સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20

કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને […]


પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણાંય વર્ષો પહેલા એક ઉત્તરાયણે મિત્રોના ટોળાં વચ્ચે બધાને અવગણીને વડીલો અને સંબંધીઓને છોડીને ફક્ત પ્રેમને ખાતર મારી ફીરકી પકડીને તું ઉભી હતી, એ તારી પહેલી હિંમત આપણો પ્રેમ પતંગ ખૂબ ચગ્યો બે હાથ અને એક દોરી બે પંખી અને એક આકાશ બે હૈયા અને એક શ્વાસ એ યાદ છે? હું જીવનભર તારી દોરી સાચવીશ એ તારૂં કહેલું વાક્ય મને હજીય યાદ છે અને મારા જીવનની દોરીને તેં કદી ગૂંચવાવા નથી દીધી કપાવા નથી દીધી ” WELL MANAGE ” કરી છે તે બદલ મારા જીવનસાથી, આ ઉત્તરાયણે “થેન્ક્યુ” કહી દઊં તો તને ખોટું તો નહીં લાગે ને?  – જીગ્નેશ અધ્યારૂ


ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22

ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs   એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view. ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે.  જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ. પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે. ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે. વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે. કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે. નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે. જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ […]


બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન 4

ચાર વર્ષ પહેલા હું તમારી સમક્ષ ઉભો રહ્યો અને મેં તમને મારી વાત કહી, વાત કહી એ મેળાપની જે કેન્યાથી આવેલા એક યુવાન અને કાન્સાસની એક યુવતિ વચ્ચે પાંગર્યો. તેઓ બહુ સધ્ધર ન હતા, પ્રખ્યાત ન હતા, પણ એક વાત એ બંને માનતા, કે અમેરીકામાં તેમનો પુત્ર તેના હ્રદયમાં, મનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે. આ એક એવું વચન છે જે અમેરીકાને અન્ય દેશોથી અલગ પાડે છે, કે આકરી મહેનત અને ત્યાગથી આપણામાંના દરેક આપણા પોતાના વ્યક્તિગત સ્વપ્નો મેળવી શકીએ છીએ, અને છતાં એક સાથે એક અમેરીકન પરિવાર બનીને ઉભા રહીએ, એ જોવા કે આપણી આવતી પેઢી પણ તેમના સ્વપ્નો પૂરા કરી શકે. અને એ જ કારણ છે કે હું આજે અહીં ઉભો છું. કારણકે ૨૩૨ વર્ષો થી, એવા દરેક સમયે જ્યારે આ વચન તકલીફમાં મૂકાય છે, સામાન્ય પુરૂષો અને સ્ત્રિઓ, વિદ્યાર્થીઓ અને સૈનિકો, ખેડુતો અને શિક્ષકો, સફાઈ કામદાર કે પરિચારીકા દરેકમાં તેને જીવંત રાખવાની ધીરજ છે. આપણે એક નિર્ણયાત્મક સમયે મળ્યા છે, એક એવો સમય જ્યારે આપણું રાષ્ટ્ર યુધ્ધમાં છે, અર્થતંત્ર ખાડે ગયું છે અને આ અમેરીકન વચનને ફરી એક વખત પડકાર લેવાનો વખત આવ્યો છે. આજે ઘણા વધારે અમેરીકનો બેકાર છે, અને બીજા ઘણાં ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, તમારામાંથી ઘણાએ પોતાના ઘર ખોયાં છે, અને ઘણા પોતાના ઘરની કિંમતોને પડતી જોઈ રહ્યા છે. ઘણા પાસે કાર છે પણ તેને ચલાવવાનું પરવડે તેમ નથી, ક્રેડીટકાર્ડના બિલ ભરવાનું પણ હવે તમને પરવડે તેમ નથી. આ બધા પડકારો સરકારી બનાવટ નથી. પણ તેમની તરફ પગલાં લેવામાં મોડું કરવું એ વોશિંગ્ટનમાં તૂટેલી રાજકારણીય ઈચ્છા અને જ્યોર્જ બુશની ખોટી રીતરસમો છે. […]


ગુજરાતી ભાષા માટે નેટ તરફથી ખુશખબર 10

ગુજરાતી ભાષાના ચાહકો માટે થોડાક સારા સમાચારો છે. ઈકોનોમીક ટાઈમ્સે હવે તેની ગુજરાતી ભાષામાં વેબસાઈટ રૂપી આવૃત્તિ શરૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા ગૃપના એક નવા પગલા તરીકે આની કોઈ ઓફીશીયલ જાહેરાત થઈ નથી એટલે કદાચ હજી તે બીટા સ્ટેજમાં હોઈ શકે. પરંતુ અંગ્રેજી અને હિન્દી પછી ત્રીજી ભાષામાં વિકલ્પ તરીકે ગુજરાતી ભાષાને સ્થાન મળ્યું તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ઓગસ્ટમાં તેમણે જ્યારે હિન્દીમાં વેબસાઈટ લોન્ચ કરી ત્યારથી ભારતીય ભાષાઓમાં તેમનું આવવું ધારેલું જ હતું. છતાં પણ કદાચ “વ્યાપાર કરતી પ્રજા” તરીકે ગુજરાતીઓ માટે આ સાહસ વહેલું કર્યું હોય તો કહેવાય નહીં. આ સારા સમાચાર એટલે પણ છે કારણકે બિઝનસ સ્ટાન્ડર્ડે તેમની ગુજરાતી વેબસાઈટ રેગ્યુલર અપડેટ કરવાનું બંધ કરી દીધું છે (જે તેમના ગુજરાતી હોમપેજ પરથી જોઈ શકાય છે), તેના બદલે આ એક સરસ વિકલ્પ મળી રહ્યો છે. રેડીફ ના એક રીપોર્ટ પ્રમાણે એક પરિષદમાં રેડીફ.કોમના સીઈઓ અને સ્થાપક અજીત બાલક્રિષ્ણનને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે રેડીફ હવે જાન્યુઆરી ૨૦૦૯થી ૨૨ ભારતીય ભાષાઓમાં “કોમ્યુનિકેશન” કરવાની સગવડ આપવા જઈ રહ્યું છે કારણકે ભારતીય ભાષાઓનો ઈન્ટરનેટ પર ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે. આ પ્રમાણે રેડીફના બે પોર્ટલ પણ કદાચ ફરી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતી અને તમિલ ભાષાના પોર્ટલ અપડેટ કરવાની જરૂરત છે, તે યુનિકોડમાં નથી, ફોન્ટના ઘણાં પ્રોબ્લેમ્સ છે અને તેમને એક વ્યવસ્થિતતાની જરૂર છે. રેડીફ ક્વિલપેડમાં પણ ઈન્વેસ્ટ કરી રહ્યું છે જે ભારતીય ભાષાઓ માટે ટ્રાન્સલિટરેશનનું એક સાધન છે. જો કે હજી તેમાં ઘણાંય સુધારાની જરૂરત લાગે છે અને તેને મૂળ તો યૂઝરફ્રેન્ડલી બનાવવાની જરૃરત છે. મોબાઈલ વેબ બ્રાઉઝરના મહારથી ઓપેરા એ તેમનું ફાઈનલ ઓપેરામિની વર્ઝન […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 8 (ટાઈમ-પાસ) 5

