ઝીણા અવાજો પણ સંભળાઇ જાય એવી તીવ્ર શ્રવણ શક્તિ મળી છે, જેના દ્વારા હું અવારનવાર લોકોની ગુસપુસો સાંભળતો હોઉં છું. આટલું સરસ રીતે સાંભળી શકતો હોવા છતાં દરરોજ “એઈ સાંભળો છો?” ના મેણા મારે સાંભળવા પડે છે. “એઈ સાંભળો છો?” ને ! બદલે જો મને મારા શ્રીમતી “એઇ દેખાય છે કે નહી?” એવું કહે તો સમજી શકું કે મારે આંખે ચશ્મા છે અને ચશ્મા વિના મને દૂરનું ઓછુ દેખાય છે, તથા”એઇ દેખાય છેકે નહી?” એવું અવારનવાર મને રસ્તામાં, સોસાયટીમાં બસમાં અને તે સીવાય પણ ઘણી જગ્યાએ ઘણી માનુનીઓ કહેતી જ હોય છે. મને એ આજ પર્યત સમજાયું નથી કે શ્રીમતીઓ પોતાના શ્રીમાનને સ્નેહપુર્વક તેના નામથી કેમ નથી બોલાવતી. મે ઘણા વિદ્વાનોને આ બાબતે પૂછી જોયું પણ મને જાણી ને આંચકો લાગ્યો કે મારા એક મીત્ર ના શ્રીમતી મારા મીત્રને “ગુડિયાના પપ્પા! ” એવું સંબોઘન કરી બોલાવે છે, ત્યારે જ ધર્મસંકટ ઊભું થાય છે, કારણ કે એમની સોસાયટી માં કુલ મળીને સાત ગુડિયા છે. ફક્ત આ બાબતે જ ગોરઘનો ને અન્યાય થતો હોય તેવું નથી! શ્રીમતીઓ અન્યાય તથા અત્યાચારની બીજી પણ ઘણી રીતો જાણે છે. ધર્મરાજાએ જેમ યક્ષનું રૂપ લઈ યુધીષ્ઠિરની પરીક્ષા કરેલી તે રીતે પત્નીઓ પણ પતિની કર્મનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાની અવારનવાર ચકાસણી કરે છે. બીજાની મને ખબર નથી પણ મારી આવી રીતે રોજ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષાના સ્વરૂપો વિશે વાત કરું તો તેમાં દાળ, શાકનો વઘાર કરવો, કચરા-પોતા કરવા, સારૂ […]


સ્ટિંગ ઓપરેશનની હોળી – હિમાંશુભાઈ કીકાણી 2

કિશોર કીટલી સાથે સાવ આવું બનશે એવું અમે કોઈએ ધાર્યું નહોતું.  કિશોર વિશે ધારવા જેવું તો ઘણું હતું, પણ સાવ આવું બનશે એવું ખરેખર અમે કોઈએ ધાર્યું નહોતું. કિશોર પહેલેથી અદકપાંસળિયો જીવ. વાતવાતમાં એનો ઉત્સાહ દિમાગને ઓવરટેક કરી જતો. ચાની કીટલી એનો કાયમી અડ્ડો. કરિયરની શરૂઆત એણે ક્રાઈમ રિપોર્ટર તરીકે કરી એની અસર હોય કે ગમે તેમ, કિશોરે પોતે જ પોતાનું નામ કિશોર કીટલી પાડ્યું એવું માનવાવાળા પણ ઘણા હતા. એથીક્સનો એવો પાક્કો કે ગામ આખાને ટોપી પહેરાવે, પણ પોતાની ચાના રૂપિયા કોઈ ને કોઈ પાસેથી કીટલીવાળાને અચૂક અપાવે.   અમને સૌને એમ હતું કે કિશોર કીટલી અમારી કૉલેજનું નામ ઉજાળશે. અમે ભણતા ત્યારે પત્રકારોની આજના જેટલી બોલબાલા નહોતી. ગુજરાતીમાં પાંચમાંથી ત્રણ વાક્ય સાચાં લખી શકે (વાક્યરચનાની રીતે, જોડણીની રીતે નહીં) અને હાથમાં માઈક પકડીને કહો તેટલી દોડાદોડી કરી આવે એને પકડી પકડીને પત્રકાર બનાવી દેવા પડે એવો અખબારી માધ્યમોનો કપરો કાળ ત્યારે હજી શરૂ નહોતો થયો. એટલે ગ્રેજ્યુએટ થયા પછી હોંશભેર બે વર્ષ જર્નાલિઝમનો કોર્સ કરીને મૂર્ધન્ય પત્રકાર બનવાનાં સૌમ્ય સપનાં અમે જોતા. એમાં કિશોર કીટલીનો જિગરી મહેશ મિસ્ત્રી પણ સામેલ.   કિશોર જેટલો ઉછાંછળો એટલો મહેશ ધીરગંભીર ને ગભરૂ. સૌએ એનું ભવિષ્ય ભાખી લીધું હતું કે મહેશ આકાશવાણીનો એનાઉન્સર થવાનો. નવાઈની વાત તો હતી, ઋણાનુબંધ કહો તો એમ, પણ કિશોર અને મહેશને સારું બનતું. કિશોર કોઇ પણ કારસ્તાનમાં ફસાતો તો મહેશ મદદે આવતો.   મહેશ જર્નાલિઝમના કોર્સનાં બે વર્ષ કેમ પૂરાં કરશે એ સવાલ હતો ત્યારે અમારો કિશોર એડમિશન મળ્યું ત્યારથી જ પત્રકાર બની બેઠો હતો. પહેલા જ વર્ષે એના ઉત્સાહે દિમાગને ઓવરટેક કર્યો. કૉલેજના ટ્રસ્ટીએ કઈ રીતે […]


