સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


એક સિવિલ એન્જીનીયરની જિંદગી

સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય). મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું. સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. […]


સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર 6

પ્રભુ શ્રી વિશ્વકર્માને હિન્દુ માન્યતા મુજબ આ સૃષ્ટીના રચયિતા અને સ્થપતિ ગણવામાં આવે છે. દર વર્ષની સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે ઉજવાય છે. મૂળ બંગાળ, ઓરીસ્સા અને ત્રિપુરા તથા ઉત્તરભારતના એકાદ બે રાજ્યોમાં ઉજવાતો આ ઉત્સવ બાંધકામ સાથે સંકળાયેલી સમગ્ર સંસ્થાઓએ ઉજવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી હું પણ તેમાં શામેલ થઈ રહ્યો છું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરાય છે, બાંધકામ બંધ રાખી બધા તેમની પૂજા અર્ચના અને પોતાના વિભાગોની, કામગીરી વાળી જગ્યાની પૂજા કરે છે. મૂળ સાઈટ પર ઉજવાતો હોવાના લીધે આ ઉત્સવ સામાન્ય લોકોની જાણ બહાર મોટેભાગે રહે છે. પણ સિવિલ ઈન્ડસ્ટ્રી તેને ખૂબ ભક્તિભાવ પૂર્વક અને જોરશોરથી ઉજવે છે. વિશ્વકર્માને દૈવી સ્થપતિ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્થપત્ય વેદ માં મળે છે. તેમને બાંધકામ, આયોજન અને અભિયંતા વિશ્વના સ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કડીયાઓ, કારીગરો, વેલ્ડરો, ફીટરો, એન્જીનીયરો, તથા સમગ્ર બાંધકામ જગત તેમની પ્રોજેક્ટની સફળતા, સુરક્ષા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળતામાટે તેમની પૂજા કરે છે, અને તેમની પ્રેરણા અને દોરવણી નીચે આખુંય કાર્ય ચાલે છે તેવી ભાવના સાથે તેમને પ્રોજેક્ટ અર્પણ કરે છે. દિવસભર તેમની પ્રતિમાની પૂજા કર્યા પછી, તેમને ફળ તથા વિવિધ ભોગ ધર્યા પછી દિવસને અંતે તેમની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દિવસે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધાંય ભેગા મળી ઉજાણી કરે છે અને વર્ષમાં એક જ દિવસ બંધ પાળતી આ સમગ્ર ઈન્ડસ્ટ્રી તે દિવસે ખરેખર સિવિલાઈઝડ થઈ મજા કરે છે, સાહેબ અને મજૂર ના ભેદ ભુલાવી બધા હળેમળે છે અને એક બીજાના પ્રોજેક્ટ વિશે માહીતીની આપ લે કરે છે.   અમારી સાઈટ પર આ વખતેય એવી જ ઉજાણી થઈ…….ખૂબ […]


હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની 4

“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી. વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે,  મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે… (આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns ****   **** હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી, “તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે” “શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી? “હા, એક ઘર, પોતાના બાળકો…” “તારે આગળ વધવું જ રહ્યું” “સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને […]


અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ

મિત્રો, આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી, આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે. ધન્યવાદ


કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ 6

સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)


અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩

ક્યારેક શનિવારની મોડી રાત્રે કે રવિવારે સવારે મિસિ મને ઉઠાડતી. તે ઉપરના માળ પરથી બૂમો પાડતી  “તને સંભળાતુ નથી? જલ્દી કેમ ઉભો થતો નથી?” હું માંડ માંડ સુતો હોઉં….ફક્ત જ્યારે હવા ની દિશા તમારી તરફ હોય તો તમે દૂરના ગામડાઓ પર થયેલા હુમલાના લીધે વાગતા સાયરન સાંભળી શકો., પણ આ સિવાય, ઘણા સમયથી અમે આવા સાયરન વાગે તો ય પથારીમાં પડ્યા રહેવા ટેવાઈ ગયા હતા, અને ત્યાં સુધી ઉભા ન થતા જ્યાં સુધી એન્ટી એરક્રાફ્ટ ફાયર સૂચવે કે ખરેખર આપણા પર હુમલો થયો છે. આ આદતે હજારોનો ભોગ લીધો હશે… હું આવો ચીડાયેલો જવાબ જ આપવાનો હતો અને પડખું ફરવા જ જતો હતો કે જ્યારે મેં આવો અવાજ સાંભળ્યો, હું પથારી માં થી ઉભો થઈ ગયો, કહો કે કૂદી પડ્યો અને ખુલ્લા પગે દોડ્યો. જો કે આ સંજોગોમાં ફસાયેલા બધાને ખબર હતી કે ન ઉપર, ન નીચે, આનાથી બચવાનો કોઈ રસ્તો નથી….હું તેનો તાગ લેવા મથી રહ્યો. ઉતર પશ્વિમમાં એલ્બ ગામની બંને તરફના પહાડો શાંત ઉભા હતા, આકાશમાં પાતળી પ્રકાશ રેખા એક ગયેલા દિવસની ઝાંખી કરાવતી હતી, પહાડો પણ જાણે કે શ્વાસ રોકીને ઉભા હતા. બહુ દૂર નહીં એવી એક સર્ચલાઈટ હવામાં પ્રકાશના શેરડા રેલાવી રહી હતી, હુકમો છૂટ્યા અને સર્ચલાઈટ પૃથ્વી છોડીને આકાશમાં ભમવા લાગી, ક્યારેક તેના પ્રકાશનો શેરડો આવી જ કોઈક બીજા પ્રકાશને મળતો અને આકાશમાં સરસ ભૌમિતિક આકૃતિઓ રચાતી, અને વિખેરાઈ જતી. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તેમનો પ્રકાશ ગળી જતો હોય તેમ તે સાવ અન્યમનસ્ક પણે ફર્યા કરતી, અજાણ્યા અંધારા ને ઉલેચતી એક સર્ચલાઈટ. વાતાવરણ એવું ભારે થઈ ગયું કે આવામાં જાણે કે કોઈ શ્વાસ […]


મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ….. 10

આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું… મેં મારી નોકરી છોડી, સંબંધો છોડ્યા જવાબદારી છોડી, આધ્યાત્મિકતા છોડી… કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો… હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા “પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને એક કારણ આપી શકો જીવન ન છોડવા માટે?” “આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા, “શું તને ઘાસ અને વાંસ દેખાય છે?” “હા” મેં કહ્યું, “મેં તે બંનેને જમીનમાં રોપ્યા તેમની ખૂબ કાળજી લીધી બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું યોગ્ય પાણી યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ ઘાસ તરત ઉગી ગયું અને જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું, તો ય મેં તેને ન છોડ્યું બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું, તોય મેં તેને ન છોડ્યું ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું તો પણ હજીય મેં તેને ન છોડ્યું ચોથા વર્ષે પણ એમ જ થયું અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું, ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ પણ ફક્ત છ મહીના પછી વાંસ સો ફીટ લાંબુ હતુ તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું મેં મારી કોઈ પણ રચનાને એવી અઘરી કસોટી નથી આપી જેમાંથી તે પાર ન ઉતરી શકે તને ખબર છે, તારા કપરા સમયમાં જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો? મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું… બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે […]


સાતમ આઠમ નો મેળો @ મહુવા 11

સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]


આઈ ફોન 3G હવે ભારતમાં

વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી અને જેના રીલીઝ વખતે તેને ખરીદવા ખૂબ લાંબી કતારો લાગી હતી તે એપલ નો બહુચર્ચિત આઈફોન 3G વોડાફોન અને એરટેલ દ્વારા ભારતમાં આજે રીલીઝ થઈ રહ્યો છે. તેની કિંમત ૮ ગીગાબાઈટસ મેમરી સાથે ૩૧૦૦૦ અને ૧૬ ગીગાબાઈટ્સ મેમરી સાથે ૩૬૧૦૦ રાખવામાં આવી છે. ૧૦૦૦૦ રૂ ભરીને તેના માટે બુકીગ કરાવી શકાય છે તેમ વોડાફોન વેબસાઈટ કહે છે, જ્યારે એરટેલ સાથે બુકીંગ ભાવ ૫૦૦૦ રૂ છે. અમેરીકામાં મળતા નવ થી દસ હજારની સરખામણીએ અહીં ત્રીસહજાર રૂપીયા ખૂબ વધારે છે જે સૌથી નબળુ પાસુ છે. અને મારા મતે આ ખરાબ બાબત બીજા બધા સારા પાસાઓને ઢાંકી દેશે….આઈફોન નો ક્રેઝ તો મને પણ ખૂબ છે પણ તે માટે આટલા બધા ખર્ચવાની મને કોઈ ઈચ્છા નથી…