ઘણા મહીનાઓ પહેલા આ શૃંખલા શરૂ કરી હતી પણ પછી સર્ચ કરવા જરૂરી સમયના અભાવે અટકી પડી. ગયા અઠવાડીયે ડીજીટલ કેમેરા અને ફોટોગ્રાફી વિશેની વેબસાઈટસ વિશે લખ્યું હતું. આજે થોડું અલગ અને નવું. આજે કેટલીક ટાઈમપાસ પૈસા વસૂલ વેબસાઈટસ વિષે. ઓફીસમાં ઘણાં પેપર્સ હોય છે, અને તે પેપર્સની વચ્ચેથી મોં ઉપાડવાનો જ્યારે તમને સમય મળે ત્યારે આ એક વેબસાઈટ અવશ્ય જુઓ. એ અસંખ્ય પેપર્સના ઢગલા માંથી એકાદ પેપર ઉપાડો અને અહીં બતાવ્યા પ્રમાણે “કળા” કરો. અનેક ફ્લેશ બેઝ્ડ એપ્લીકેશન્સ અને તેના અવનવા અને ચિત્ર વિચિત્ર ઉપયોગો વિષે આ વેબસાઈટ જેટલી સમૃધ્ધિ ભાગ્યેજ ક્યાંક જોવા મળે, એક કણની ગુરુત્વાકર્ષણ ક્ષમતા હોય કે કર્સરનો ફૂલોનો બગીચો, કે બિંદુઓમાંથી રચાતી અનેકો આકૃતિઓ …. અહીં દરેક પ્રોગ્રામ નવીન છે. કોપીરાઈટ વગરના ૧૪૦૦૦થી વધારે પુસ્તકો – લેખો અને સંદર્ભો વાંચવા માટેની એક ઉત્તમ વેબસાઈટ, એરીસ્ટોટલ, વિક્ટર હ્યૂગો તથા માર્ક ટ્વેઈન જેવા લેખકોનાં અનેક પુસ્તકો અહીં વાંચવા મળશે. અને તે પણ તદન ફ્રી. કાંઈ કામ ન હોય અને મારવા માટે માખીની પણ અછત પડતી હોય તો અહીં આ વેબસાઈટ પર આવો, તમારી માખી મારવાની સ્કીલ અહીં વાપરો, કદાચ બીજાઓએ મારેલી માખી કરતા વધુ માખી મારો. નવરા બેઠા આવતી કાલના વર્તમાનપત્રની હેડલાઈન વિચારો અને એ કેવું દેખાશે એ આ વેબસાઈટ પર જુઓ. પર્સનલ ગિફ્ટ માટે નકલી સમાચારપત્રો બનાવો. બે સરખા ચિત્રો અને તેમની વચ્ચે ભેદ બતાવવાવાળી રમત રમ્યા છો? આ વેબસાઈટ આપે છે એ રમત સાથે ટાઈમપાસની પૂરી ગેરેંટી. અને એક પછી એક લેવલમાં વધતી મુશ્કેલી આ વેબસાઈટની ખાસીયત છે. To visit the series about wonderful websites : click Know More ઇન્ટરનેટ


બે છેતરામણા અનુભવો 11

અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય. પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે…… આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં […]


રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય – જીગ્નેશ અધ્યારૂ 4

દિલ્હીના અનેકો જોવાલાયક સ્થળોમાં અચૂક જોવા અને મૂળેતો અનુભવવા જેવું એટલે રાજઘાટ, એક ત્યાગી અને દેશપ્રેમી, પોતડી, લાકડી અને ચશ્મા પહેરી આખાંય ભારતવર્ષને સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આપણે કેવી રીતે લાખો રૂપીયાના પથ્થરો વચ્ચે કેદ રાખ્યા છે, તે જોવા જેવું. રાજઘાટ સુધી પહોંચ્યા પછી જો મહાત્મા ગાંધી સંગ્રહાલયની મુલાકાત ન કરો તો ઘણું બધું ગુમાવ્યાનો અફસોસ થશે. રાજઘાટથી રોડ ક્રોસ કરી સામેતરફ જવા જેટલા જ અંતર પર આવેલું છે રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય. ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન ઉતરી ચાલતાં પણ જઈ શકાય છે. સોમવાર સિવાય દરરોજ સવારના ૧૦ થી સાંજના ૬ સુધી એ ખુલ્લું હોય છે. મહાત્મા ગાંધીજી વિશે પુસ્તકો, જર્નલ્સ, અન્ય વિવરણાત્મક સંગ્રહો, તેમના ફોટોગ્રાફ્સ વગેરેનો વિશાળ સંગ્રહ અહીં ઉપલબ્ધ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદનાં પ્રયત્નો થી બનેલ આ સંગ્રહાલયનો ફાઉન્ડેશન સ્ટોન પણ તેમને મૂક્યો હતો અને તેનું ૧૯૬૧માં ઉદઘાટન પણ તેમણે જ કર્યું હતું. ગાંધી વિચારો અને ભારતીય આઝાદીની ચળવળ વિશે અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે આ સંગ્રહાલય માહિતિનો અખૂટ ભંડાર છે. પુસ્તકાલય ઘણું વિશાળ છે અને અહીં ગાંધીજી વિશે અને તેમના દ્વારા લખાયેલ લગભગ બધાં પુસ્તકો છે. આ સિવાય અહીં મહાત્મા ગાંધી દ્વારા કે તેમને લખાયેલા ૩૦,૦૦૦ થી વધુ પત્રો, ટેલીગ્રામ્સ અને અન્ય દસ્તાવેજો પણ છે. અહીં ગાંધીજી દ્વારા વપરાયેલા વાસણો, તેમના ચશ્મા, પુસ્તકો, રેંટીયો, ચપ્પલ, પાથરણું વગેરે જેવી અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. પણ સૌથી સુંદર વસ્તુ એ લાકડી છે જે ગાંધીજીએ દાંડીકૂચ વખતે વાપરી હતી. મહાત્મા ગાંધીની હત્યાને પ્રદર્શિત કરતા પ્રસંગો અને વસ્તુઓને તથા ફોટાઓને દર્શાવતો એક અલગ ઓરડો પણ અહીં છે. ગાંધીજીની પોકેટવોચ, લોહીથી રંગાયેલી ધોતી અને શાલ, તેમને મારવામાં આવેલી ગોળી વગેરેને […]


બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3

હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી. હે પ્રભુ! એવુ વરદાન આપો કે એક્તાની જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે” એ ભાવ સમસ્ત જનમાનસ અને રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે. બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે […]


હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II 4

મસૂરી જવા માટે સવારે ૯ વાગ્યાની અમારી બસ હતી. સવારે ચા નાસ્તો કરી બસમાં ગોઠવાયા. સૌથી પહેલા દહેરાદૂન જવા નીકળ્યા અને ત્યાં રસ્તામાં આવતા પ્રકાશેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા. ત્યાંની ખાસીયત છે કે ત્યાં કોઇ પણ પ્રકારની દાન દક્ષીણા લેવામાં આવતી નથી અને તમે સામેથી કઈ પણ આપવાની કોશીશ કરો તો ત્યાંના લોકો તમને હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે. મંદિરમાં તમને ગરમ નાસ્તો, સફરજન અને ચા પ્રસાદ આપવામા આવે છે. ત્યાં મંદિરની બહાર આઈસક્રીમની દૂકાન છે જે મંદિરના ટ્ર્સ્ટ તરફથી ચલાવવામાં આવે છે, ત્યાંથી તમને આઇસક્રીમ ૪૦% ડીસ્કાઉટ્માં મળે છે. ત્યાં અમે પણ આઈસક્રીમનો લાહવો લીધો. પછી અમે મસૂરી જવા માટે નીકળ્યા, રસ્તામાં દહેરાદૂન માર્ક્રેટ્, સાઇટ સીન જોયા બસના ગાઇડે અમને મસૂરીનો રસ્તો બતાવતા કહ્યુ કે આ રસ્તાને સ્નેકરોડ કહેવાય છે, તે રસ્તાને  ઊપરથી જોતાં સાપ જેવો દેખાય છે, ખીણ દેખાય છે. સાઈટ સીન જોતા જોતા અમે મસૂરી લેક પહોંચ્યાં ત્યાં તળાવમાં બોટીંગ થતુ હતુ અને ત્યાં ગઢવાલના પારંપારિક કપડાં મળતા હતાં જે પહેરી  ફોટા પડાવવાથી મસૂરી ની યાદો તમે તમારી સાથે રાખી શકો . અમે ફોટા પડાવ્યા અને બોટીંગની પણ મોજ માણી . ત્યાર પછી  અમે મસૂરી માર્કેટ ફર્યા, જમ્યાં, એક સરસ ઉંચી ટેકરી પરથી હિમાલયના દર્શન કર્યા અને કેમ્પ્ટીફોલ્સ તરફ જવા આગળ વધ્યાં. પહાડમાં દરીયાની સપાટીથી ૬૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલા આ ધોધ ખૂબ સુંદર છે, પહાડમાં ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને સર્પાકાર રસ્તાથી તેનો ખૂબ સરસ દેખાવ તેની મૂળ ખાસીયત છે. ફોટોગ્રાફી કર્યા પછી અને ગરમાગરમ ચણા ખાધાં પછી ત્યાંથી પાછા નીકળ્યા, મોડી સાંજ થઈ ગઈ હતી, એટલે હરિદ્વાર જતાં મોડી રાત થઈ જવાની હતી એટલે રસ્તામાં એક ઢાબે જમ્યા. પહાડોમાં ઉલટીઓની પરંપરા કર્યા પછી અમારા ગૃપનાં બધાં […]


હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8

વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા. પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું. ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી. બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી […]


કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 7 (dSLR Digital Photography) 8

