Yearly Archives: 2010


આ-બૈલ ના કસ્ટમર કેરમાં – જીજ્ઞેશ અધ્યારૂ 2

મોબાઈલ અજબની વસ્તુ છે. ફક્ત બે માણસોને નહીં, બે વિચારધારાને, બે પેઢીઓને જોડતી એ અનેરી કડી થઈ રહી છે. સંદેશાવ્યવહાર ઉત્ક્રાંતિની શરૂઆતમાં પેજર આવ્યા, જે વચેટીયા જેવા હતાં, પણ ટૂંક સમયમાં એ પ્રજાતિ નામશેષ થઈ ગઈ. પછી મોબાઈલ આવ્યા, અને છવાઈ ગયા, તેમની નવી નવી જાતો ઉત્તરોત્તર વિકસતી રહી, આજે કોમ્પ્યુટરનું કામ સુધ્ધાં કરી આપતા મોબાઈલ ઉપલબ્ધ છે. સંદેશ પહોંચાડવાના મૂળભૂત કાર્યની સાથે અનેક અન્ય સુવિધાઓ પણ એમાં મળી રહે છે. મોબાઈલ સુવિધાઓનો હજુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને પૂરતો પરિચય નથી. આવા જ કોઈ ગામઠી મિત્ર કસ્ટમર કેરમાં ફોન કરે તો શું કરી શકે તેવી સંભાવનાઓ સભર વાર્તાલાપ કેવો હોય? હજુ આવા સરળ લોકો આપણી નજીક વસે છે એ પણ એક હકીકત છે.


રાઘવનના સહકાર્યકરો – ધીરુબહેન પટેલ 6

પ્રસ્તુત વાર્તામાં મદ્રાસથી મુંબઈ નોકરી કરવા આવેલો રાઘવન સહકાર્યકરોથી અતડો રહી, પોતાના કામમાં મશગૂલ રહેતો હતો. આ કારણે એ શેઠનો માનીતો બન્યો, પણ સહકાર્યકરોમાં અપ્રિય બન્યો. સૌની મજાક-મશ્કરીનું પાત્ર બન્યો. રાઘવનના અતડાપણા પાછળ ને કામના ઢસરડા પાછળ એની ગરીબાઈ, કૌટુંબિક જવાબદારી અને કૉલેજનો અભ્યાસ પૂરો કરવાનું ધ્યેય કારણભૂત છે, એવું સાથીઓને જ્યાં સુધી સમજાયું નહિ ત્યાં સુધી રાઘવન અને એના સહકાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. પણ રાઘવનની ગંભીર માંદગીના પ્રસંગે રાઘવનને તેનાં સાથી પ્રેમ અને સહાનુભૂતિનો તો એ સાથીઓને રાઘવનની ગરીબીમાં પણ ટકી રહેલી અભ્યાસની ધગશનો ખ્યાલ આવે છે. સમજણની આ ભૂમિકા બંધાયા પછી અંતર ઘટી જાય છે. હદયની એકતા સ્થપાય છે. આપણે જુદા જુદા પ્રાંતના રહેવાસીઓ હોઈએ તો પણ એક જ રાષ્ટ્રના નાગરિક છીએ એવો રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ વાર્તામાં રહેલો છે.


વરસ પૂરું થવામાં છે – મહેશ શાહ 3

દીવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો પોતાના ઘરની, ખૂણે ખાંચરેથી સફાઈ કરે છે, પણ મનમાં મેલના થર જામેલા જ રહે છે, એવી સફાઈનો શો અર્થ? એક તહેવાર ઉજવવા માટેના અવસરમાં વધારો ન કરે તો તેવા તહેવારનો એક સામાન્ય દિવસથી વધુ ઉપયોગ કેવો થઈ શકે? આ જ ભાવની વાત પ્રસ્તુત ગઝલમાં શ્રી મહેશ શાહ ખૂબ સુંદર રીતે કરી જાય છે. ‘વરસ પૂરું થવામાં છે’ જેવો સુંદર કાફિયા વાપરવાથી ગઝલ સાંગોપાંગ સુંદર અને માણવાલાયક રચના થઈ છે.