કવિ થવું એટલે – તરુણભાઈ મહેતા 5

દરેકના જીવનમાં ધારેલી બધીજ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એવું કાંઈ નથી. દરેકને કોઈક વાતનો અભાવ તો રહેવાનોજ. પરંતુ કવિ બનવું તે નાની સૂની વાત નથી. આમ તો દરેક વત્તા ઓછા અંશે કવિ તો હોય જ પરંતુ તેની કલ્પનાશક્તિ કુંઠિત કરી દેવામાં સમાજનો ખૂબ મોટો ફાળો છે. એમ છતાં નીવડેલા કવિને સમાજ ઈનામ અકરામોથી નવાજે છે. કવિને પ્રથમ ઈનામ તો દર્દ – ઝખ્મો અને સહનશક્તિનું મળે છે. સમાજ, ગામ અને ઘરનાં સભ્યો ખુદ ઘરવાળી પણ તેને છટકેલ મગજનો ગણે છે. ઘણી વખત તેના મગજ હોવા અંગેની અફવા પણ તે ફેલાવે છે. પણ એ જ ઘરવાળી જ્યારે પરણી ન હોય ત્યારે કવિને “કવિ” બનાવવાના મૂળમાં રહેલી હોય છે. એથીજ કવિઓ પોતાના સંગ્રહમાં કોપીરાઈટના હક્કો ઘરવાળીના નામે જ કરી દેતા હોય છે. આમ તો માણસ માત્રમાં ઉદારતા રહેલી હોય છે. સામાન્ય માણસ બેન્ક બેલેન્સ, મકાન કે મીટર ઘરવાળીના નામે કરે છે, જ્યારે કવિ તો પોતાની વિચારોની મૂડી પણ ઘરવાળીના નામે કરી તેના નિર્દંભ વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. કવિ હોવા માટે કવિ કહેવડાવવું આવશ્યક છે. જેમ કે તેમાં પ્રેમિકા અને પત્નિ કવિ તરીકે ઓળખે તેમજ પ્રસ્થાપિત કવિ થઈ શકાય. મારા ઘણા મિત્રો કવિ છે પરંતુ જાતને કવિ તરીકે ઓળખાવવા જેટલા અપલક્ષણોના અભાવે તેની કવિતા ડાયરીના પાનાની શોભા વધારી બાળમરણ પામી છે અથવા તો પોતે અગરબત્તીની જેમ બળીને અન્યની નાસિકા સુધી ગાંઠીયા અને ચટણી જેવા નયનરમ્ય અને મનોહર ફરસાણની સુવાસ પાથરનાર બની રહે છે. આમ તો સહન કરે તે સંત, રાજી થાય તે ઋષિ. કવિને સંસ્કૃતમાં कविभीः परिभू स्वयंभू मनीषी કહીને ઋષિ સમાન ગણાવ્યા છે, કારણકે મોહ માયા ન મળવાથી સહજ ત્યાગ વૃત્તિ સાધ્ય બની […]


અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9

1.  ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય ) અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે ! પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે !   સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે, વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.   કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે, જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.   મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે, રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.   પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે  રે ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…   2.  ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે”  નું પ્રતિકાવ્ય ) (સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત) તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે ! એકલો ખાને, એકલો ખાને,  એકલો ખાને રે !   જો સહુ ડાચા ફાડે ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે !   જો સહુ ગણગણતા જાય ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને ભાઈ એકલો ખાને રે !   જ્યારે ગાળો દે સહુ કોઈ ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે એકલો ખાને રે !   તારો સાથ માંગે જો કોઈ તો નફ્ફટ થઈને, છેટો રહીને પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને […]


મોબાઈલનો વારસદાર – રતિલાલભાઈ બોરીસાગર 6

મોબાઈલનો વારસદાર ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે! મારા પપ્પાને બે’ન બે બે કુંવરીયા બૈ વચ્ચે પાડ્ય છે ભાગ – વીરાજી કેરી મોટે માંગ્યો છે બે’ન અવિચળ ટેલીફોન નાને માગ્યો છે મોબાઈલ, હાં રે બેની નાને માંગ્યો છે મોબાઈલ – વીરાજી. મોટો બેઠો છે ઘેર આરામ ફરમાવતો નાનો રખડતા રામ – વીરાજી. મોબાઈલ ફોનની રિંગુડી વાગતી નાનો બાઈકનો અસવાર – વીરાજી. રમઝમતી બાઈકે નાનો ફોનુડા સાંભળે વાતુંનો આવે ના પાર – વીરાજી. એક દી બીજો બાઈકનો અસવાર ભટકાયો નાનાની સાથ – વીરાજી. વેરાયા બોલ વીરના ફેલાયા આભમાં પછડાયો સાવ ઊંધમૂંધ – વીરાજી. બેઉ હાથે થયાં નાનાને ફ્રેક્ચર મોબાઈલનાં છૂટ્યાં બંધાણ – વીરાજી. ભેટ્યે ઝૂલે છે મોબાઈલ વીરાજી કેરી ભેટ્યે ઝૂલે રે.  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર (ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય “તલવારનો વારસદાર” નું પ્રતિકાવ્ય ) **************** ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ નું જગત તરફથી ખૂબ ખૂબ આભાર. પ્રયત્નને જ્યારે પ્રોત્સાહન મળે ત્યારે તેની મહેનત સફળ થઈ જાય છે. શ્રી રતિલાલ સાહેબનો આ માટે હાર્દિક આભાર અને પ્રણામ. તેમનો સંપર્ક ratilalborisagar@gmail.com પર કરી શકાય છો. “આપના દ્વારા શરૂ કરવામાં આવી રહેલા આ હાસ્ય અઠવાડીયા માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાહિત્ય પ્રસારના આ પ્રયત્નો અને હાસ્ય લેખન ક્ષેત્રે થઈ રહેલું આ કામ ખરેખર આનંદની ઘટના છે. આ પ્રયત્નની સફળતા માટે ખૂબ આશિર્વાદ.”  – શ્રી રતિલાલભાઈ બોરીસાગર ***************** મોબાઈલનું ગુજરાતી નામ ‘મેઘદૂતમ’ રાખ્યું હોય તો ?


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]


પ્રસ્તાવના – હાસ્ય અઠવાડીયું 13

                                         જેમની કલમે ગુજરાતના હાસ્ય સાહિત્યને દૈદિપ્યમાન કર્યું છે તેવા તમામ હાસ્ય લેખકો  – લેખિકાઓને સાદર અર્પણ઼ *********************************** ચલો ચલો મુસકાન વાવીએ લ્યો આ આંસુ, આપો હૈયુ, આપો થોડીક હૂંફ, એટલે એક નવી પહેચાન વાવીએ ચલો ચલો મુસકાન વાવીએ – કૃષ્ણ દવે સાહિત્યજગતમાં પ્રતિષ્ઠિત સર્જકોને માન સમ્માન મળે છે, અને મળવું જ જોઈએ પરંતુ નવોદિત છતાં સમર્થ લેખકોની ઘણી વાર ઉપેક્ષા થતી જોવા મળે છે. તે ન જ થવી જોઈએ તેવા વિચારે ગુજરાતી બ્લોગના ઉપલબ્ધ માધ્યમ દ્વારા કેટલાક લેખો અત્રે મૂકવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. આ કૃતિઓની પસંદગીમાં કોઈ સાહિત્યિક માપદંડો નજરમાં નથી રાખ્યા. પસંદ પડેલા બધાં લેખો અત્રે મૂકી રહ્યો છું. “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. દુઃખ વિષાદ તણા ઉપરના સૂર, જગને શું સંભળાવ, હોય હાસ્ય તો વિશ્વ તારી દે, હાસ્ય થી જગ અપનાવ.  – કૃષ્ણલાલ શ્રીધરાણી આ અઠવાડીયાની ઉજવણી માટે લેખો મોકલનાર, શુભેચ્છા મોકલનાર તથા આશિર્વાદ આપનાર તમામ વડીલો, વાચકો અને મિત્રોનો અને લેખ મોકલી આપનાર મિત્રોનો આભાર માની રહ્યો છું.  આવતીકાલથી રોજ એક લેખ મૂકવામાં આવશે. આપના પ્રતિભાવો અને સૂચનોનું હાર્દિક સ્વાગત છે.  – જીગ્નેશ અધ્યારૂ (31-01-2009) ગુજરાતી હાસ્ય લેખન ક્ષેત્રે પ્રસ્થાપિત લેખકોની પ્રથમ શ્રેણીમાં બિરાજતા અને સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ ખૂબજ આદરથી લેવાય છે તેવા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો આ હાસ્ય અઠવાડીયાનાં પ્રયત્નમાં આશિર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે અધ્યારૂ […]