ડીજીટલ કેમેરાથી ફોટો પાડ્યા પછી તેના એડીટીંગ અને અપલોડીંગ વિશે શોધ કરતા કેટલીક અત્યંત સરસ ડીજીટલ સીંગલ લેન્સ રીફ્લેક્સ (dSLR ) કેમેરા તથા ઓનલાઈન ફોટો સ્ટોરેજ અને એડીટીંગ તથા માહિતિ માટે કેટલીક સરસ વેબસાઈટસ મળી, આજે આ કડીમાં થોડીક આવીજ વેબસાઈટસ વિષે…. www.dpreview.com ડીજીટલ ફોટોગ્રાફી અને કેમેરા તથા સોફ્ટવેર ના અપડેટેડ સમાચારો, લેટેસ્ટ ડીજીટલ કેમેરાઓ અને એસેસરીઝના રીવ્યુ અને તેના વિશે ચર્ચા કરવા માટેની ફોરમ, કેમેરાને કંપની પ્રમાણે ગોઠવી તેના દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સની વિશાળ અને સરસ સેમ્પલ ફોટો ગેલેરી, કેમેરા ખરીદવામાટેની મદદ માટે ખરીદનારાઓની ગાઈડ, કંપની પ્રમાણેનો કેમેરા ડેટાબેઝ વગેરે ૧૯૯૫થી ચાલતી આ વેબસાઈટને ઘણી રીતે ખાસ બનાવે છે. કેમેરાની સરખામણી પણ ખૂબ સરસ રીતે અને વ્યવસ્થિત મળે છે. ટિશ ફીલ એશ્કી તેના સાથીઓ અને હજારો ચાહકો અને વિઝિટર્સની મદદથી આ સરસ વેબસાઈટ ચલાવે છે અને કોઈ પણ ડીજીટલ કેમેરા માટે તેનો રીવ્યુ અચૂક મનાય છે. આ વેબસાઈટ હવે એમેઝોન.કોમ ખરીદી ચૂક્યું છે. www.shutterbug.net જૂના ફોટોગ્રાફીક બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરાથી લઈને રોલ વાળા કેમેરા અને હાલનાં ડીજીટલ કેમેરા સુધી બધી માહિતિ અહીં મળશે. ડીપીરીવ્યુ.કોમની જેમ અહીં પણ ફોરમ મુખ્ય સાધન છે જે માહિતિનો અખૂટ ભંડાર આપે છે. ફોટોગ્રાફી માટેના પ્રખ્યાત શટરબગ મેગેઝીનનો આ સાથીદાર છે. ડીપીરીવ્યુ.કોમમાં ફક્ત ડીજીટલ કેમેરાનાં જ રિવ્યુ મળશે પણ અહીં લેન્સ, સાદા કેમેરા, પ્રિન્ટર, કેમેરા બેગ, કે કલર મેનેજમેન્ટ પર પણ માહિતિ મળશે. ટૂંકમાં એક સરસ અને મુલાકાત લેવા લાયક, રેગ્યુલર વપરાશની વેબસાઈટ. www.popphoto.com પોપ્યુલર ફોટોગ્રાફી અને ઈમેજીંગ મેગેઝીન પ્રોફેશનલ અથવા અનુભવી કે સીરીયસ ફોટોગ્રાફરો માટે માહિતિનો ખજાનો મારી ઉંમરથી પણ વધુ સમયથી આપી રહ્યું છે. હબર્ટ કેપ્લર ૧૯૫૦થી ફોટોગ્રાફી, કેમેરા, અમેચ્યોર થી પ્રોફેશનલ ફોટોગ્રાફરો સુધી […]


મુંબઈ મેરી જાન – હવે શું?

મુંબઈ આતંકવાદી હુમલાઓને દિવસો પર દિવસો જઈ રહ્યા છે. આપણે તેમાં શહીદ થયેલા ભારતના સાચા તારલાઓને, ભારતના સાચા સપૂતોને શ્રધ્ધાંજલી આપી ચૂક્યા છીએ. પણ હવે શું? તેમની કુરબાની પરથી આપણે શું શીખ્યા? તેમની કુરબાનીની આપણે શું કદર કરી? આપણે ઉપકારને ભૂલી જનારા લોકો છીએ, ગેંડા જેવી ચામડી વાળા આપણે ( જેમાં હું પણ છું) કઈ રીતે સાબિત કરીશું કે આપણે ખરેખર તેમનો ઉપકાર માનીએ છીએ. ઈનફ ઈઝ ઈનફના પોસ્ટર લઈને રેલી કાઢીને કે હ્યુમન ચેઈન બનાવીને આ થઈ શક્શે? આપણે નફ્ફટ અને નપુંસક લોકો છીએ. કોઈક આવીને આપણા જ ઘરમાં આપણા જ લોકોને મારીને, આપણા જ અસ્તિત્વને હચમચાવીને જાય છે અને આપણે તે પછી થોડાક દિવસ ફુરસદે તેમને યાદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એક નહીં અનેક વખત આપણે આમ કરી ચૂક્યા છીએ. આપણે સિસ્ટમને ગાળો ભાંડીએ છીએ, રાજકારણીઓને બન્ચ ઓફ બાસ્ટર્ડ્સ કહીએ છીએ, શહીદો માટે બે મિનિટનું મૌન પાળીએ છીએ અને પછી પાછા કામે ચડી જઈએ છીએ. થોડાક દેશભક્તિના ગીતો યાદ કરીએ છીએ અને બસ ? આ જ આપણી દેશભક્તિ? મુંબઈને આપણે ગમે તેવા હુમલાઓ, ગમે તેવી આપત્તિઓ પછી પૂર્વવત થઈ જતી નગરી કહીએ છીએ, કે આપણે મુંબઈને ગાળ આપીએ છીએ, મુંબઈ પૂર્વવત થઈ જતી નથી અમુક લોકો એવા રહી જાય છે જેમના માટે બધું પહેલા જેવું રહી જતું નથી. શું તે મુંબઈ નથી? મુંબઈ જ કેમ, અમદાવાદ, દિલ્હી, કે ભારતનું એક પણ નાનામાં નાનું નગર કેમ ન હોય …… પૂર્વવત કાંઈ રહેતું નથી. બસ જેમણે પોતાના ખોયા હોય એ જ યાદ રાખે છે બાકી આપણે પાંચ દિવસ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભૂલી જઈએ છીએ. આપણા સાચા […]


ગઝલ રચના – બંધારણ વિશે થોડુંક 16

થોડા વખત પહેલા મેં લખેલી એક ગઝલ પર પ્રતિભાવ આપતાં એક મિત્રએ કહ્યું કે ગઝલ તેના પ્રકારો અને ગઝલ બંધારણ વિશે થોડુંક લખશો તો મજા આવશે. મારી મર્યાદિત જાણકારી અને ઈન્ટરનેટની મદદથી  આ લેખ તૈયાર કર્યો છે. ગઝલ વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. ગઝલ અને તેના બંધારણ વિશે મેં નેટ પર શોધ ચલાવી, અને તેનું પરીણામ એ આ લેખ. ગઝલ એ કવિતાનો એક એવો પ્રકાર છે જેની રચનાનાં મૂળભૂત એકમો એટલે કે “શેર” (જે મોટેભાગે અંત્યાનુપ્રાસમાં હોય છે), ના સંયોજન અને સમાવેશથી બનતી રચના. ઈ.સ. ૬ઠ્ઠી સદીની આસપાસ અરેબીક રચનાઓમાં તેના મૂળ માનવામાં આવે છે. તેનો ઉદભવ આરબ પ્રશસ્તિ પ્રકાર કસીદા માંથી થયો હોય તેમ માનવામાં આવે છે. ભારતમાં ગઝલનો વિસ્તાર ૧૨મી સદીમાં અહીંના શાશક બાદશાહો અને સૂફી સંતો વડે થયો મનાય છે. મૂળભૂત પર્શિયન અને ઉર્દુ કવિતાનો એક પ્રકાર એવી ગઝલ આજે ઘણી ભારતીય ભાષાઓની કવિતાનો એક આધારસ્તંભ છે. પર્શિયન કવિ જલાલ-અલ-દીન મુહમ્મદ રુમી (૧૩૩મી સદી), હફીઝ (૧૪મી સદી), ફઝૂલી (૧૬મી સદી), અને પછી મિર્ઝા ગાલિબ (૧૭૯૭-૧૮૬૯) મહમ્મદ ઈકબાલ (૧૮૭૭-૧૯૩૮) વગેરેનો ગઝલના વિકાસ અને વિસ્તારમાં ફાળો નોધપાત્ર છે. જો કે જ્હોન વુલ્ફગેગ વાન ગોધ દ્વારા ૧૯મી સદીમાં ગઝલો જર્મનીમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ. ગઝલ બંધારણ વિશે સામાન્ય રીતે ગઝલ બે પંક્તિના એક એવા પાંચ કે વધુ જોડકાંઓ (શે’ર) ની બનેલી હોય છે. ગઝલનાં વિવિધ ભાગો અને તેના બંધારણને સમજવા માટે એક ગઝલનું ઉદાહરણ લઈએ. कोई उम्मीद बर नहीं आती कोई सूरत नज़र नहीं आती मौत का एक दिन मु’अय्याँ है नींद क्यों रात भर नहीं आती आगे आती थी हाल-ए-दिल पे हँसी अब किसी बात पर नहीं आती […]


