Yearly Archives: 2018


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૪)

ડિસેમ્બરની એક વહેલી સવારે ઇત્ઝાક સ્ટર્ન, ઓસ્કર શિન્ડલરને બીજી વખત મળ્યો. ‘રેકોર્ડ’ કંપનીને લીઝ પર લેવા માટેની શિન્ડલરની દરખાસ્ત તો પોલિશ કોમર્શિઅલ કોર્ટ પાસે પહોંચી ગઈ હતી, તે છતાં સમય કાઢીને ઓસ્કર બકાઇસ્ટરની ઓફિસની મુલાકાતે જઈ પહોંચ્યો. આઓ સાથે વાતચીત કર્યા પછી, સ્વાગતકક્ષમાં સ્ટર્નના ટેબલ પાસે જઈને એ ઊભો રહ્યો, અને તાળીઓ પાડતાં-પાડતાં, કોઈ શરાબી જેવા અવાજે, જાહેરાત કરતો હોય એમ બોલવા લાગ્યો. “કાલે શરૂ થશે. જોસેફા અને ઇઝાકા સ્ટ્રીટમાં બધાને ખબર પડી જશે!”


સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ 4

સીરિયાના લેબૅનૉનમાં બશેરી ગામમાં ૧૮૫૩ના જાન્યુઆરીમાં ખલિલ જિબ્રાન જનમ્યા. જિબ્રાન એટલે આત્માનો વૈદ્ય, ખલિલ એટલે પસંદ કરાયેલો, પ્રેમભર્યો મિત્ર. એશિયામાં જે કેટલીક અદ્વિતિય પ્રતિભાઓ જન્મી છે, એમાં ખલિલ જિબ્રાન અગ્રસ્થાને છે. એની પાસે ટાગોરની સુંદરતા, સચ્ચાઈ અંગ્રેજ કવિ બ્લેઇકની અને કિટ્સની બારીકી છે. એ કવિ હતો, ચિત્રકાર હતો, ફિલસૂફ હતો – અને આ બધું હતું એટલે એ લેખક હતો! અને આશ્ચર્ય એ છે કે આ વાક્યનું પ્રતિવાક્ય પણ એટલું જ સત્ય છે. એનું લખાણ જેટલી વાર વાંચીએ એટલા નવા અર્થો મૂકતું જાય છે. આજે એવા જ કેટલાક સર્જનનું ધૂમકેતુએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે.


કવિ-ધર્મ, ફૂલદાની, મેઘાણી (પદ્યરચનાઓ) – ગની દહીંવાલા 4

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. આજે એમની ત્રણ સુંદર રચનાઓ પ્રસ્તુત કરી છે. મેઘાણી માટે એ કહે છે,

‘અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી!
નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ, મેઘાણી!’

તો કવિ-ધર્મ વિશે વાત કરતા એ કહે છે,

ભેટ દુનિયાની રહી દુનિયા સુધી પહોંચાડવી
આટલું કરજે કવિ, બસ આટલું કરજે કવિ!

આશા છે વાચકમિત્રોને શ્રી ગનીચાચાની આ ત્રણેય રચનાઓ રસતરબોળ કરી દેશે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩)

બરાબર એ જ સમયે, એક બીજો યહૂદી પણ ક્રેકોવમાં હતો, જે એ જ પાનખરમાં શિન્ડલરને મળ્યો હોવાની, અને એક તબક્કે પોતે ઓસ્કરને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો હોવાની વાત પણ કહે છે! એ માણસનું નામ હતું લિઓપોલ્દ (પોલ્દેક) ફેફરબર્ગ. તાજેતરમાં જ અમલમાં મૂકાયેલા એક કરૂણ લશ્કરી અભિયાનમાં એ પોલિશ આર્મિનો કંપની કમાન્ડર હતો. સાન નદીના વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માટે જર્મન અને પોલિશ સૈન્ય વચ્ચે લડાયેલા યુદ્ધ દરમ્યાન, લિઓપોલ્દનો એક પગ જખ્મી થઈ ગયો હતો. બસ ત્યારથી એક પોલિશ હોસ્પિટલમાં લંઘાતા પગે ફરતો રહીને એ બીજા ઘવાયેલાની સેવા કરતો રહેતો હતો!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨)