(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની 12

“માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય, માણસામાંથી ગુજરાત નીકળતું નથી.” એમ કહેનારા હરનીશભાઈ જાની ભલે અમેરિકા વસે છે, પરંતુ તેમના સર્જનોને એવી કોઈ સરહદો બાંધી શક્તી નથી. શ્રી રતિલાલ બોરીસાગર તેમના માટે કહે છે તેમ, “સંવેદનશીલતા, સર્જકતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ ધરાવતા ત્રિગુણમૂર્તિ સર્જક એટલે હરનીશ જાની. એમના લોહીમાં હાસ્ય ઘોળાયેલું છે, એટલે હાસ્યના ઉપલક્ષ્યમાં લોહીની તપાસ થાય તો તેમનું ગ્રૃપ H Positive નીકળે.” તેમની હાસ્યવાણી એક અમેરીકન ગુજરાતીની પ્રેમાળ, સંવેદનશીલ મજાક સાથે શિષ્ટ મિષ્ટ હાસ્યરસ સતત પીરસતી એક અમેરીકન ગુજરાતીની દ્રષ્ટિ છે, અને એક ગુજરાતી અમેરીકનનો દ્રષ્ટિકોણ. આજે તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ માંથી પ્રસ્તુત રચના અહીં સાભાર લીધી છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૨ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ વિશેની આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’, શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’ અને શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ એ પુસ્તકો વિશે આપણે જોયું. આજે ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, અને શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ. આવતા અંકોમાં શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.


કસર તો રહી છે – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલ) 5

જીવનમાં આવી, પોતાની આગવી અસર અને પ્રભાવ મૂકીને જતા રહેનારા, જીવનભર જુદાઈનો અભિશાપ આપી જનારા પ્રિયપાત્રને તેના પ્રિયતમનો સંદેશ કેવો હોઈ શકે? તે દ્રષ્ટિપટમાં નથી, તે સ્મરણોના રણમાં ઝાંઝવાસમ ભાસે છે, પણ છતાંય નિષ્ફળ પ્રેમની અભિલાષા તો જુઓ, એ હજુય એમ વિચારીને જીવે છે કે એમને પણ અમારી કસર ક્યાંક તો વર્તાતી જ હશે ને? તેમની નજરમાં પણ આપણા માટે થોડીક ફિકર ક્યારેક તો આવી હશે ને. મૃગજળોમાં જીવતા અભિપ્સાના હરણાંને તરફડતું મૃત્યુ જ મળે એમાં શી નવાઈ? એટલે અંત અવશ્યંભાવી હોવા છતાં વિચારોના મહેલોમાં વિહરનારાના મનોભાવોનું થોડુંક પ્રદર્શન પ્રસ્તુત ગઝલના માધ્યમથી કરવાનો પ્રયત્ન કર્યો છે.


પ્રેરણા પુષ્પો – સંકલિત 4

“આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થઈ રહ્યું” જેવી ધ્રૃવપંક્તિ જેના શીર્ષપૃષ્ઠ પર અંકિત છે એવા અમદાવાદના શ્રી શંકરભાઈ લ. પટેલ દ્વારા સંકલિત સુંદર બોધપ્રદ અને ચોટદાર ટૂંકા પ્રસંગો અને મરમી વાતો સાથેનું પુસ્તક”પ્રેરણાનું પુષ્પ” પુષ્પ – ૨, એક શુભેચ્છક દ્વારા મને ભેટ મળ્યું. ઘણાં વખતે અનેક પુસ્તકોની વચ્ચેથી જેના વિધાનો સીધી અસર કરે એવું કોઈ પુસ્તક વાંચીને ખૂબ આનંદ થયો. એ જ પ્રેરણાદાયી પુસ્તકમાંથી અત્રે કેટલાક પ્રેરણાપુષ્પો લીધાં છે. દરેકે દરેક પુષ્પની આગવી સુવાસ, પોતાની સુંદરતા અને સંદેશ છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – ૧૨ 3