વડોદરા આજકાલ

વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી. એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે. વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ […]


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]


સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23

રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]


જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7

આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]


એલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં 5

વોયેજર સ્પેશક્રાફ્ટ વોયેજર ૧ અને ૨ એવી જગ્યાઓએ આજે શોધખોળ કરી રહ્યા છે જ્યાં આજ સુધી પૃથ્વી થી કાંઈ પહોંચ્યુ નથી. ૧૯૭૭માં તેમના પ્રક્ષેપણ પછીથી આજ સુધી સતત તે માહિતિનો ભંડાર મોકલી રહ્યા છે. વોયેજર સ્પેશક્રાફ્ટનું મૂળભૂત મિશન હતું ગુરૂ અને શનિના ગ્રહો વિષે માહિતિ એકઠી કરવાનું. આ કાર્ય પૂરૂ કરીને તેઓ હજી પણ સતત આગળ વધી રહ્યા છે. હવે તેમનું મિશન પૃથ્વી અને સૂર્ય થી સૌથી વધુ દૂર આપણી આકાશગંગાના છેડે આવેલા યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જઈ ત્યાં શોધખોળ કરવાનું છે. આપણા સૂર્યના રાજની બહારની તરફ શોધખોળ કરવી એ પણ તેના મિશનનો એક ભાગ છે. આ મિશન વિશે વધુ જાણવા નાસા જેટ પ્રપલ્શન લેબોરેટરીની આ સાઈટ પર જાઓ. અવકાશમાં તેમની યાત્રા દરમ્યાન જો કોઈ પણ જીવંન સાથે તેમનો સંપર્ક થાય તો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે આ વોયેજર મિશન સાથે ગોલ્ડન રેકોર્ડ મોકલાઈ. ૧૨ ઈંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડીસ્ક બનાવવામાં આવી જેની અંદર પૃથ્વીના જીવનની વિવિધતા અને સંસ્કૃતિ બતાવવા માટે કેટલાક અવાજો અને ચિત્રો પસંદ કરવામાં આવ્યા. નાસા દ્વારા પસંદગી પામેલ આ મીડીયામાં હતા ૧૧૫ ચિત્રો અને વિવિધ અવાજો, બાળકના હસવાનો, વરસાદ પડવાનો, પ્રાણીઓના અવાજો વગેરે … આ સાથે હતા વિશ્વની પંચાવન ભાષાઓમાં સ્વાગત સંદેશ. આમાં એક ભાષા હતી ગુજરાતી. આ ગુજરાતી માં રેકોર્ડ કરેલ સંદેશ અહીં સાંભળો. ફેબ્રુઆરી ૨૦૦૮ માં વોયેજર સૂર્ય થી ૧૦૫.૩ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતુ. જ્યારે વોયેજર ૨ સૂર્ય થી ૮૫ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતું. હજી પણ તેઓ આપણી સૂર્યમાળાને છોડીને જઈ રહ્યા છે. કહો કે ભાગી રહ્યા છે. આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર?”


મધર ટેરેસા – મિશનરીઝ ઓફ ચેરીટી 2

ગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું. ——–> ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા. તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.” તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા […]


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અઘોરીઓ સાથે પાંચ દિવસ 68

ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]


૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર

પ્રિય મિત્રો, આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે.  તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. … ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ […]


વડોદરા આજકાલ

રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે …. આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ … વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે. તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી […]


આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …

આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે. પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે? હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. … મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 6 (3D Interactive)