માં = મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા 10

મા મારી પહેલી મિત્ર અને શ્રેષ્ઠ મિત્ર અને છેલ્લી પણ બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું વાળ જેવું બારીક પણ એકાદ કણ તો આવી જાય, પછી લસરકો, ઉઝરડો, તિરાડ ઉદારતાથી ક્ષમા કરીએ કે કોઈ આપણને ક્ષમા કરી દે તે વાત જુદી પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે, સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને, પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું, આદર્શ તો પણ અતિ દોહ્યલું, ચડસા ચડસી, હું પદ, આળાપણું, ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા, નખ જરાક અડી જાય, કે લોહી નીકળ્યું જ સમજવું હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં, ખબે મૂકાતા હાથમાં, બાળકો પ્રત્યેની મીટ માં, નેજવાની છાજલીમાં, પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય, દેવમૂર્તિ જેમ પૂજી શકાય પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં ! એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય, ઝઘડીયે શકાય આપણાં હોઠો પરની દૂધિયા ગંધ, એની છાતીમાં અકબંધ, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય, ભગવાનની પાસે અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ, (ભગવાનની યે માં તો હશે જ ને?)  – ભગવતીકુમાર શર્મા


ગયા બાપુ – સ્નેહરશ્મિ 10

ગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે. પૂજ્ય બાપુને તેમની પુણ્ય સ્મૃતિમાં આજે અધ્યારૂ નું જગત તરફ થી ભાવાંજલી અને એ અભ્યર્થના કે તેમના વિચારો અને તેમના સિધ્ધાંતો આપણને દરેક કપરા સમયમાં માર્ગદર્શન આપે, સાચાં રસ્તે લઈ જાય. ************************************* મોટા ઘરનો મોભ તૂટ્યો આ ? કે વ્હાણનો કૂવાથંભ ? ફાટ્યો પહાડનો પા’ડ હિમાલય ? કે આ કો’ઘોર ભૂકંપ ? બની ભોમ ગાંધી વિનાની; તૂટી હાય દાંડી ધરાની ! સાગર આખો ઘોર ખેડીને નાથ્યા ઝંઝાવાત, હાથવેંત જ્યાં આવ્યો કિનારો ત્યાં આ શો રે આઘાત ? ખરાબે લાવી પછાડી મૃત્યુ ! તેં નાવ અમારી. ગયા બાપુ ! ઋત ગયું શું ? ગયા પ્રેમ ને ત્યાગ ? ગયા ગાંધી ! સત્ય ગયું શું ? ગયા શીત સોહાગ ? માનવકુલભાણ ભૂંસાયો ! ધરાનો પ્રાણ હણાયો ! મૃત્યુ આજ હા ! જીતી ગયું શું ? સભર તારો અંક ! અમ પ્રતિ તું જુએ હવે શેં; આજ અમે સૌ રંક ! નોંધારાને ગોદ કો લેશે ? બાપુ વિના હૂંફ કો દેશે ?  – સ્નેહરશ્મી