૧૯૩૯ના ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં, બે યુવાન જર્મન સેનાધિકારીઓ ક્રેકોવની સ્ટ્રેડમ સ્ટ્રીટમાં આવેલી જે. સી. બકાઇસ્ટર એન્ડ કંપનીના શો-રૂમમાં પ્રવેશ્યા, અને પોતાને ઘેર મોકલવા માટે થોડુંક મોંઘું કાપડ ખરીદવા માટે રકઝક કરવા લાગ્યા. છાતી પર પીળો સ્ટાર સીવેલાં કપડાં પહેરીને કાઉન્ટર પર બેઠેલા યહૂદી કારકૂને ખુલાસો કરતાં એમને જણાવ્યું કે બકાઇસ્ટર કંપની લોકોને સીધું વેચાણ નથી કરતી, કપડાંની ફેક્ટરી અને મોટા વિક્રેતાઓને જ વેચાણ કરે છે. પરંતુ સેનાધિકારીઓ એમ માને તેમ ન હતા! કાપડની ખરીદી કરી લીધા પછી, બીલ ચૂકવતી વેળાએ, કોઈ પાગલની માફક, ૧૮૫૮ની બાવેરિઅન ચલણી નોટો અને જર્મન આર્મિ દ્વારા ક્રેકોવનો કબજો મેળવ્યાનો ૧૯૧૪ની સાલનો એક કાગળ આપીને તેઓ ઊભા રહ્યા!


બ્રહ્મપુત્રાના પ્રવાહમાં.. (મારો આસામ પ્રવાસ) – જીજ્ઞેશ અધ્યારૂ 17

હું કૂદીને સામેની તરફની સીટ પર પહોંચી ગયો. અહા, ઋષિરાજ પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટ સફેદી ઓઢીને જાણે હાથ હલાવીને અભિવાદન કરતા હોય, એને જોવામાં એવો તલ્લીન થઈ ગયો કે ફોટો પાડવાનું જ ભૂલી ગયો. એ અદ્રુત દ્રશ્ય જાણે મનમાં ફ્રેમ થઈ ગયું છે. કેટકેટલી સદીઓથી એ અહીં એમ જ, સાવ નિશ્ચિંત ખડો છે! યુગોથી એ અહીં ભારતના એક મોટા વિસ્તારને જાણે આશિર્વાદ આપતો ઉભો છે. વિમાનની બારીમાંથી એ ઓઝલ થયો ત્યાં સુધી એને જોયા કર્યું, પછી મારી સીટ પર જઈને વિમાનમાંથી જ બ્રહ્મપુત્રાના ફોટા પાડ્યા, પણ ત્યાં સુધી તો વિમાને ગૌહતી તરફનું ઉતરાણ શરૂ કરી દીધેલું.


ઈસુની છબી ટિંગાડતા.. – ઉશનસ્ 2

ઈસુની હત્યા તેમને ક્રોસ પર ચડાવી, શરીરમાં ખીલા જડીને કરવામાં આવી હતી. કવિ ઈસુની છબી દિવાલ પર ટિંગાડતી વખતે એ કરુણ ઘટના સાથે મનોમન તાદમ્ય અનુભવે છે. એમના મનુષ્ય તરીકેના અપરાધભાવની અનુભૂતિ આ રચનામાં છે. કવિનું સંવેદનશીલ હ્રદય એવો પ્રશ્ન પણ પૂછે છે કે મહાપુરુષોની આવી દુર્દશા કરતી માનવજાત કઈ રીતે અટકશે? આ ચોટદાર સોનેટ અદ્રુત અને અસરકારક રીતે વાચકને ચોટ આપી જતું બન્યું છે.