કેટલીક ગમતી અને મજાની વેબસાઈટસ વિષે લખવાની આ કડીને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો પણ શોધ કરવાના અને એ બધી વેબસાઈટ વિઝિટ કરવાના સમય ના અભાવે આ શૃંખલા અટકી ગઈ હતી…..આજે ફરી પાછો એ  જ કડીને આગળ વધારૂં છું….આજે પ્રસ્તુત છે કેટલીક ન જાણેલી, ન માણેલી સરસ 3 D ઈન્ટરેક્ટીવ વેબસાઈટ નું લીસ્ટ…..એક વાર ક્લિક કરી જુઓ, મજા પડશે… 1.     Kelidoscope ૩૬૦ ડીગ્રી એટલે એક ચક્કર પૂરૂ થાય, આ સર્કલમાં ફક્ત ૩૦ ડીગ્રીનો ફરતો કેલીડોસ્કોપ…..હવે સર્કલમાં ગમે તે જગ્યાએ આપેલા આકારો મૂકો અને જુઓ બનતી અદભુત રચનાઓ….આ વેબસાઈટ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. સામાન્ય વર્ઝન અને બીજું છે નવી આવૃતિ સાથેનું વર્ઝન…..શૂન્ય માંથી સર્જન એ આનું નામ …… મને જો કે પહેલુ વર્ઝન વધારે ગમ્યું… 2.     The Big Comparision આ વિશ્વમાં અસંખ્ય પદાર્થો છે…..નાના અણું થી લઈને બ્રહ્માંડના અનેક તારા મૈત્રકો અને ગેલેક્સી સુધી અનેક વસ્તુઓ પોતપોતાના પરિમાણમાં પોતાના આકાર અને પ્રકાર પ્રમાણે જુદી જુદી છે. આ વેબસાઈટ તમને બતાવે છે કે આ વિશાળ બ્રહ્માંડમાં માણસ ક્યાં છે…..આપણું આ જગતમાં સ્થાન અને આપણાથી નાની અને મોટી તમામ વસ્તુઓ…..ઈન્ટર એક્ટીવ વેબસાઈટસમાં જોયેલી સૌથી સરસ વેબસાઈટ……ખરેખર સરસ ચિત્રો અને સુંદર માહિતિ…..ગેલેક્સી થી લઈને નાના અણું અને પરમાણું સુધી બધી વસ્તુઓ…..જોશો તો જ માણશો… 3.    The interactive Stuff you like ઈન્ટરનેટ પર કેટલીક સરસ ૩ડી એટલેકે ત્રિપરિમાણીય વસ્તુઓ ના ઉપયોગ કે મજા માટે વાપરતી પૌલ નીવ ની આ વેબસાઈટ ખરેખર ખૂબ સરસ છે, ઉપર જમણી તરફ આપેલા મેનુમાં એક એક વસ્તુ એક એક નવો સંસાર ખોલી આપે છે…..દા. ત્. જો તમારી પાસે છોટા ચેતન વખતના ત્રિપરીમાણીય ચશ્મા હોય તો આ વેબપેજ તમારા જોવા માટે છે. જો […]


વૃદ્ધોની સેકન્ડ ઈનીંગ્સ – વડોદરા ન્યૂઝમાં છે…

વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે…….આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે… મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે…. ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા. લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું….આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે…?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે….હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે […]


અમરનાથ યાત્રા અને રાજકારણ

બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં? આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]