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


આદિત્ય હ્રદય 5

આદિત્ય હ્રદય સ્તોત્ર એ સૂર્ય ભગવાનની બધીજ ઉપાસના પ્રાર્થનાઓ અને સ્તોત્રોમાં સર્વથી વિલક્ષણ અને વૈદિક પધ્ધતિ દ્વારા રચાયેલ સૂર્ય પ્રાર્થના – મહાનત્તમ વંદના છે. રામાયણના રામ રાવણ વચ્ચેના યુધ્ધ વખતે અગત્સ્ય મુનિએ પ્રભુ શ્રી રામને આ સૂર્ય પ્રાર્થનાની શિક્ષા આપી હતી અને ત્યારબાદ પ્રભુ શ્રી રામે સૂર્યભગવાનની આરાધના કરી હતી. કહેવાય છે કે સારા નેત્રજીવન માટે અને હ્રદયરોગ કે અન્ય અસાધ્ય બીમારીઓથી બચવા માટે આ પ્રાર્થનાનો ઉપયોગ થાય છે. પરંતુ તેની સાચી પધ્ધતિ અનુસરવાથીજ તેના ફાયદા મેળવી શકાય છે. [youtube=http://www.youtube.com/watch?v=IsGJlyFcdQM] તતો યુધ્ધ પરિશ્રાન્તં સમરે ચિન્તયા સ્થિતમ, રાવણં ચાગ્રતો દષ્ટ્વા યુધ્ધાય સમુપસ્થિતમ. દૈવતૈશ્વ સમાગમ્ય દૃષ્ટુમ્ભ્યાગતો રણે, ઉપગમ્યાબ્રવીદ્રામમગસ્ત્યો ભગવાંસ્તદા રામ રામ મહાબાહો શ્રુણુ ગુહ્યં સનાતનમ યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસે આદિત્યહ્રદયં પુણ્યં સર્વશત્રુવિનાશનમ જયાવહં જપેન્નિત્યમક્ષયં પરમ શિવમ સર્વમંગલમાંગલ્યં સર્વપાપપ્રણાશનમ ચિંતાશોકપ્રશમનમાયુર્વર્ધનમુત્તમમ [youtube=http://in.youtube.com/watch?v=x5hm2iglCAY] રશ્મિમન્તં સમુધ્યન્તં દેવાસુરનમસ્કૃતમ પૂજ્યસ્વ વિવસ્વન્તં ભાસ્કરં ભુવનેશ્વરમ સર્વદેવાત્મકો હ્યેષ તેજસ્વિ રશ્મિભાવનઃ એષ દેવાસુરગણાંલ્લોકાન પાતુ ગભસ્થિભિઃ એષ બ્રહ્મા ચ વિષ્ણુશ્ચ શિવઃ સ્કન્દઃ પ્રજાપતિઃ મહેન્દ્રો ધનદઃ કાલો યમઃ સોમો હ્યપાંપતિઃ પિતરો વસવઃ સાધ્યા અશ્વિનૌ મરુતો મનુઃ વાયુર્વિહ્યિઃ પ્રજા પ્રાણ ઋતુકર્તા પ્રભાકરઃ આદિત્યઃ સવિતા સૂર્યઃ ખગઃ પૂષા ગભસ્તિમાન સુવર્ણસદ્દશો ભાનુઃ સ્વર્ણરેતા દિવાકરઃ હરિદૃશ્ચઃ સહસ્ત્રાર્ચિઃ સપ્તસપ્તિર્મરીચિમાન તિમિરોન્મથનઃ શમ્ભુસત્વષ્ટા માર્તણ્ડકોંડશુમાન હિરણ્યગર્ભઃ શિશિરસ્તપનો ભાસ્કરો રવિઃ અગ્નિગર્ભોદિતેઃ પુત્રઃ શંખઃ શિશિરનાશનઃ વ્યોમનાથસ્તમોભેદી ઋગ્યજુઃસામપારગઃ ઘનવૃષ્ટિરપાંમિત્રો વિન્ધ્યવીથિ પ્લવંગમઃ આતષી મંડલી મૃત્યુઃ પીંગલઃ સર્વતાપનઃ કવિર્વિશ્ચો મહાતેજા રક્તઃ સર્વભવોદ્ભવઃ નક્ષત્રગ્રહતારાણામધિપો વિશ્વભાવનઃ તેજસમાધિ તેજસ્વી દ્વાદશાત્મન્નમોડસ્તુ તે જ્યોતિર્ગણાનાં પતયે દિનાધિપતયે નમઃ જયાય જયભદ્રાય હર્યશ્વાય નમો નમઃ નમ ઉગ્રાય વીરાય સારંગાય નમો નમઃ નમઃ પદ્મપ્રબોધાય પ્રચણ્ડાય નમોસ્તુતે બ્રહ્મૈશાનાચ્યુતેશાય સૂરાયાદિત્યવર્ચસે ભાસ્વતે સર્વભક્ષાય રૌદ્રાય વપુષે નમઃ તમોધ્નાય હિમધ્નાય શત્રુધ્નાયામિતાત્મને, કૃતઘ્નઘ્નાય દેવાય જ્તોતિષાં પતયે નમઃ તપ્તચામિકરાભાય હરયે વિશ્વકર્મણે, નમસ્તમોભિતિધ્નાય રુચયે લોકસાક્ષિણે નાશયત્યેષ વૈ ભૂતં તદેવ સૃજતિ પ્રભુઃ પાપત્યેષ તપત્યેષ વર્ષત્યેષ ગભિસ્તિભિઃ […]


જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4

ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું. જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા […]


શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ 8

પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]


પ્રભુ ! તું અને દરીયો & સુખનો ફોટો – જીગ્નેશ અધ્યારૂ 4

( મિત્રો, આજે મારી બે ગઝલ અત્રે મૂકી રહ્યો છું. સામાન્ય રીતે મારી ગઝલો સાંભળીને મિત્રો કહે છે કે નકારાત્મક વિચાર ગઝલોમાંય ઝળકે છે. પરંતુ મારા હિસાબે હકારાત્મક વિચારો ત્યાંથી જ ઉદભવી શકે. પ્રથમ ગઝલ પ્રભુ અને દરીયા વચ્ચેનું સંયોજન દર્શાવવાનો પ્રયત્ન છે. ચાર વર્ષથી દરીયા કિનારે રોજ સવારે ઉભો રહી અફાટ સાગરને જોઈ, હવે ગઝલોમાં દરીયો આવી જ જાય તેમાં શું નવાઈ? અહીં મેં પ્રભુની વૈશ્વિકતા અને “મારો ઈશ્વર / અલ્લાહ / પ્રભુ” એવાં વાડાઓમાં રહેતા આપણે એ બે વચ્ચે થોડોક ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી ગઝલમાં અનાયાસ જ આંસુ અને દુઃખોની વાત થઈ ગઈ છે. પરંતુ તેમાંય હિંમત ન હારવાની ક્ષમતા દેખાડવાનો પ્રયત્ન છે. (જો કે એક મિત્રએ એમ પણ કહ્યું કે શિકાર થયેલા હરણનાં છેલ્લા ચિત્કાર જેવી આ ગઝલ છે.) આપના દરેક પ્રકારના પ્રતિભાવોનું સ્વાગત છે. ) 1. પ્રભુ ! તું અને દરીયો તું જુએ જો મારી આંખોમાં તો, તારી આંખોમાં મને દેખાય દરીયો. ને જેવો ફેરવું હું નજરુંય તુજથી, બની ઝાંઝવા વહી જાય દરીયો઼. પ્રભુ ! તારી ગલીમાં હું ચોમેર ભટક્યો, તોયે મને ક્યાંયે ન દેખાય દરીયો. ને જોયું જો ભીતર જરી અમથું નમીને, બની લાગણી મુજથી ઉભરાય દરીયો. ઠેરવું જો મારો તો એમેય થાય મને, કિનારે ક્યાં કદી રોકાય દરીયો. પણ મારા માંથી જેવો અમારો કરું તો, કિનારા છોડી કદી ક્યાં જાય દરીયો. એક અડગ આશ ને પૂરો વિશ્વાસ પછી, અર્જુનના બાણે ભલે વીંધાય દરીયો. ખારો તો ખારો ભલે પીધો પીવાય નહીં, બની નદી ઠેર ઠેર પૂજાય દરીયો.   2. સુખનો ફોટો આંસુઓના ઉભરાતા દરીયાને ભોંઠો પાડવો છે, દુઃખ ઉભું રહે, મારે સુખનો ફોટો પાડવો છે. […]