હૉલકાસ્ટ : કત્લેઆમની લોહીયાળ તવારીખ – વિમળા હીરપરા 6

પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપ અને ખાસ તો જર્મની બેહાલ થઇ ગયુ ને એમાં આખી દુનિયા મંદીમાં સપડાઇ ગઇ. લોકો બેકાર થઇ ગયા. ભૂખમરો ને રોગચાળો ફાટી નીકળ્યો. એ સમયે જુઇસ લોકો યુરોપમાં જામી ગયા હતા. મૂળ તો વેપારી ને બુદ્ધિશાળી એટલે પૈસાપાત્ર હતાં. યુદ્ધના સમયમાં ને પછી ઉભી થયેલી હાલાકીમા મદદરુપ થવાને બદલે લોકોને શરાફી વ્યાજથી એક રીતે લૂંટવાનું શરુ કર્યુ. આવા કટોકટીના સમયે સમાજમાં પાસેથી મળેલુ પાછુ વાળવું જોઇએ એ વિવેક ચૂકાઇ ગયો. પછી તો નાઝી પાર્ટીની સ્થાપના થઇ. જુઇસ લોકો આવી રીતે અળખામણા થઇ ગયા. એમાં પણ એનો નેતા હિટલર પોતાને શુદ્ધ આર્યન માનતો ને ફરીથી એવી શુદ્ધ જાતિ પેદા કરવા જર્મન સિવાય બાકીની જાતિઓનું નિકંદન કાઢી નાખ્યું.


મશહૂર અભિનેત્રી વનલતાની વસમી દશા… – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 7

હોટલે પહોંચતાં જ વનલતાને એથી યે કડવો અનુભવ થયો. પોતાના રૂમની ચાવી માંગી ત્યારે મેનેજરે ચાવી આપવાને બદલે બાજુમાં મૂકેલો તેનો સામાન બતાવ્યો અને કહ્યું, ‘તમારે રૂમ ખાલી કરવાની છે.’ વનલતાએ કહ્યું, ‘શા માટે?’ મેનેજરે કહ્યું, ‘તમે કચ્છી શેઠ સાથે ઝઘડો કર્યો છે. અમને કચ્છી શેઠની નારાજગી ન પોસાય. તમે કોઈ બીજી હોટલ શોધી લો.’ હવે તેના મગજની કમાન છટકી, તે બૂમો પાડવા લાગી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે બહાર નીકળી બાજુમાં આવેલી ત્રણ-ચાર હોટલોમાં ગઈ પણ કોઈએ તેને રૂમ ન આપી. કોઈ કચ્છી શેઠની નારાજગી વહોરવા તૈયાર ન હતા. હવે તે ખરેખર ગભરાઈ ગઈ. શું મુંબઈ ઉપર આ કચ્છી શેઠનું રાજ હતું. તેમની આણ એટલી બધી મોટી હતી!
તેની નજર સામે આવેલી પોલીસ ચોકી પર પડી. તેને થોડી શાંતિ થઇ. રસ્તો ક્રોસ કરીને તે પોલીસ સ્ટેશનમાં ગઈ. આખી પોલીસ ચોકી ઊભી થઇ ગઈ. વનલતા કેટલી મશહૂર અભિનેત્રી હતી,


પ્રવાસ અને યાત્રા વચ્ચે મળૂભતૂ ફરક – જીજ્ઞેશ અધ્યારૂ 5

પ્રવાસ અને યાત્રા વચ્ચે મૂળભૂત ફરક કયો? મારા મતે કોરા આનંદથી ભીના સંતોષ તરફનું પ્રયાણ એટલે પ્રવાસથી યાત્રા.. ગીરના અમારા કાયમી ઠેકાણાસમ અનેક સ્થળોમાંનું એક મનગમતું સ્થળ એટલે ચીખલકૂબા. ડેડાણ થઈને તુલસીશ્યામ તરફ જવાના રસ્તે જસાધારના ગીર અભયારણ્યના પ્રવેશદ્વારથી એકાદ કિલોમીટર પહેલા જમણી તરફ વળે છે એક કાચો-પાકો રસ્તો, ખેતરો અને ઝાડીઓની વચ્ચે થઈને ચીખલકૂબા નેસ તરફ. જો માહિતી ન હોય તો ભાગ્યે જ ખ્યાલ આવે, આવા સ્થળોની સ્વચ્છતા, સુંદરતા અને મહત્વ બચી રહ્યાં છે કારણકે એ પહોંચથી દૂર છે..