બિથોવન અને એની મૂનલાઈટ સિમ્ફની

વેનીસના ઓપેરા હાઊસ માં બિથોવન નો ઓપેરા હતો વેનિસ શહેરમાં તેનો જોરશોરથી પ્રસાર થયો હતો અને તેના શો ની બધી ટીકીટ ખૂબ મોંઘી હોવા છતાં વેચાઈ ગઈ હતી. બિથોવન અને તેમના મિત્ર ઓપેરા ના આગલા દિવસની સાંજે વેનિસ શહેરની ગલીઓ માંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ ફરવા નીકળ્યા હતા. ગલીઓમાંથી ચાલતા ચાલતા અચાનક તેમને એક ઝૂંપડામાંથી સંગીતનો મધુર ધ્વનિ સંભળાયો. બિથોવન તો જાણે સંગીત માટે જ સર્જાયેલા હતા. તેમના પગ આપમેળે તે ઝૂપડા તરફ ઉપડ્યા. ત્યાં જઈને તેમણે જોયું તો એક છોકરો ઝૂંપડામાં બેઠેલો હતો અને તેની બહેન વાજીંત્ર વગાડતી હતી. તેના સુરો ખરેખર ખૂબ સુંદર હતા. છોકરાએ બિધોવનને જોઈને પૂછ્યું કે તે કોણ છે. પેલી છોકરીની એકાગ્રતા તૂટી અને તેનું સંગીત બંધ થયું. બિથોવન બોલ્યા કે અમે સંગીત પ્રેમી છીએ અને તમારૂ સુંદર સંગીત સાંભળીને આ તરફ આવી ચડ્યા છીએ. તેણે આસપાસ નજર કરી તો ગરીબી ચારે તરફ પ્રસરેલી હતી. બંને ભાઈ બહેન ના કપડા અસ્ત વ્યસ્ત હતા, ફાટેલા તૂટેલા અને ચિંથરેહાલ હતા. અને સૌથી આશ્ચર્યની વાત તો એ કે પેલી છોકરી અંધ હતી. બિથોવને તેમને કહ્યું કે તમે મને હજી સંગીત નો સ્વાદ લેવા દો. પેલી છોકરીએ વગાડ્યું અને તેણે બેઠા બેઠા સાંભળ્યા કર્યું. થોડી વાર પછી તેણે પેલી છોકરીના હાથમાં થી વાજીંત્ર લઈ લીધું અને વગાડવાનું શરૂ કર્યું. થોડીક જ વારમાં પેલી છોકરી તેને ઓળખી ગઈ, ખુશીના માર્યા તે ઊછળી પડી.”તમે બિથોવન છો ને?” તેણે પૂછ્યું. તેનો ભાઈ પણ બિથોવન ને જોઈ ખુશ થઈ ગયો.”તમારા ઓપેરા માં આવવા માટે મારી બહેન ખૂબ જીદ કરતી હતી પણ એ એક ટીકીટ અમારી જીવનભરની કમાઈ થી ય ક્યાંય વધારે છે…”તેણે મજબૂરી ભર્યા સ્વરે કહ્યું. બિથોવન કહે “હવે હું અહીં છું ને……આજે અહીં જ તમને […]


વિલિયમ્સ બહેનો અને ટેનીસ

વિલિયમ્સ બહેનો કેમ ટેનીસ માં સફળ છે? ટેનીસ મારી ફેવરીટ ગેમ છે, ક્રિકેટ અને બાસ્કેટ બોલ ને બાદ કરતા ટેનીસ જોવુ જોવુ ખૂબ ગમે છે. માર્ટીના હિંગિસ, સ્ટેફી ગ્રાફ અને નવરાતીલોવા મારી ફેવરીટ પ્લેયર હતી. પણ ટેનીસ જગતમાં સામ્રાજ્ય તો વિલિયમ્સ બહેનો, સેરેના અને વીનસ વિલિયમ્સનું જ ચાલે છે. એક એક્સપર્ટે કહ્યુ હતુ કે આ બંને બહેનો તેમના સમયની બીજી કોઈ પણ ખેલાડી કરતા મજબૂત, ઝડપી અને ચપળ છે. પણ આ બધા પાછળ સૌથી મોટો હાથ તેમના પિતા નો છે જેના વગર આ બધું શક્ય ન હોત. રિચર્ડ અને ઓરાસીન વિલિયમ્સ પરણ્યા ત્યારે રિચર્ડે તેની પત્ની ને કહ્યું કે તેને પાંચ પુત્રી જોઈએ છે. તેણે ૧૯૭૮માં એક ખેલાડીને ટેનીસ માં ૨૦,૦૦૦ ડોલર જીતતા જોઈ અને તેણે નક્કી કર્યુ કે તેની પુત્રીઓ ટેનીસ ખેલાડી બનશે. પણ તેની ત્રણ પુત્રીઓ આમાં જરાય રસ ન લેતી. ૧૯૮૦માં જન્મ થયો વીનસ નો અને ૧૯૮૧ માં સેરેના નો, હવે તેમને પાંચ પુત્રીઓ હતી અને ટેનીસ રમાડવા માટે બે ઓપ્શન્સ. રીચાર્ડ વિલિયમ્સ પૈસાદાર માણસ ન હતો. તેને તેની શાળા માં થી સોળ વર્ષેની વયે નીકળી જવુ પડ્યુ હતુ. તેની પત્ની સાથે તેણે કોમ્પટન, કેલીફોર્નીયા માં રહેવાનું શરૂ કર્યુ. આ વિસ્તાર પરિવાર સાથે રહેવા માટે જરાય લાયક ન હતો આ એક જોખમી પગલુ હતું, પણ ટેનીસ કોર્ટ ખરેખર આવા વિસ્તારોમાં જ હતા. રિચાર્ડ પોતે પહેલા ટેનીસ રમતા શીખ્યો, અને પછી તેની પુત્રીઓ જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે તેમને પણ ટેનીસ રમાડવાનું શરૂ કર્યુ. બંને છોકરીઓ ટેનીસ રમવામાં સારી હતી, વીનસ ન્યુયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દસ વર્ષની ઉંમરે આવી. તે સાઉથ કેલીફોર્નિયામાં બાર વર્ષની નીચેના ખેલાડીઓમાં નંબર એક ખેલાડી બની ગઈ […]