શૃંખલાની અન્ય કડીઓની જેમ જ આજે પ્રસ્તુત છે કેટલીક ઓછી જાણીતી પરંતુ સુંદર અને / અથવા ઉપયોગી વેબસાઈટસ. અહીં કળાને વહેંચવા, માણવા અને પ્રોત્સાહન આપવાની કોશીશ કરતી વેબસાઈટ છે તો ચિત્રો અને ગણિતિય સંજ્ઞાઓ / આલેખોથી સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરતી વેબસાઈટ પણ છે, બાયોડેટા બનાવવાની અને વહેંચવાની ઓનલાઈન અને મફત સગવડ આપતી વેબસાઈટ છે તો પ્રેરણાત્મક પોસ્ટરો અને અન્ય સાધનો પર તેની પ્રિન્ટ આપતી વેબસાઈટ પણ છે. આપને આ શૃંખલા કેવી લાગે છે, અહીં આપને કયા પ્રકારની વેબસાઈટ વિશે જાણવું ગમશે?


સર્વે નંબર ૭ – જીજ્ઞેશ અધ્યારૂ (ટૂંકી વાર્તા) 11

આ એક ટૂંકી વાર્તા છે જેનું મૂળ એક સત્યઘટનારૂપી નાનકડા બીજમાં પડ્યું છે, ને વાર્તાની અન્ય કલ્પનાઓ મારી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય રીતે સર્જાતી ઘટનાઓ અને રૂઢીઓથી ચાલતી આવેલી માન્યતાઓને આજના ઉપલક્ષ્યમાં, શહેરીકરણ અને ઔદ્યોગીકરણના ઓછાયા હેઠળ શબ્દાંકીત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સિવાય આ વાત માટે બીજુ કાંઈ કહેવાપણું રહેતું નથી.


હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી…. 9

ગીરના જંગલોની વચ્ચેથી, અનેક વહેળાઓને પોતાનામાં સમાવતી, સર્પાકારે, ક્યાંક ગહન તો ક્યાંક આછરતી વહેતી હીરણ નદી ગીરના જીવનનું એક જીવંત પાત્ર છે. ઉનાળામાં તેના પટની પાસે બેસીને નેસના મિત્રો સાથે કરેલી અનેક અલકમલકની વાતો અને ચોમાસામાં તેમાં નહાવાનો લીધેલો આનંદ એ બધુંય એક અનોખો અનુભવ છે. કવિદાદની પ્રસ્તુત રચના આ હીરણ નદીને અપાયેલી કદાચ સૌથી ઉચિત બિરદાવલી હોઈ શકે. મને યાદ છે લીલાપાણી નેસમાં કાનાને કંઠે ગવાયેલી આ બિરદાવલી શોધવાની મસમોટી ઈચ્છા ત્યારે તો પૂરી નહોતી થઈ, એ શ્રી ધ્રૃવ ભટ્ટ સાહેબની ગીરમય નવલકથા ‘અકૂપાર’માં મળી આવી. જેણે આ રચના હીરણને કાંઠે બેસીને કોઈક નિર્લેપ મનુષ્યના કંઠે લલકારીને ગવાતી નથી સાંભળી એણે એક અનેરો આનંદ ગુમાવ્યો છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૧ – શહીદે ગઝલ (ગઝલ વિશેનાં પુસ્તકો) 2

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ ગતાંકથી શરૂ થયેલી આ શૃંખલા અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જોયું. આજે શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’ વિશે શહીદે ગઝલના વિવિધ અંકોમાં પ્રગટ થયેલા અવલોકનો જોઈએ.