મહારાજ લાયબલ કેસ – મથુરદાસ લવજીની સાહેદી 3

હું ભાટીઓ વેપારી, વલ્લભાચાર્ય પંથનો છું, ગુજરાતી, મરાઠી અને વ્રજ ભાષા જાણું છું. મેં મારા પંથના કેટલાએક પુસ્તકો વાંચ્યા છે તે પુસ્તકોના નામ – ‘ગુરૂ સેવા’, ‘પુષ્ટિપ્રવાહ મર્યાદા ટીકા’, ‘સીદ્ધાંત રહસ્ય’, ‘વચનામૃત’, ‘રસભાવના’, ‘ચતુરશ્લોકી’, ‘ચોરાસી વૈષ્ણવની વાર્તા’, ‘બસો બાવનની વાર્તા’ ઇત્યાદી. એ પુસ્તક મધ્યેના કેટલાએક પુસ્તક મેં કરસનદાસને કોર્ટ મધ્યે રજુ કરવાને આપેલા છે. હું મારા પંથના મતથી તથા અસલ હીંદુ ધર્મથી ઘણો ખરો વાકેફ છું. ભાગવત અને બીજા શાસ્ત્ર સાંભળી હું અસલ હીંદુ ધર્મથી વાકેફ થયો છું. હમારો પંથ અસલ હીંદુ ધર્મથી જુદો છે. હમારા પંથમાં મુર્તી પુજવાની જે રીત છે તે વેદશાસ્ત્ર પ્રમાણે નથી પણ વલ્લભાચાર્યે કરી દેખાડી છે તે પ્રમાણે છે. બાલબોધ નામના હમારા પંથના પુસ્તકમાં છે કે કલીયુગમાં (એટલે કે હાલના વખતમાં) કોઈ વેદ શક્શે નહીં. અને વેદમાં કહેલાં કર્મો કીધાથી મુક્તી થતી નથી ભાઈ ફક્ત સ્વર્ગ મળે છે.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧) 5

સ્યૂડેનલેન્ડ નામે ઓળખાતા ચેકોસ્લોવેકિયાના જર્મનભાષી વિસ્તારમાંથી ઉત્તર દિશા તરફ કુચ કરી રહેલી જનરલ સિગ્મન્ડ લિસ્ટની હથિયારધારી ટૂકડીએ, પોલેન્ડના એક રત્ન સમા અત્યંત સુંદર એવા ક્રેકોવ શહેરને ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના દિવસે બંને દિશાએથી હુમલો કરીને કબજે કરી લીધું હતું.

અને ઓસ્કર શિન્ડલરે પણ એ અરસામાં જ આ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ શહેર તેના માટે આવતા પાંચ વર્ષ સુધી સોનાના ઈંડા દેતી મરઘી સાબિત થવાનું હતું. એક મહિનાની અંદર જ રાષ્ટ્રીય સમાજવાદ પ્રત્યે ઓસ્કર પોતાની નાખુશી સ્પષ્ટ કરી દેવાનો હતો. છતાં પણ, નવા રેલવે જંક્શનને કારણે, અને હજુ સુધી નફો કમાઈ આપતા ઉદ્યોગોને કારણે, એ એટલું સ્પષ્ટ જોઈ શકતો હતો, કે નવા રાજ્યતંત્ર હેઠળ ક્રેકોવ જરૂર સમૃદ્ધ થઈ જવાનું! અહીં આવીને તે એક સેલ્સમેન મટીને ઉદ્યોગપતિ બની જવાનો હતો.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (આમુખ) 1

પોલેન્ડમાં એ સમય પ્રખર પાનખરનો હતો. મોંઘોદાટ ઓવરકોટ પહેરેલો એક ઊંચો યુવાન, અંદર ડબલ-બ્રેસ્ટેડ જેકેટ અને કોલર પર કાળા મીના પર સોનેરી રંગે મઢેલા સ્વસ્તિકના ચિહ્ન સાથે, ક્રેકોવના જુના ચોકની એક તરફ આવેલી સ્ત્રેસ્કિગો સ્ટ્રીટ પર આવેલા એક આધુનિક એપાર્ટમેન્ટમાંથી બહાર આવ્યો. અંધારામાં પણ ચળકતી વિશાળ એડલર લિમુઝિનના ખુલ્લા દરવાજા પાસે ઊભા રહીને મોમાંથી ધુમાડા કાઢી રહેલા પોતાના શોફર પર તેની નજર પડી. “ફૂટપાથ પર ચાલતાં સંભાળજો, શિન્ડલર સાહેબ!” શોફરે તેને ચેતવ્યો. “કોઈ વિધવા સ્ત્રીના હૃદયની માફક એ પણ લપસણી થઈ ગઈ છે!” શિયાળાની રાતનું આ દૃશ્યને દૂરથી જોતી વેળા, એ કોઈ જોખમી જગ્યા હોય એવું લાગતું ન હતું. એ ઊંચો યુવાન માણસ આખી જિંદગી ડબલ-બ્રેસ્ટેડ જેકેટમાં જ સજ્જ રહેવાનો હતો. પોતે ઇજનેર હોવાને કારણે, આ પ્રકારના ભવ્ય અને મોટા વાહનોની સગવડ તો તેને હંમેશા મળતી જ રહેવાની હતી. ઇતિહાસનો આ એવો તબક્કો હતો, જ્યારે કારના વગદાર જર્મન માલીક સાથે તેનો પોલિશ શોફર કોઈ જ ડર વગર, મૈત્રિભાવે આવી સસ્તી મજાક કરી શકતો હતો.