પાગલ હંસ – દુલા ભાયા કાગ 14

તળાવ સુકાઈ જાય છે. બધાં પક્ષી ચાલ્યાં જાય છે. ફક્ત એક જ હંસ બાકી રહે છે. અને કાંકરી વીણીવીણીને ખાય છે. બીજો હંસ આવે છે, તે કહે છે  કેઃ  “તું ગાંડો થઈ ગયો લાગે છે ! બીજે પાણીવાળે તળાવે ચાલ, જ્યાં લાખો હંસો મોતી ચરે છે.” ત્યારે પહેલો હંસ ઉત્તર આપે છેઃ “જે તળાવે ખૂબ મોતી ખવરાવ્યાં તેને મૂકીને મારાથી ત્યાં અવાય નહિ. જરા જોતો ખરો, મારા માટે આ સરોવરનું  હ્યદય પણ ફાટી ગયું છે.” (પાણી સુકાય ત્યારે કાદવ ફાટી જાય છે.) ( ભૈરવી –  ગઝલ  ) ક્યા હંસ તૂ પાગલ ભયા, ચુનચુન કે કંકરી ખાત હૈ?  યહ સરોવર તો સૂખ ગયા, અબ ક્યોં ન તૂ ઊડ જાત હૈ? ભૂખા રહા પિંજર ભયા, અબ ક્યોં ન માનતા હૈ કહા? સંગી તિહારે ચલ ગયે, કિસ સ્વાદસે ઈસ ઠાં રહા અબ.              ૧ ચલ તૂ હમારે સંગમેં, લાખોં મરાલ સુ જહ વસે; દિલદાર્ સરકા યાર વહ, હંસા તભી મનમેં હસે . અબ.              ૨ “તૂમ ક્યા પિછાનો પ્યાર કો, હમ ના કભી ઇસકો હને; મેરે લિયે યહ ફટ ગયા, વહ છોડના કૈસે બને? અબ.                 ૩ મોતી વ ખાને કો દિયો, પાની જિસી કા મૈં પિયા; જબ ‘કાગ’ ઉસકો છોડ દૂંગા, ના મેરા જિયા. અબ                    ૪ – દુલા ભાયા કાગ


એક અગત્યની વાત – જીગ્નેશ અધ્યારૂ 4

પ્રિય મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગના મારા સંસ્મરણો આજે આઠ વર્ષોના વહાણા છતાંય તાજા ઘા જેવા લીલા છે. તાજા ઘા જેવા એટલા માટે કે એ સુખના, અપાર સુખના દિવસો હજી પણ યાદ આવે તો મન એ દિવસોમાં પાછા જવા તલપાપડ થઈ ઉઠે છે. મુખ્યત્વે આખાંય વર્ષમાં, બંને સેમેસ્ટરમાં થઈને ફેબ્રુઆરી મહીનો અમારા બધાંયનો ખૂબ પ્રિય. કારણકે આ મહીનાનાં બે અઠવાડીયા અમે ઉજવીએ ટેકો-વીક. ટેકનોલોજી ફેકલ્ટીની ફિઝાઓમાં આ બે દિવસ મોજ મજાના વિવિધ રંગ અને  મસ્તી, તો ક્યાંક પ્રેમના ઉગતા છોડવા પણ જોવા મળે. અને આ વાતાવરણમાં તમે તેમાંથી બાકાત રહી શકો તો જ નવાઈ. બધાં જ ડીપાર્ટમેન્ટમાં માસબંક ડીકલેર થયા હોય. કોઈક દિવસ ચોકલેટ ડે હોય, જેમાં ડેરીમિલ્ક પ્રેમનો, તો ચ્યુંઈગમ ચીપકુનો, અને મેલોડી ચોકલેટી પ્રેમ પ્રપોઝલનાં સવિનય નકારનો, પર્ક સારી ફીગરનો તો કીટકેટ દોસ્તીનો સંદેશો આપે. કોઈક દિવસ વેજીટેબલ ડે હોય, જેમાં ભીંડા પ્રેમ પ્રપોઝલનો, કારેલા નકારનો, ગાજર સારી ફીગરનો, કાશ્મીરી મરચા “ગેટ ઈન શેપ”નો તો બટાકા સારા દોસ્તનો સંદેશો આપે. કોઈક દિવસ આઉટ્રેજીયસ દિવસ હોય ત્યારે બધાંય ભાવિ એન્જીનીયરો કોઈક સાધુના વેશમાં, કોઈક ગબ્બર બનીને, તો કોઈક ચિત્રવિચિત્ર પોશાકો પહેરીને, કોઈક ધોતીયું અને શર્ટ ટાઈ પહેરીને, કોઈક એક પગે ચપ્પલ અને એક પગે બૂટ પહેરીને તો કોઈક વળી એક પગ પેન્ટનો અને એક પગ ચડ્ડીનો એવા વિવિધ દેખાવો કરે. અમેય મજૂરો અને કડીયાઓ જેવા દેખાવો કર્યા હતાં, પછી આ આખી સવારી બળદગાડામાં ડિપાર્ટેમેન્ટ પ્રમાણે નગારા ત્રાંસા સાથે ફરે. વેલેન્ટાઈન ડે ના દિવસે ઠેર ઠેર હિંમત અને મિત્રોની જરૂરત પડે. કોઈક પોતાના મનના ખૂણે સંઘરાયેલી વાત બહાર કાઢવા, પ્રેમનો ઈઝહાર કરવા પ્રયત્ન કરે તો કોઈ પોતાના […]