રઢિયાળી રાતના ૭૦ રાસ-ગરબા (ઈ પુસ્તક ડાઊનલોડ) 8

75મી મેઘાણી જયંતિના અવસરે 1972માં ‘રઢિયાળી રાતના રાસ’ નામની 35 લોકગીતોની પુસ્તિકા બહાર પડી, તેની હજારો નકલોનો ફેલાવો થયો. એ પુસ્તિકાનું આ ઈ-પુનર્મુદ્રણ કરવાની તક અક્ષરનાદને મળી તે બદલ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીને યશ આપવો રહ્યો. તો એને ટાઈપ કરીને મોકલવાની સઘળી મહેનત વાપીના ગોપાલભાઈ પારેખની એટલે આ પ્રક્રિયાના ધારક તેઓ છે. તો અક્ષરનાદના સંપાદક અને મારા પત્નિ પ્રતિભા અધ્યારૂને એમાં સુધારા – વધારા અને ગોઠવણી તથા ઈ પુસ્તક સ્વરૂપ આપવા બદલ અભિનંદન પાઠવવા કદાચ પોતાને થાબડ્યા જેવું થાય. આ રઢિયાળી રાતના રાસ સાથે અન્ય કેટલાક પ્રચલિત ગરબાઓ, વિશ્વંભરી સ્તુતિ અને જય આદ્યાશક્તિ આરતી સાથે કુલ ૭૦ નો આંકડો પહોંચ્યો છે. આશા છે ભાવકોને આ ગરબા – રાસનું ઈ-પુસ્તક ગમશે.


બે ઉર્દૂ ગઝલો – અહમદ ફરાઝ 6

અહમદ ફરાઝ પાકિસ્તાનની આજની પેઢીના અગ્રણી શાયર, પાકિસ્તાનની તત્કાલીન પરિસ્થિઓની મજબૂરીને લીધે ૧૯૮૩ પછી પાકિસ્તાન છોડી લંડન સ્થિર થયેલાં, ઉર્દુ ગઝલિયતના એક અનોખા ધારક, વાહક અને ચાહક. તેમની ગઝલોમાં પ્રેમ અને વિરહની વાતોની સાથે ક્યારેક અધ્યાત્મના ચમકારા અને સૂફી સાહિત્યની અસર પણ ઝળકી જાય છે. તેમની એક ખૂબ સુંદર ગઝલ જેને મહેંદી હસનનો સ્વર મળેલો અને જે ખૂબજ લોકપ્રિય થયેલી એ, “રંજિશ હી સહી, દિલ કો દુઃખાને કે લીયે આ” અત્રે પ્રસ્તુત છે. એની સાથે મહેંદી હસનના જ સ્વરમાં ગવાયેલી આ સુંદર ગઝલનો વિડીયો. અને તેની સાથે તેમની એવી જ બીજી સુંદર ગઝલ “અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોમેં મિલેં”.


લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ 1

ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે. આવી જ એક અનોખી જીવન બચાવ ઝુંબેશ અનેક રાજ્યોના હાઈવે પર ચલાવી રહેલા ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ શ્રીમતી સુસ્મિતા દાસના અનોખા કાર્યની વાત આજે પ્રસ્તુત છે.


ત્રણ ગઝલો – અમિત પંડ્યા 5

શ્રી અમિત પંડ્યાની અત્રે પ્રસ્તુત ત્રણ ગઝલો ભિન્ન વિષયાસ્વાદની અનુભૂતી કરાવે છે, એ ત્રણેય રચનાઓની પોતપોતાની આગવી ખૂબી છે, ત્રણેયના શીર્ષકો પણ એવાં જ ભિન્ન છે. ત્રીજી રચનામાં એક કૂતરાની વાત થઈ છે, જો કે એ વિશેષણ કોના માટે વપરાયું છે એ ભાવકો સુપેરે સમજી શકે તેમ છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી અમિત પંડ્યા (ઘાયલ બીજો) નો ખૂબ ખૂબ આભાર.


જીવરામ ભટ્ટ જમવા બેઠા – દલપતરામ 8

‘મિથ્યાભિમાન’ નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.


ચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૦ – શકીલ કાદરી (ગઝલ વિશેનાં પુસ્તકો)

ગઝલ છંદો અને તેના વિવિધ રૂપો, ગઝલની મૂળભૂત સંરચના વગેરે વિશેની ચર્ચા આપણે આ શૃંખલાની આ પહેલાની કડીઓમાં કરી. ગુજરાતી ગઝલના અરૂઝનાં અનેકવિધ પુસ્તકો વિશેની છણાવટ આજથી શરૂ થઈ રહેલી આ શૃંખલા અંતર્ગત ત્રણથી ચાર ભાગમાં વિભાજિત થશે. આજે આ અંતર્ગત શ્રી રણછોડભાઈ ઉદયરામની ‘ફારસી કવિતા રચના’, ઝાર રાંદેરી કૃત ‘શાઈરી ભાગ ૧-૨’ અને જમિયત પંડ્યા ‘જિગર’ કૃત ‘ગઝલનું છંદશાસ્ત્ર’ એ ત્રણ પુસ્તકો વિશે આપણે જાણીશું. આવતા અંકોમાં શ્રી શકીલ કાદરીનું ‘ગઝલનું પિંગળશાસ્ત્ર’, શ્રી નઝર ગફૂરીનું ‘છંદસમજ ગઝલસહજ’, શ્રી જિતુ ત્રિવેદીનું ‘સમજીએ ગઝલનો લય’, શ્રી આશિત હૈદરાબાદીની પુસ્તિકા ‘ગઝલ શીખવી છે?’, ડૉ. રઈશ મનીઆર કૃત ‘ગઝલનું છંદોવિધાન’, ડૉ. પ્રફુલ્લ દેસાઈ કૃત ‘ગઝલ શીખીએ’, શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન કૃત ‘ગઝલ વિમર્શ’, પ્રો. સુમન અજમેરી કૃત ‘ગઝલ – સંરચના અને છંદવિધાન’ અને શ્રી ગુણવંત ઉપાધ્યાયનો વિવેચનગ્રંથ ‘ગઝલગ્રાફ’ એ પુસ્તકો વિશે ટૂંકી ચર્ચા કરીશું.


સ્વજનની વિદાય વેળાએ – કુન્દનિકા કાપડિઆ 6

મારા પત્નિ અને અક્ષરનાદના સંપાદનમાં મદદગાર પ્રતિભા અધ્યારૂના પપ્પાના મૃત્યુ વખતે વાપીના શ્રી ગોપાલભાઈ પારેખે આ સંદેશ મોકલ્યો હતો, ટેલીફોન પર લાઈવ સંભળાવેલો અને પછી ઈ-મેલ મારફત મળેલ. એ દિવસ અને સમય મને હજુ પણ તાજા દૂઝતા ઘા જેવો યાદ છે. પરિવારને પડેલી ખોટ તો પૂરી શકાતી નથી, પરંતુ આવા સ્વજનોની મદદ અને સાંત્વના જ ખરો સહારો અપાવે છે, હિંમત બંધાવે છે. એ પ્રાર્થના આજે અત્રે પ્રસ્તુત છે.


એકત્વ (બે ગઝલો) – દાન વાઘેલા 2

ભાવનગરના શ્રી દાન વાઘેલાની રચનાઓ ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં સમયાંતરે માણવા મળતી રહે છે, અને પ્રથમદર્શી રીતે તેઓ પ્રેમીઓના કવિ જણાય છે, પણ ના ! પ્રસ્તુત ગઝલો તેમની સત્વશીલ મરમી વાતોને વાચા આપવાની હથોટીનો સબળ અને સક્ષમ પુરાવો છે. આપણી ભાષામાં આ પ્રકારની રચનાઓની ચર્ચા ખૂબ જ થાય છે, પરંતુ તેમાં રહેલા સત્વને માણવાનું આવી ચર્ચાઓમાં રહી જાય છે. ગઝલનું આવું સૌંદર્ય માણવા મળે એ આપણું સદભાગ્ય જ કહેવાય ને!