તડકો – લાભશંકર ઠાકર

પરોઢના ઝાકળછાયા તડકાની આરપાર દેખાતી સૃષ્ટિ અદ્ભુત બની જાય છે. એમાં સ્થિર પદાર્થો ગતિશીલ ભાસે છે, કવિએ આ રચનામાં એનું ચંચળ પ્રવાહી રૂપ ઝીલ્યું છે. ઝાકળથી આચ્છાદિત તડકામાં કવિને સવારમાં લાંબા પડછાયાના પ્હાડ પીગળતા લાગે છે, થોરની કાંટાળી વાડ તરતી ડૂબતી સમીપ આવતી દેખાય છે, ઝાંખાપાંખા દેખાતા બટેરની પાંખનો અવાજ માત્ર જ સંભળાય છે. દ્રશ્યો ઝાંખા છે. પણ અવાજ સ્પષ્ટ છે. કવિ એ અવાજોને સહારે શૈશવના સંસ્મરણોમાં તલ્લીન બની જાય છે.


હાથ, હથિયાર, હાદસા.. – જાવેદ ખત્રી 4

ભારત દેશ ‘મિનિ-પાકીસ્તાનો’થી ઉભરાઈ રહ્યો છે, કદાચ પાકિસ્તાનમાં પણ ‘મિનિ-હિન્દુસ્તાનો’એ અસ્તિત્વ જમાવી દીધું હશે. હિંદુ અને મુસ્લિમ વિસ્તારોને જુદી કરતી વાડ કે દીવાલ હવે ‘બોર્ડર’ના નામે ઓળખાય છે, દુઃખ એટલું જ છે કે બોર્ડરની બંને તરફ એક જ દેશના, એક જ રાજ્યના અને એક જ ભાષા બોલતા લોકો વસે છે.

ગુજરાતીમાં કહેવાય છે, “હાથે ચઢ્યું તે હથિયાર”, હવે કહેવું પડશે, ‘જીભે જડ્યું તે હથિયાર’, કારણ કે હાથ પર ચઢેલા હથિયાર કરતા ભાષાના માધ્યમથી જીભ પર રહેતા હથિયારો માણસના વર્ગીકરણમાં વધારે મહત્વનો ભાગ ભજવે છે. મિનિ-પાકિસ્તાન કે બ્રીક મેન્શન એ ફક્ત નામ નહીં પણ એક વર્ગ ઉભો કરે છે, અને એ વર્ગના અસ્તિત્વના મૂળમાં છે દ્વેષ.


ખોવાયેલા સ્મિતની શોધ.. – નીલમ દોશી 12

વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર, પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી જ રહે છે ને ? સમયે કરવટ બદલી અને અમે અચાનક.. સાવ અચાનક આવી ગયા મારી જન્મભૂમિમાં જે હવે બની અમારી કર્મભૂમિ.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રસ્તાવના અને લેખકની નોંધ) 8

ખુદ જર્મન હોવા છતાં દેશદ્રોહના સંભવિત આક્ષેપો સામે ઝઝૂમીને સામ, દામ, દંડ અને ભેદથી ૧૩૦૦ જેટલાં યહૂદીઓને બચાવનાર ઓસ્કર શિન્ડલરની કથા આપણી ઉંઘ ઉડાડી દે તેવી છે. શિન્ડલરના આ સાહસો પર ટોમસ કીનિલીએ લખેલી નવલકથાને ઇ.સ. ૧૯૮૨નું શ્રેષ્ઠ અંગ્રેજી નવલકથાને દર વરસે મળતું બુકર પ્રાઇઝ મળેલું. આ નવલકથાએ દુનિયાને એટલી બધી હચમચાવી મૂકી, કે હોલીવુડના સર્વકાલીન દિગ્દર્શકો પૈકીના એક સ્ટીવન સ્પીલબર્ગે તેના પરથી એક ફિલ્મ બનાવી, જેને ઇ.સ. ૧૯૯૩માં સાત ઓસ્કર એવોર્ડ મળ્યા! આવી એક ઉત્કૃષ્ટ નવલકથાને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અવતારવા બદલ ભાઈશ્રી અશ્વિન ચંદારાણાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.