બાળકોમાં લાગણીતંત્રનો વિકાસ – કિરણ ન. શીંગ્લોત 5

( ગુજરાતી ભાષામાં બાળકો વિશે પ્રગટ થતાં જૂજ માસિકોમાં બાળ ઉછેર અને બાળ કેળવણી અંગે, શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન આપતું ગુજરાતનું એક માત્ર લઘુ માસિક એટલે “બાલમૂર્તિ”. કિરણ શિંગ્લોતજી તેમાં ઉપરોક્ત વિષય “બાળકની ઉંમર સાથે તેના લાગણી તંત્રના વિકાસ”  અંગે અંકોમાં ક્રમશ ઉંમરના વિવિધ પડાવો મુજબ સરસ માહીતી પૂરી પાડે છે. ) એક થી દોઢ વર્ષની ઉંમર બાર મહીનાનું બાળક સામાન્ય રીતે આનંદ અને ઉત્સાહ થી છલકતુ, ચેતનવંતુ હોય છે. એનામાં સામાજીકતાના લક્ષણો જોવા મળે છે અને માતાપિતા તેમજ અન્ય વ્યક્તિઓનો સહવાસ માણવાનું ગમે છે. પણ કોઈ કોઈ વખત એ જીદનાં દર્શન પણ કરાવતું થાય છે. હવે એ એની લાગણીઓને ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકે છે, બાળકના સાન્નિધ્યમાં એના માં બાપને ઘણો આનંદ આવે છે, પણ સાથે હવે કપરા સમય અને ઘર્ષણની પણ શરૂઆત થઈ જાય છે. માતા સાથે સંબંધ : બાર મહીનાનાં બાળકના જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વનું રહે છે પણ સાથે અન્ય વ્યક્તિઓનો પણ પ્રવેશ થઈ ચૂક્યો હોય છે. માતા સાથેનું વળગણ થોડું ઓછું જરૂર થાય છે, પણ છતાં સલામતિની લાગણી પોષવા માટે તો હજુ એ માતાને જ શોધે છે. રમવામાં ઓતપ્રોત હોય ત્યારે એ માતા તરફ ભાગ્યેજ નજર કરશે. પણ માતાની હાજરીનો એ ખ્યાલ ચોક્કસ રાખે છે. તેથી માતા આમ તેમ ખસવાનો જરા પણ પ્રયત્ન કરશે તો તરતજ બાળકનાં ધ્યાનમાં આવી જાય છે. માતા એની આસ પાસ હશે તો તે વધારે આનંદથી રમતમાં પરોવાયેલુ રહે છે. સામાજીકતા દોઢ વર્ષની ઉંમર સુધીમાં બાળક એકલવાયું મટીને સામાજીક બનવા માંડે છે, જો કે, કોઈ વખત એનામાં આક્રમકતાનાં પણ દર્શન થાય છે. ગુસ્સે થાય ત્યારે એ સામેની વ્યક્તિને મારી પાડે કે કરડી પડે એવું […]


પૂછું એક વાત (બાળગીત)- રાજુ કાનાણી 3

પૂછું એક વાત ? ચાંદામામા, તમને પૂછું એક વાત ? અમાસે ક્યાં ગયા’તા આખી રાત ? સૂરજ દાદા, તમને પૂછું એક વાત ? રહો છો ક્યાં તમે આખીયે રાત ? દાદાજી, તમને પૂછું એક વાત ? થાય કેવી રીતે આ દિવસ અને રાત ? દાદીમાં, તમને પૂછું એક વાત ? ચમકે તારલિયા કેમ આખી રાત ? પપ્પાજી તમને પૂછું એક વાત ? તમરા શીદ બોલતાં આખી રાત ? મમ્મીજી, તમને પૂછું એક વાત ? સપનામાં કેમ આવે તારી જ વાત ? – રાજુ કાનાણી { “બાળકો આવો ગીતો ગાઓ” માંથી સાભાર }