ઈજીપ્ત અને મમીકરણ 6

ઈજીપ્ત અને મમીકરણ પુરાતનકાળના ઈજીપ્તવાસીઓ ઘણા બધા ભગવાન માં માનતા હતા. તેઓ માનતા કે તેમના રાજા “ફારોહ” પણ ભગવાન છે. (ઈજીપ્તમાં રાજા ને ફારોહ કહેવાતા) તેઓ માનતા કે રાજા “ફારોહ” મરી જાય પછી પણ તેમની સહાયતા કરે છે. આ કારણ થી ફારોહ મરી જાય પછી પણ તેના મૃત્યુ પછીના સુંદર જીવન માટે તેઓ કામના કરતા, અને આ મૃત્યુ પછીના સુખી જીવન માટે તેના શરીર ને જાળવવાની પ્રથા શરૂ થઈ. ઈજીપ્તવાસીઓ માનતા કે ફારોહ ની આત્મા માટે તેના શરીર ને ઓળખવુ જરૂરી છે. તેથી તેના શરીરને તેઓ જાળવતા, આ પ્રક્રિયાને લીધે તેઓ એ મમીઝ બનાવવાનું શરૂ કર્યુ. ફારોહ ના મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના શરીર પર પોતાના માણસો સાથે કામ શરૂ કરતો. તેઓ શરીરના કેટલાક અંગો કાઢી લેતા પણ હ્રદય ને શરીર માં જ રાખતા. આ કાઢેલા અંગોને તેઓ ખાસ બરણીઓમાં રાખતા. પછી તેઓ આ બરણીઓને ફારોહ ના શરીર સાથે શરીર રાખવા માટે ની બનાવેલી ખાસ જગ્યા માં શરીરની આસપાસ મૂકતા. પછી તેઓ “બ્રેઈન” કાઢી ને ફેંકી દેતા. તેઓ માનતા કે મગજ નકામુ છે. શરીરની ચામડી પર તેઓ એક ખાસ પ્રકારનું મીઠું ઘસતા, જેથી શરીર ઝડપથી સુકાઈ જાય. આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી, પછી તેઓ શરીરમાં કપડા અને રેતી ભરી દેતા. શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતા પછી તે શરીરને ખૂબ મીણ લગાડીને તૈયાર કરતા. મીંણ માટે નો અરેબિક શબ્દ છે મમ એટલે આ રીતે તૈયાર થયેલા શરીરને મમી કહેવાની પ્રથા પડી. આ રીતે તૈયાર થયેલા શરીરને તેઓ ખૂબ કપડામાં લપેટતા. આ કપડાને એક બીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા. આમ સીતેર દિવસે મમી તૈયાર થઈ જાય પછી મૂત ફારોહ […]


એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી

હું એક પુત્રી નો પિતા છું અને એના જન્મ થી આજ દિવસ સુધી અમારા ઘરના લોકો નો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે તેના વગર રહી શકીએ…તેના કલબલાટ અને તેના તોતડા શબ્દો ને સાંભળ્યા વગર ચલાવી શકીએ. બાળક ના જન્મ થી તેના અસ્તિત્વની આસપાસ પોતાના સ્વપ્નો અને મહેચ્છાઓનું જગત બનાવનારા માતાપિતા ને કોઈ એક દિવસે અચાનક જ તેમના બાળક થી છુંટું પડી જવાય તો શું થાય? શું તમે કોઈ એવા માતા પિતા ની કલ્પના કરી શકો છો જેમનો લાડલો કે લાડલી આ દુનિયાની અથાગ ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા હોય? મને મારી પુત્રી થી છુટા પડવાના વિચારે જ કંપારી અપાવી દીધી. હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિ ની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે??? આવા ખોવાયેલા બાળકોને શોધવા માટેની એક લડત કહો કે પ્રયત્ન એટલે નેશનલ સેન્ટર ફોર મિસિંગ કિડ્સ. એક મિત્રના ઈ મેઈલ થી મને આ સંસ્થા અને તેની પ્રવૃતિઓ વિશે જાણ થઈ. આ પ્રયત્નો ને બિરદાવવા સાથે આપણે તેમને હાથ આપવાની જરૂર છે. બાળકો ને શોધવા અઘરી વસ્તુ છે….પણ અશક્ય નથી. એવા માતા પિતાના મન થી વિચારો જેમનું બાળક ખોવાયું છે….. સુરેશ દાદાએ મારા બ્લોગની પોસ્ટ ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ, ના કોમેન્ટ માં લખ્યુ હતુ કે “ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. […]


બ્લોગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 8

પાંચ દિવસના પ્રવાસ અને બ્લોગવિહિન જીવન પછી આજે પાછો આપની સમક્ષ હાજર છું. પ્રવાસ ઘણો સરસ રહ્યો. મુંબઈને પલળતા પલળતાંય ધબકતુ જોયું, કહો કે માણ્યું. જીવનની ગતિ ત્યાં કદી રોકાતી નથી. હજી તો વરસાદ ની શરુઆત છે પણ ત્યાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. (ન)કરેલા કામ ના બગણા ફૂંકવામાં આપણા વહીવટદારો કદી પાછા પડતા નથી, અને પોતે ન કરેલા કામ ની ક્રેડીટ લેવાનું ય તેઓ ચૂકતા નથી, જેમ બૃહદમુંબઈ મહાનગરપાલીકા કહે છે કે આ વખતે વરસાદને નાથવા તેમનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જોરદાર છે. આગળ આગળ આ વાત ની હકીકતો પણ ખબર પડશે….પણ અત્યારે તો પાણી ભરાવાનું શરૂ થઈ ગયુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જરૂરત તો હજી પણ એક જગ્યાએ મને લાગે છે. આ પાંચ દિવસની રજા પછી આવીને પહેલો જે ઈ મેઈલ મેં જોયો તે એક મિત્રનો જેમણે મને સૂચિત કર્યો હતો કે મારી એક પોસ્ટ કાના માતરના ય ફરક વગર કોપી કરીને કોઈ પણ જાતની ક્રેડીટ વગર કે જે પોસ્ટ પર થી કોપી કરી છે તેની લીંક વગર મૂકાઈ રહી છે. http://adhyaru.wordpress.com/2008/04/04/new-kind-of-sholay/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/06/13/sholay-v2/ આવી જ ઘટનાઓ પહેલા પણ બનેલી પણ મેં એમ માની ને ચલાવ્યુ કે હશે….ક્યારેક કોઈક શિષ્ટાચાર ચૂકી જાય છે…. http://adhyaru.wordpress.com/2008/05/16/the-fake-dreams-of-husband/ કોઈ પણ જાતની ક્રેડીટ વગર મૂકાઈ છે…http://dhavalrajgeera.wordpress.com/2008/05/16/gujarati-fun/ http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ કાના માતરના ફરક વગર અને કોઈ પણ ક્રેડીટ વગર મૂકાઈ છે…http://gujaratikavita.wordpress.com/2008/05/27/apraisal/ વળી એમનું કહેવુ છે …. ” hello sir, here is ur comments………. “Please give credit to atleast the original post from where you have copied it dear….the original post is at http://adhyaru.wordpress.com/2008/05/24/appraisal/ It is a custom in blog world and […]