મા મા શાધિમામ્ – ધ્રુવ ભટ્ટ 22

પહાડી નિશાળ, નિશાળમાં હોવી જોઈએ તે કરતા વધુ શાંતિ એ ધારી રહી છે. ત્રીજા ચોથાની પરીક્ષાઓ પૂરી થઈ. પાંચથી સાતની પરીક્ષા ચાલે છે. નવરા પડેલાં છોકરા છોકરીઓ વાર્તાઓ વાંચી, ગીતો ગાઈ, પોતાની વખરી ગોઠવી નાહી ધોઈને રમવામાં પડ્યાં. હું પરીક્ષાખંડમાં આંટો મારીને પાછો આવતો હતો ત્યાં થોડા છોકરા ગિલ્લી-દંડો રમતા હતા. થોડું રોકાઈને જોયું. પછી થોડું સાથે રમ્યો અને પાછો આવ્યો. છોકરીઓએ આ જોયું.

બપોરે વાંચતો હતો ત્યાં બારણામાં અને બારીઓમાં નાની નાની છોકરીઓ ડોકાઈ. ઘરમાં તો આવે નહીં. બહાર મૂંગી મૂંગી ઊભી રહે. પહેલાં તો બારીમાંથી જ જોયા કરતાં. બોલાવીએ તો દોડીને નાસી જય. હમણાં હમણાં બારણે ડોકાવા જેટલાં છૂટાં થયાં છે.


ડીસેમ્બર ૨૦૩૦ – વિશાલ ભાદાણી 3

૩૨૮: ઓહ નો! એને નઈ ખબર હોય કે આપણા બધા જ મેઈલ્સ વંચાય છે.

૧૧૭ : આઈ ડોન્ટ નો! એમ્પ્લૉઇ કોડ નંબર ૩૪૦ એવું કહેતા હતા કે કોડ નંબર ૨૩૧નો એ પર્સનલ મેઈલ ઈમોશન-ડિટેકશન-સોફ્ટવેરમાં રન કરવામાં આવ્યો અને તરત જ સિસ્ટમે “યુ આર ફાયર્ડ”  એવો ઓટો જનરેટેડ મેઈલ મોકલી દીધો.


અમારા સ્કુટીવાળા માજી… – લીના જોશી ચનિયારા 5

આ જ દિવાળીફઈની એક વાતે મને અચંબામાં નાખી દીધી જ્યારે મને ખબર પડી કે એ રાજકોટના રસ્તાઓ પર સ્કુટી પણ ચલાવે છે અને રાજકોટ માં “સ્કુટીવાળા માજી” તરીકે પ્રખ્યાત છે. મને ખૂબ જ ગર્વની લાગણી થઇ આવી. જ્યારે હું એમના ઘરે ગઈ અને મેં પૂછ્યુ કે તમે સ્કુટી ક્યારે શીખ્યા, તો એ કહે, ‘હું હજુ ૪-૫ વર્ષ પહેલા જ સ્કુટી શીખી.’


ત્રણ ગઝલરચનાઓ – પરબતકુમાર નાયી

શ્રી પરબતકુમાર નાયીની ત્રણ કાવ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની ત્રણ ગઝલરચનાઓ તેમણે અક્ષરનાદને પાઠવી છે એ બદલ તેમનો આભાર. તેઓ સરદારપુરા પ્રાથમિક શાળા, મુ. સરદારપુરા, પો. રવેલ, તા. દિયોદર, જિ. બનાસકાંઠાના આચાર્યશ્રી છે.


રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા 11

એક શિક્ષકનો તેમના વિદ્યાર્થીઓ પ્રત્યેનો ભાવ, લાગણી, એમના વર્તન અને તકલીફોની સમજણ અને એ સમજણને આધારે ઉભી થતી અનોખી પરિસ્થિતિનો વિગતે ચિતાર, એકે એક બાળકના ખૂબ જ સુંદર અને લાગણીશીલ શબ્દચિત્રો દ્વારા તેમના સંવેદનશીલ હ્રદયનો અનોખો પરિચય આપણને અજયભાઈ ઓઝાની આ સુંદર શ્રેણી દ્વારા મળ્યો. મેં જ્યારે આ શ્રેણી માટે તેમને વાત કરેલી ત્યારે તેમણે કહેલું, ‘રોલ નંબર અગિયાર સુધી જ લખાયું છે.’ પણ મને આ શબ્દચિત્રો એટલા ગમી ગયેલાં કે મેં કહ્યું, ‘કંઈ વાંધો નહીં, જેટલું લખાયું છે એટલું મૂકીશું’, પણ આજે જ્યારે આ શ્રેણી પૂરી થાય છે ત્યારે એવો વિચાર આવે કે અજયભાઈએ હજુ લખ્યું હોય તો વાંચવાની કેવી મજા પડી હોત? આ શ્રેણી અને એ દ્વારા વિદ્યાર્થીઓ વિશેની તેમની અનોખી લાગણી તેઓ વધુ લખે અને આપણને તેનો લાભ મળે એ અપેક્ષા સહ, અક્ષરનાદના વાચકોને આ સુંદર યાત્રામાં સહભાગી બનાવવા બદલ અજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વર તેમની કલમને સદાય ધબકતી અને વહેતી રાખે એ જ અભ્યર્થના.


રંગીલો રાજા – ગોપાલ ખેતાણી 10

એ છે દરિયાનો રાજા. રંગીલો છે એનું નામ. જેવું એનું નામ એવા જ તેના વેશ. દરિયાની ખારી ખારી હવા તેના વાળ ના બગાડે એટલે તે રંગબેરંગી કપડા માથા પર વીંટાળે. સૂરજદાદાને ચિઢવવા પાછો ગોગલ્સ પણ પહેરે. મગર, વ્હેલમાછલીઓ, શાર્ક, ડોલ્ફીન, નાની માછલીઓ, કાચબા, સાપ, ઓક્ટોપસ, બતક અને પેલા પેંગ્વીન પણ રંગીલાને બહુ માન આપે અને પ્રેમ કરે. રંગીલો સદાય પોતાના આ મિત્રોના સુખ દુઃખમાં સાથે રહે.

અચાનક એક દીવસે એક કાચબી રડતાં રડતાં રંગીલા પાસે આવી.

“શું થયું કંચન કાચબી? કેમ રડે છે?” રંગીલા રાજાએ પ્રેમથી પૂછ્યું.


એક અધૂરી તમન્ના.. – જલ્પા વ્યાસ 5

એક તો મેઘનું શહેર અને આકાશમાં પણ ઘેરાયેલ કાળો-ડીબાંગ મેઘ, તમન્નાને થયું એને જે મેઘની રાહ જોવાની આદત પડી ગઈ હતી તે આ મેઘ નહોતો. અત્યારે એની સામે જે મેઘ ચકરડા લઇ રહ્યો હતો એ તો ભગવાન ઈન્દ્રનો મેઘ હતો. તમન્નાનો મેઘ… તો ખબર નહીં આ વડોદરા નગરમાં ક્યાં ભરાઈ ગયો હતો.

વડોદરાના રેસકોર્સ રોડ પર ઉભી રહેલી તમન્ના પોતાનાપર ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો જોઈ રહી, ઘરે પહોંચવાની ઉતાવળ સાથે વડોદરાને મન ભરીને જોવા માંગતી હતી.. અહીં જ તો… તમન્ના ઓફિશિઅલ મિટિંગ પતાવી ને બહાર આવીને ઉભી હતી. ‘વરસાદ તો પડશે જ..’ એણે મનોમન વિચાર્યું અને મોબાઈલમાં જોઇને ટેક્સી શોધવાનું શરુ કર્યું. એને અમદાવાદ પહોંચવાનું હતું, જો કે સમયતો એની પાસે પૂરતો હતો પણ વરસાદની બીક… (બીક અને વરસાદની! જે ક્યારેય કોઈ રંગોમાં ભીંજાયા જ ન હોય ને એમને પોતાના કોરા અસ્તિત્વ પર કોઈના રંગથી ભીંજાઈ જવાની બીક હોતી હશે!)