મુંબઈ મેરી જાન

૨૬ નવેમ્બર રાત્રે ૧૦.૩૦ વાગ્યે જ્યારે ટીવી પર મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ગોળીબારના સમાચાર સાંભળ્યા ત્યારે કલ્પનાય ન હતી કે આ સમાચાર એક એવી કરુણાંતિકા ની શરૂઆત કરી રહ્યા છે જે આપણા “ફાઈનાન્શીયલ કેપીટલ” અને સાંસ્કૃતિક રાજધાની મુંબઈને ધરમોળી દેશે અને આખો દેશ સ્તબ્ધ થઈ આપણા પર થયેલા આ હુમલાઓને અને તેને લીધે મૃત્યુ પામેલા લોકો, શહીદ થયેલા સિપાહીઓ અને આખાંય વિશ્વમાં “ભારત અસુરક્ષિત છે” એવી ગાઈ વગાડીને કરાઈ રહેલી જાહેરાતો ભારે હ્રદયે અને મજબૂર ભાવનાઓ સાથે જોવા પડશે. કોઈ પણ બહારના કહેવાતા “ધર્મ રક્ષકો” ભારતમાં આવી આવો ખૂનામરકી વાળો ખેલ કરી, કે પોતે પોતાનો આત્મઘાત કરી સાથે ઘણાયને મારી એક ખાસ દેશ કે સંગઠનને તેની સફળતાની ઉજવણી કરવાનો મોકો આપે, એ એક ભારતીય નાગરીક તરીકે મને પોસાય તેમ નથી. મને રાજકારણીઓની નથી ખબર, કેટલાંય એવા સમાચારો આ જ સમયમાં વહી રહ્યા છે કે જે કહે છે કે જેના ભરોસે આપણે જીવીએ છીએ એ આપણા નેતાઓ આપણી રક્ષા કરવાના છે કે પોતાના ખીસ્સા ભરવામાં અને રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવામાં છે. એ બધાંય જે ભારતની સુરક્ષાને, તેના ઔચિત્યને અને ધર્મનિરપેક્ષતાને, અખંડીતતાને હળવાશથી લેવાની કોશીશ કરી રહ્યા છે (ભલે તે અંદરના હોય કે બહારથી આવી હુમલા કરતા હોય) તેમને એક જ વિનંતિ, અમને યુધ્ધ નથી જોઈતું, પણ જો કોઈ અમારી વચ્ચે આવી અમારા પર જ હુમલો કરવાનો અને અમને જ વિખેરવાનો, ઝઘડાવવાનો પ્રયત્ન કરશે તો ભારતીયો જેટલા શાંત છે એટલી જ હિંમતથી જવાબ પણ આપી શકે છે. ગાંધીજી પર ભારતને ગર્વ છે તો ભગતસિંહ સામે પણ અમારું મસ્તક નમે છે.   અમારી ધીરજની પરિક્ષા લેવાનું રહેવા દો …. નહીં તો ……… આપણા […]


વણ-ખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 7

સૂકાઈ ગયેલ વન તરફ ફંટાતા બે રસ્તાઓ જોઈને, અફસોસ થાય છે કે હું બંને પર સફર નથી કરી શક્તો, અને , એક પ્રવાસી તરીકે, ઘણી વાર ત્યાં ઉભો રહ્યો, અને જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી જોયું જ્યાંથી તે જંગલમાં વળી જતા હતાં મેં એક રસ્તા તરફ જોયું, જવા માટે કદાચ એ જ સાચી પસંદગી નો રસ્તો હતો કારણકે તે હરીયાળો હતો અને જાણે સ્પર્શ માંગતો હતો જો કે પ્રવાસીઓએ તેને ધસી દીધો હતો બંને રસ્તે સવાર સરખી વહેંચાયેલી હતી પાંદડાઓમાં ક્યાંય કોઈપણ પગલાં નો વર્તારો ન હતો અરે, મેં પહેલો રસ્તો બીજા દિવસ માટે રાખી દીધો હતો અને આશંકા, કે ક્યારેય પાછો તે રસ્તે ફરીશ? મારે આ એક ખામોશી સાથે કહેવુ જોઈએ ક્યાંક કેટલાય જન્મારાઓ વીતી જાય છે બે રસ્તાઓ એક નિર્જિવ વનમાં ફંટાય છે, અને હું હું એવા રસ્તે ચાલી નીકળ્યો છું જ્યાં ખૂબ ઓછા લોકો ગયા છે પરંતુ એ જ, અને એ જ સાચો ફરક છે.  – વણખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ)   The road Not Taken Two roads diverged in a  yellow wood, And sorry I could not travel both And be one traveler, long I stood And looked down one as far as I could To where it bent in the undergrowth; Then took the other, as just as fair, And having perhaps the better claim, Because it was grassy and wanted wear; Though as for that the passing there Had worn them really about the same, And both that morning equally lay In leaves no step had trodden black, Oh, I kept the first for […]