સંક્ષેપીકરણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો 4

સંક્ષેપીકરણ કરવાની જરૂરત કયારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈ ત્યારે આ સવાલ થયેલો. જો કે લેખકની વાતને, તેની અભિવ્યક્તિને અને તેણે પૂરી પાડેલી માહિતિને ટૂંકી કરવાની જરૂર પડે, અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિષય વિશે આટલું સમજવું અને સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ.


ન હું ઝાઝું માગું – સુંદરજી બેટાઈ 1

પ્રભુ પાસે ભૌતિક સુખસગવડો મળે તેવી ઈચ્છા ન કરતાં જીવન જીવવાનું – દુઃખો સહન કરવાનું નૈતિક બળ મળે તે પ્રકારની માગણી કવિ કરે છે. હ્રદયમાં પડેલા ઘાવને મૌન બનીને સહન કરવાનું, કવિને શત્રુ માનતા વ્યક્તિઓ પ્રત્યે પણ હૈયામાં ઝેરનો ફણગો વૃક્ષ બનીને ન વિસ્તરે તેમજ ભલે જીવનમાં સફળ ન થવાય, પણ કોઈના હ્રદયબાગને નષ્ટ કરવાનું ન થાય – તે પ્રકારનું પ્રેમ અને કરુણાભર્યું જીવનબળ મળે તેવી કવિ માગણી કરે છે. હ્રદય અભિમાન ન કરે, મન ખોટા તર્ક વિતર્ક ન કરે, જીવન અગરબત્તીની જેમ બળીને સુગંધ પ્રસરાવે અને છેલ્લે મરણ પછી પણ પોતાના શરીરની રાખમાંથી જન્મભૂમીનું ખાતર બને એવી અભિલાષા કવિ રાખે છે. અહીં, “ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું” દ્વારા માંગણીના ભાવને વારંવાર ઘૂંટીને ભારપૂર્વક રજૂ કરી “બસ સહનનું એવું બલ દે” – એ પંક્તિ દ્વારા સંજોગોના શ્રદ્ધાભર્યા સ્વીકારના ભાવને ઉપસાવે છે.


તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! – સુરેશ દલાલ 7

તારે અનંતકાળ માટે મને ચાહવી પડશે! પ્રત્યેક સ્ત્રીમાં એક મીરાં હોય છે. મીરાં એટલે અનન્ય ભક્તિ. અદ્વિતિય નિષ્ઠા. મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ. આપણ કહે છે કે માત્ર મારે થવું તારા પ્રિય પાત્ર. હું અને તું, તું અને હું. આપણે બંને – ત્રીજું કોઈ નહીં. સમજાય એવી વાત છે કે જેને ઉદ્દેશીને આ કાવ્ય લખાયું છે એ વ્યક્તિ હયાત નથી. શારીરિક રીતે હયાત નથી, પણ પોતાના અસ્તિત્વમાં તો એના સિવાય કોઈ નથી. મરણ સાથે વ્યક્તિ મરે છે. પ્રેમ મરતો નથી. સાચો પ્રેમ માણસને દુર્બળ અને અસહાય નથી બનાવતો, પણ એને સબળ બનાવે છે. આવા સુંદર ચિંતન સાથેનો અનેરો પ્રેમાળ નિબંધ.