પ્રવાસનો પરિતાપ! – હિરલ પંડ્યા 18

ક્યારેક કોઈક સ્થળો એવા હોય છે જે તમારા હૃદયમાં સ્પેશિયલ જગ્યા બનાવી જાય છે. જ્યાં તમે ખાલી હાથે જાવ છો અને સંસ્મરણો અને શીખ ખોબે ખોબે ભરીને લઈ આવો છો. મને ખબર ન હતી પણ આવો જ એક પ્રવાસ ખેડવા હું નીકળી પડ્યો હતો.

ગુલાબી ઠંડી હવા મારા કાનમાં કંઈક ગણગણી રહી હતી. અમારી બસ ધીરે ધીરે ચંબાના પહાડો તરફ વળાંકો લઈ રહી હતી. કેટલાય દિવસોથી અમે ત્રણે મિત્રો આ પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા, અંતે હું હિમાચલ આવી જ ગયો! હું આમ તો કર્મથી એન્જિનિયર પણ દિલથી ભોમિયો છું. પ્રવાસવર્ણન લખું છું, અને લોકોને મારા પ્રવાસના સંસ્મરણોમાં ભાગીદાર બનાવુ છું.

હિમાચલના એક અંતરિયાળ ગામમાં જવા માટે અમારે ચંબાથી રાજ્ય પરિવહનની બસ પકડવાની હતી, અને ત્યાંથી ચાર દિવસનું પર્વતારોહણ. કન્ડક્ટર ભાઈ તો ખુશ ખુશ થઈ ગયા, અમને જોઈ બોલ્યા “બહુ ઓછા પર્યટકો આવે છે અહીં. સરસ. આવો.. અહીં પર્યટન વધે એ તો સરસ..”


આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે? – મોહમ્મદ સઈદ શેખ 12

છેલ્લા કેટલાક માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓએ દેશના સમજુ નાગરિકોને વિચલિત કરી દીધા છે. પહેલા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયા અને હજી પણ ભાગી રહ્યા છે. આવા ડિફોલ્ટરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. આવા લોકોને લીધે બેંકોની એન.પી.એ. વધે છે પરિણામે ભાર તો સામાન્ય માનવી ઉપર જ આવે છે.

સ્ત્રીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર અને એમાંય નિર્દોષ બાળકીઓ ઉપર ગુજારાતા અમાનુષી બળાત્કારો અને ઠંડે કલેજે કરાતી એમની હત્યાઓએ સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે કે માનવતા મરી પરવારી તો નથીને? આપણે ચારિત્ર્યહીનતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ?


બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 4

એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’

ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’

બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’


તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 19

‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું.

મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’

ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે.

બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘…રે..વા…!’


તત્ત્વમસિ : ૮ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“અમે અમરકંટક પહોંચ્યાં તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યાં. અત્યારે કપિલધારા પહોંચ્યાં છીએ અનેક પ્રપાતોની સ્વામિની નર્મદાના સહુથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસહ ધસી રહી છે.

‘મેકલના પહાડો ઊતરીને મેદાનમાં જશે. ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ અનેક નદી-નાળાંને પોતાનામાં લીન કરતી જળસમૃદ્ધ થતી રહે છે.’ શાસ્ત્રીએ કહ્યું તે લ્યુસીએ પોતાની ડાયરીમાં નોંધ્યું.


તત્ત્વમસિ : ૭ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

આ અરણ્યોનાં અનેકવિધ સ્વરૂપોએ, તેમાં વસતાં માનવીઓ, પશુપંખીઓએ તેને અધિકારી ગણવાની શરૂઆત તો કરી જ દીધી છે. પણ માનવીને પોતાના અધિકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો એક નક્કી માર્ગ અને સમય આ પ્રકૃતિએ નિર્ધાર્યો જ હોય છે. આ અરણ્યોએ તો અનેકોને જ્ઞાન આપ્યું છે. કદાચ તેનો સમય પણ આવશે.

“…મેં વિદેશમાં ભોગવેલી સગવડમાંથી જવલ્લે જ કોઈ સગવડ આ અરણ્યોએ મને આપી છે. આ અરણ્યોએ પોતાના મંગલમય, પવિત્ર પાલવ તળે ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓ વચ્ચે પણ મને અભય અને નિરામય રાખ્યો છે. સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખાને ઊજળી કરીને આ અરણ્યોએ મને બતાવી છે.