પર્યાવરણ સંતુલનમાં ગીધ ના મહત્વ પર પરિસંવાદ

ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ દિવસ પશુ કે પંખીનો શિકાર કરતું નથી. ગીધ માત્ર અને માત્ર મરેલા જાનવરને જ ખાય છે. અને આવી રીતે પ્રકૃતિ અથવા ઈશ્વર ગીધ દ્વારા જાનવરોના મૃતદેહનો નિકાલ કરે છે. દસ થી બાર ગીધો નું ટોળું એક મરેલી ભેંસના મૃતદેહને જોતજોતામાં પોતાના આહાર સ્વરૂપે પૂરૂં કરી દે છે. જો ગીધ ન હોય તો એક ભેંસના મૃતદેહને કોહવાઈ અને માટીમાં ભળતાં, (તેનું સંપૂર્ણપણે વિધટન થતાં) કેટલોય સમય લાગે. જો ગીધ ન હોય તો ….. તો આપણી ચારે બાજુ મરેલા અસંખ્ય જાનવર જોવા મળે, અને આ મૃતદેહો કોહવાય ત્યારે તેમાં અસંખ્ય જિવાણુંઓ અને વિષાણુંઓ પેદા થાય જે મનુષ્યને ખૂબ જ હાનિકારક છે. કુદરતી આપતો જેવી કે પૂર, ધરતીકંપ વગેરે દરમ્યાન અસંખ્ય પ્રાણીઓના મૃતદેહોનો જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળે. આપણી આજુબાજુ આવા ઘણાં કારણો અને કુદરતની આહાર શૃંખલા ખોરવાવાનાં કારણથી હવે એવા ઘણાંય નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યા છે જેનાં નામ પણ આપણે સાંભળ્યા ન હોય. આમ ગીધ એ પ્રકૃતિના પરીસરતંત્રનો ખૂબ અગત્યનો ભાગ છે. તે પ્રકૃતિનો સફાઈ કામદાર છે. અને માનવ જીવન માટે આશિર્વાદ છે. આ ગીધોને બચાવવા એ આપણી ફરજ પણ છે અને સ્વાર્થ પણ. ગુજરાત સરકારના વન વિભાગ તથા પક્ષી સંરક્ષણ મંડળ (BCSG) તરફથી વલ્ચર સેલના માર્ગદર્શન હેઠળ, નેચર ક્લબ, મહુવા દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. કે જેમાં આપણે સૌ સાથે મળી ગીધના રક્ષણ અને પ્રકૃતિના પરીસરતંત્રને બચાવવા આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરીશું. આ પ્રસંગે સર્વે પર્યાવરણપ્રેમી મિત્રોને આવવા હાર્દિક આમંત્રણ છે. તારીખ – ૧૬-૧૧-૨૦૦૮, રવિવાર, સમય ૩.૦૦ થી ૬.૦૦ સ્થળ – પ્રસાદ […]


૪૦૦૦૦ ક્લિક્સ અને ૩૦૦ પોસ્ટસ

પ્રિય મિત્રો, અધ્યારૂ નું જગત અંતર્ગત ગુજરાતી સાહિત્યજગતની મારી આ યાત્રા આજે ૪૦૦૦૦ ક્લિક્સ પાર કરી ગઈ છે. અને સાથે બુધવારે તે ૩૦૦ પોસ્ટના સીમાચિન્હ પર પણ પહોંચશે. આ શરૂઆતમાં મારું જગત હતું કારણકે હું જ પોસ્ટ કરતો અને હું જ વાંચતો. પહેલી પાંચ પોસ્ટમાં મહત્તમ દસ ક્લિક્સ મેળવી હતી….જોડણીની ભૂલો કે સાહિત્યના વિવિધ પ્રકારોની ઓછી માહિતિ જેવા ઘણાં કારણો હશે. પણ પડતાં આખડતાં આખરે બાબલો ચાલતા શીખ્યો છે. આશા છે સૌ વાચક મિત્રો, પ્રશંશકો અને રાહબર મિત્રોની આંગળી ઝાલી સાહિત્યની કુંજગલીઓમાં ફર્યા કરીશું. આ સાથે આજથી અધ્યારૂ નું જગત મારી પત્ની અને મિત્ર પ્રતિભા અધ્યારૂ ને સોંપી રહ્યો છું. સમયની ખેંચતાણ અને અન્ય કેટલીક પ્રવૃતિઓને લીધે હવેથી આ બ્લોગ તે સંભાળશે. છેલ્લા ત્રણ દિવસની પોસ્ટસ (ગુરુવાર, શુક્રવાર અને શનિવાર) પ્રાયોગિક રીતે તેણે કરી હતી. આશા છે આ પ્રવૃતિ તેના યથાયોગ્ય સ્વરૂપમાં અને સૌની વાંચન અપેક્ષા પૂર્ણ કરી શકે તે રીતે આગળ વધશે. વળી તા. ૩૦ નવેમ્બર થી ૧૨ ડીસેમ્બર સુધી અમે હરિદ્વારની યાત્રાએ જઈ રહ્યા છીએ. આ યાત્રાની રોજેરોજની અપડેટ્સ અધ્યારૂના જગત પર વિડીયો સ્ટ્રીમીંગ સાથે મૂકવાના પ્રયત્નો ચાલુ છે. જો બધુંય ધાર્યા પ્રમાણે થયું તો એક દિવસ તમને સૌને ગંગા આરતી લાઈવ બતાવી શકીશ. નહીંતો વિડીયો તો ખરોજ….. ૪૦,૦૦૦ ક્લિક્સનો આંકડો હવે એક પડાવ છે. દસ હજાર ક્લિક્સ મળે તો ભયો ભયો એવી પ્રાર્થના અને આશા હતી.. જે અપેક્ષાઓથી ઘણુંય વધારે છે, અને સાથે સંતોષ છે કે હવે મારી પાસે અભિવ્યક્તિનું એક નવું માધ્યમ છે, અસંખ્ય સહ્ર્દયી મિત્રો અને શુભેચ્છકો છે અને એક અનોખો આનંદ છે. …… આને કહેવાય મંઝિલ થઈ ગઈ પડાવ અને યાત્રા થઈ આનંદની…. જય અલખધણી….