STOP PRESS – ગર્વ લેવા જેવા નોખા ભારતીયની અનોખી વાત 13

એક ખૂબ જ અગત્યની અને આપની એક નાનકડી મદદ માંગતી વાત, એક ભારતીયને, એના અનોખા કામને એક નામ અને મદદ અપાવવાની વાત. એક ભારતીયના સદભાવનાના, સમાજોપયોગી કામને આખાય વિશ્વમાં ઓળખાણ અપાવવાનો, એના કામમાં મદદ કરવાનો અનેરો ઉત્સવ અને અવસર. આજનો આ લેખ અવશ્ય વાંચશો.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૯ – ગૌરાંગ ઠાકર (ગઝલ આસ્વાદ) 9

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે ગઝલના આસ્વાદની વાત કરીએ. ગઝલનો પૂરેપૂરો આનંદ પામવા તેની સાચી સમજણ અને તેમાં વપરાયેલા વિવિધ પ્રતીકો અને કવિકર્મની સમજ મેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિભાવંત ગઝલકારોની અનેક પેઢીઓ જોઈ ચૂકેલા સૂરત શહેરના હાલનાં અગ્રણી ગઝલકારોની પંગતમાં બેસે તેવું એક જાણીતું નામ એટલે શ્રી ગૌરાંગ ઠાકર. ગઝલના ચાહકોમાં તેમના બંને ગઝલસંગ્રહો, “મારા હિસ્સાનો સૂરજ ” અને “વહાલ વાવી જોઈએ” પ્રસંશા પામ્યા છે, તેમની રચનાઓમાં પરંપરાનું અનુસરણ છે, તો પ્રયોગશીલતા તેમની ગઝલોની જીવંતતા છે. ભાવ ઉર્મિઓની અનેરી અભિવ્યક્તિ સાથે સાથે અધ્યાત્મિકતાનો રંગ પણ તેમની ગઝલોમાં જોવા મળે છે. અક્ષરનાદની ચાલો ગઝલ શીખીએ શ્રેણી માટે આજનો આ આસ્વાદ લેખ શ્રી ગૌરાંગ ઠાકરે ખૂબ જ સ્નેહપૂર્વક તૈયાર કરી આપ્યો તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો પડે.


ચાહવાની સજા (ટૂંકી બહેરની ગઝલ) – જીજ્ઞેશ અધ્યારૂ 6

લગાગા નાં બે આવર્તન વાળી ટૂંકી બહેરની ગઝલ રચનામાં આ પ્રથમ પગરવ છે, એક પ્રેમી પ્રેમની સજા રૂપે, એને મળેલી નિષ્ફળતા વિશે શું વિચારી શકે એ આલેખવાનો એક નાનકડો પ્રયત્ન છે. એકમેકના થવાની જે તીવ્રતા હોય છે તેને બદલે અચાનક પ્રેમમાં મળેલી નિષ્ફળતા જે અજબ ઉદાસીનો, હ્રદય તૂટ્યાંનો અને એકલતાનાં લખલખાં જેવો અનુભવ કરાવી જાય છે એનું અછડતું આલેખન મૂકવાનો યત્ન છે.


ત્રણ પુરાતન વટવૃક્ષો – કાકા કાલેલકર 2

‘સંસ્કૃતિનો વિસ્તાર’ એ લેખમાં હિંદુસ્તાનના પ્રતિક તરીકે મેં જે ચીત્ર આપ્યું છે.તેમાં એક વિશાળ વટવૃક્ષ તળે એક સાદી રૂપાળી ‌‌‌‌‌‌‌ઝૂંપડીને બારણે વાછરડા સાથે ગાય બાંધેલી છે.અનેક વડવાઈઓના વિસ્તારથી આસપાસનો પ્રદેશ પોતાની છાયાં તળે લેનાર પરોપકારી વટવૃક્ષ; ઊનાળમાં ઠંડક અને શીયાળામાં હુંફ આપનાર ઘાસની ઝૂંપડી; અને આજીવન તેમ જ મરણ પશ્વાત પણ સેવા આપનાર કારુણ્યમૂર્તિ ગૌમાતા; આ ત્રણે વસ્તુઓ આશ્રમ સંસ્કૃતિની પ્રતિક છે. આ ચિત્રની અંદર હિંદુસ્તાનની પ્રાકૂતિક પરિસ્થિતિ પણ ચિત્રિત થાય છે, અને હિંદુસ્તાનનું આર્યહદય પણ વ્યક્ત થાય છે. હિંદુસ્તાન આવાં વિશાળ વટવૃક્ષ આખી દુનિયામાં વિખ્યાત છે. પરદેશના લોકો જ્યારે આપણાં દેશમાં આવે છે ત્યારે આ દેશના એક કૌતુક તરીકે આવાં વૂક્ષો જોઈ આવે છે. અડિયાર, કબીરવડ અને કલકત્તાનું વાનસ્પત્યમ એ આ રીતે આપણાં ત્રણ તીર્થસ્થાનો છે.