આ સમાજને – જીગ્નેશ અધ્યારૂ

આખરે ક્યાં સુધી હું આમને આમ જ જીવ્યા કરું? અને જોયા કરું મૂંગો થઈને ગૂંગળાતું બાળપણ જ્યાં ત્યાં ખોરવાતુ ને ખોટે રસ્તે દોરવાતું યૌવન, ને અપમાનોની આગમાં ભારે ઠુંઠવાતું ઘડપણ. ક્યાં સુધી હું જોયા કરું તમારા નિર્દય દેખાડા ભેદભાવના નગ્ન તમાશા માણસ માણસના રક્તના પ્યાસા એકને માથે, એક ખાસડે એકને આશા, એક નિરાશા ક્યાં સુધી હું જોયા કરું કે તમે કોઈના નથી મતલબના સાથી છો ને ઘોર સ્વાર્થી છો ક્યાં સુધી હું આમ જ જોયા કરું ને વિચાર્યા કરું, ક્ષણે ક્ષણે મરું કે હું ય તમારામાં થી જ એક છું.


અંતિમ પ્રયાણ – જીગ્નેશ અધ્યારૂ

સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા સુખભર્યા જીવતરના સોનેરી સોણલા ઉઘાડી આંખોમાં અધૂરા રહી ગયા બે ચાર ડચકાં, છૂટતા શ્વાસો અણદીઠાં સ્વપ્નો અધૂરી આશો મનના ઉમંગની અણકહી વાતો ચાલ્યા અમે ને એ બધાં રહી ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા મોટાં રુદનને ક્યાંક આંખોમાં પાણી જીવનની લીટીને ઘણી લાંબી તાણી પણ સુખની એકેય ક્ષણને ન માણી એ ક્ષણોના સરવાળા, ભાગાકાર થઈ ગયા સફર હજીતો જાણે શરૂ જ કરી ને રસ્તા પૂરા થઈ ગયા


ખોટો એક રૂપીયો – આત્મકથા

મારા હિસાબે તો તમે ઘણા જ નસીબદાર છો કે તમને કમ સે કમ એટલી તો ખબર જ છે કે તમારાં માતાપિતા કોણ છે ! એ અર્થમાં હું તો એવો લાવારિસ છું કે મને એ પણ ખબર નથી કે મારાં જન્મદાતા કોણ છે. મૂલ્યની દ્રષ્ટીએ મારું મૂલ્ય પૂરેપૂરું સો પૈસા એટલે કે એક રૂપીયો છે પણ મને તો તમને કહેતા પણ શરમ આવે છે કે હું એક રૂપીયાનો ખોટો સિક્કો છું. ગઈકાલે આ દુકાનના શેઠનો આઠમાં ધોરણમાં ભણતો દીકરો એની ગુજરાતી વાચનમાળાનો ખોટી બે આની નામનો પાઠ મોટેથી વાંચતો હતો ત્યારે એના લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ જેમ પૂછ્યું છે તેમ મને પણ ઘણી વાર મારા જન્મદાતા વિશે પૂછવાનું મન થાય છે કે કયો મોરલો આ કળા કરી ગયો? પણ હજુ સુધી એ માડીનો જાયો મને મળ્યો નથી. દુકાનના ઉંબરા પર મારી સમાધિ રચાઈ તે પહેલાની મારી આ સંસારની ભ્રમણયાત્રા અત્યંત રોચક અને રસપ્રદ છે. મને “Back to pavilion” નો કડવો અનુભવ મ્યુનિસિપલ બસના કંડક્ટરે સહુથી પહેલી વખત કરાવ્યો. જે કાકાના હાથમાં હું રમતો હતો તેમણે પોતાના સિનિયર સીટીઝનના પાસ માટે રૂ. ૧ ની ટિકિટ લેવા જેવો મને કંડક્ટરના હાથમાં મૂક્યો કે અનુભવી કંડક્ટરે આ કાકાનાં હાથમાં ગુસ્સે થઈને મને પાછો પકડાવી દીધો. કાકાએ ઘેર આવી સૌને પોતાની ફજેતીની વાત કહી એટલે તેમના પૌત્રે ‘લાવો હું કોઈકને પકડાવી દઈશ’ ના આત્મવિશ્વાસ સાથે મારો હવાલો લઈ લીધો. આ જુવાનિયાએ મને આમ તો સીધીરીતે ઘણાંયને પકડાવી દેવાના પ્રયત્નો કર્યા પણ તેની કોઈ ચાલ કામયાબ ન થઈ. ચ્હા પી હોટલવાળાને પાંચ રૂપીયાના છુટ્ટા આપવાના પરચૂરણમાં મારો સમાવેશ કર્યો, પણ પેલાએ મને પાછો કરતાં કહ્યું ‘આ ખોટો […]


કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે.  ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]


ઈન્ટરનેટના પ્રખ્યાત પુસ્તકાલયો

ઈન્ટરનેટ પર એવા કેટલાંય પુસ્તકાલયો ઉપલબ્ધ છે જે પુસ્તકોનો અખૂટ ભંડાર ધરાવે છે. ઘણી અપ્રાપ્ય પુસ્તકો અહીં સ્કેન કરીને મૂકેલા મળી આવશે તો ઘણાં ટાઈપ ક્રઈ, રીફોર્મેટ કરી મૂકેલા મળી આવશે. આશા છે આ માહિતી ઉપયોગી થશે. ઈન્ટરનેટ આર્કાઈવ (અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ પુસ્તકો અને તેની ડાઉનલોડ કરવા માટે વિવિધ ફોર્મેટની અપાતી સગવડ તેને મારી ફેવરીટ વેબસાઈટ બનાવે છે. અહીં ઉપલબ્ધ પુસ્તકોના એક બે ઉદાહરણો, દા.ત. એન્સાઈક્લોપીડીયા બ્રિટાનીકા, ) યૂ કે વેબ આર્કાઈવ કન્સોર્ટીયમ એક્સેસ માય લાઈબ્રેરી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ (પસંદગીના ઈન્ટરનેટ સોર્સની લીંક્સ) વર્લ્ડ વાઈડ વેબ વર્ચ્યુઅલ લાઈબ્રેરી વેઇર્ડ ફોર બુક્સ પીડીએફ બુક્સ ઓનલાઈન બુક્સ પેજ આ સિવાય અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે…..જો તમને આ સિવાય કોઈ સરસ વેબસાઈટ લાઈબ્રેરી ખબર હોય તો જણાવો…


ભેંસના પાપડ – પારંપારીક દાંડીયા @ મહુવા

વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં. પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે. પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. […]


માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]


પ્રોજેક્ટ ગુટનબર્ગ – વિશ્વનું પ્રથમ ડીજીટલ પુસ્તકાલય

પ્રોજેક્ટ ગુટનબર્ગ જેને સામાન્ય રીતે PG તરીકે ઓળખાય છે, તે સાહિત્ય અને સંસ્કૃતિને ડીજીટલ સ્વરૂપમાં ફેરવી, સંગ્રહવાનો અને વહેંચવાનો અને સર્વેને ઉપલબ્ધ કરાવવાનો એક સ્વયંસેવાનો પ્રયત્ન છે. રોજ જેની મુલાકાત લઈ આખા વિશ્વના લોકો લગભગ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ પુસ્તકો ડાઉનલોડ કરે છે, અને મને તથા મારા જેવા અસંખ્ય લોકોને ક્લાસિક અને સમકાલીન અંગ્રેજી સાહિત્ય જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેવી આ વેબસાઈટ ખરેખર અંગ્રેજી સાહિત્યના રસિયાઓ માટે આશિર્વાદ છે. અંગ્રેજી સિવાય પણ અન્ય ભાષાઓમાં થોડાક પુસ્તકો ઉપલબ્ધ છે. આ યોજના ની શરૂઆત ૧૯૭૧માં માઈકલ હાર્ટે કરી હતી. પોતાના સંગ્રહમાં ૨૫૦૦૦થી વધુ આર્ટીકલ્સ રાખી રહેલ આ ગ્રંથાલય આજે ઘણાંયની વાંચનભૂખ સંતોષે છે. પૂરા થઈ ગયેલા કોપીરાઈટ વાળી કે પબ્લિક ડોમેઈનમાં રહેલ પુસ્તકોને ડીજીટાઈઝ કરી, સર્વેના ઉપયોગ માટે તેને ઈન્ટરનેટ પર એક સાથે ઘણા ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવાની આ યોજના ખૂબ સફળ થઈ. પ્રોજેક્ટ ગુટનબર્ગની પ્રથમ રચના હતી અમેરીકાનું સ્વતંત્રતાનું જાહેરનામું. આ પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું જર્મન પ્રિન્ટર જોન્સ ગુટનબર્ગના સમ્માનમાં જેમણે મૂવેબલ પ્રિન્ટીંગ પ્રેસની શોધ પંદરમી સદીમાં કરી. પ્રોજેક્ટ ગુટનબર્ગની હાલની વેબસાઈટ તથા પુસ્તકોની સૂચી તૈયાર કરી પિત્રો-દ-મીસલીએ. ત્યારબાદ પ્રોજેક્ટ ગુટનબર્ગના સ્વયંસેવકોની સંખ્યા અને કાર્યભાર સતત વધતા રહ્યા, જાતે પુસ્તકો ટાઈપ કરવાથી લઈને સ્કેન કરી અને કેરેક્ટર વેરીફીકેશન વડે પુસ્તકની ડીજીટલ પ્રિન્ટ તૈયાર કરવી જેવી અસંખ્ય પ્રગતિઓ થઈ. અહીં પશ્ચિમના સાહિત્યિક અને સાંસ્કૃતિક પાસાઓની જાણકારી આપતાં અનેક પુસ્તકો છે. નવલકથા, કવિતાઓ, નવલિકાઓ, નાટકો સાથે વાનગીઓના પુસ્તક તથા રેફરન્સ પુસ્તકો પણ છે અને દર અઠવાડીયે નવા પચાસથી વધુ પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. આ મહાકાય સંગ્રહના આજના વધુ ડાઉનલોડ થઈ રહેલા સો પુસ્તકોની યાદી અહીં જુઓ, તથા પ્રોજેક્ટ ગુટનબર્ગના ઘર પાના પર અહીંથી જાઓ….. પ્રોજેક્ટ ગુટનબર્ગ […]


માનસ નવરાત્રી @ મહુવા 11

યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા આજથી મહુવા ખાતે શરૂ થઈ રહેલી “માનસ નવરાત્રી” અનેક રીતે ખાસ છે. એક તો તે શ્રી બાપુના પોતાના વિસ્તારમાં હોવાના લીધે લોકોમાં અનન્ય ઉત્સાહ છે, વળી નવરાત્રી જેવા શક્તિપૂજાના પર્વે આ સુંદર આયોજન થયું છે તે ખૂબ આનંદ અને ભક્તિનો ઉત્સવ છે. આપ સૌને આ પ્રસંગે મહુવા આવવાનું હાર્દિક આમંત્રણ છે. શક્તિ અને તેના સ્વરૂપો વિષે માનસ નવરાત્રીમાં પૂજ્ય બાપુ ખૂબ સરસ વર્ણન કરશે અને તેમની યુગાન્ડાના કમ્પાલામાં માનસ કૃપાલા પછીની આ નવી શક્તિ ભક્તિ યાત્રા ખરેખર ખૂબ માણવાલાયક બની રહેશે…મહુવાના પેવિલીયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કથામાં આપ સર્વેને આવવા, જોડાવા અને ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ. નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. ‘જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત – આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે. અહીં મહુવામાં વડોદરાના ગરબા, મોડી રાતોના ઉજાગરા, પાસની વ્યવસ્થા અને પછી ગરબા રમવાનો (વડોદરાની ભાષામાં ગરબા ‘ગાવાનો’) અનન્ય આનંદ આ વખતે નહીં મળે પણ આ વખતે પૂજ્ય બાપુની માનસ નવરાત્રી તેની ખોટ મને નહીં સાલવા દે તેવી મને ખાત્રી છે. શક્તિપૂજા ના નવ દીવસોના આ નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…..માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે […]


મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨) 11

પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) ********* હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો. રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો. મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.” મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.” તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?” “હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં. ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ….. મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો…… મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી […]


મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ 5

બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…  ————-> હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા, વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા, ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી, હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી, પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. રાજુ ને હીતુ, રેખુ ને ભાનું, શોરથી આવી, ભાગતા છાનુંમાનું છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ, જીવનભર સાચના રસ્તે થયા ન કદી […]


મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) 17

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]