ધૂની માંડલિયાના કાવ્યસંગ્રહનો આસ્વાદ લેખ – તરુણ મહેતા 5

સર્જક ધૂની માંડલિયા થકી ગુજરાતી ગઝલોને પણ નવાં સ્થિતંતરો પ્રાપ્ત થયાં છે. ગુજરાતી ગઝલકારોમાં પરંપરાનો આદર કરીને પણ આધુનિક ગઝલક્ષેત્રે જે નવોન્મેષો પ્રગટ થયાં છે, તેમાં ધૂની માંડલિયાનું નામ પુરા આદર સાથે લેવું પડે તેમ છે. અગાઉ “તારા અભાવમાં…” સંગ્રહથી ગુજરાતી ગઝલક્ષેત્રે પ્રસ્થાપિત થયેલ આ શાયરનો આ બીજો ગઝલ સંગ્રહ છે. ‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’ સંગ્રહની પ્રથમ આવૃતિ ૧૯૮૨માં પ્રગટ થઈ. ૮૨ના દાયકામાં પ્રગટ થયેલી ગઝલોને આજે ૨૦૧૦માં પણ એટલી જ તરોતાજા અનુભવી શકાય તેમ છે. આજે પ્રસ્તુત છે શ્રી ધૂની માંડલિયાના આ કાવ્યસંગ્રહનો તરુણ મહેતા દ્વારા આસ્વાદ લેખ.


એક વરસાદી અછાંદસ – જીજ્ઞેશ અધ્યારૂ 6

વરસાદની આ મૌસમમાં જો કોઈનો વિયોગ સૌથી વધુ સાલે તો એ છે પ્રિયપાત્ર. એ સ્નેહીજન આવી ભીની રંગતમાં પણ દૂર છે, એમના આવવાનો વર્તારો છે, પણ એ ક્યારે આવશે એ તો કેમ કહેવાય? કુદરત પણ જાણે એમના આવવાના સમાચારથી ખુશ થઈ ઉઠી છે, ઝૂમી ઉઠી છે, આવા વિહવળતાભર્યા સંજોગોમાં એક અછાંદસ સ્ફૂર્યું ને અહીં મૂક્યું એ બધુંય પેલી નાનીશી વાદળીએ વરસાવેલી વાછટ જેટલું જ સાહજીક, આહ્લાદક છે.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.


ચાલો ગઝલ શીખીએ .. ભાગ ૮ – જીજ્ઞેશ અધ્યારૂ (ગઝલના છંદો પારખીએ) 2

આ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો વગેરે વિશે જાણ્યું. આ વિષયો વિશે વિગતે ચર્ચા કર્યા પછી આજે વાત કરીએ ફિલ્મી ગઝલોની. ગઝલના સ્વરૂપને સમજવા અને સરળતાથી તેનો પરિચય મેળવવા આ અંગેની સમજ મેળવવી મદદરૂપ પૂરવાર થાય છે. આજે ગઝલના છંદો પારખવા વિશે જાણીએ. ગઝલના છંદો પારખતાં શીખવા ગઝલના લગા’ત્મક સ્વરૂપનો પરિચય જરૂરી છે, આ શૃંખલામાં આપણે ગઝલરચના માટે વિવિધ લગા’ત્મક સ્વરૂપોનો પરિચય મેળવ્યો હતો. આજે આપણે કેટલીક ગઝલોના છંદ પારખવાનો મહાવરો અને પ્રયત્ન કરીશું