પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત 4
આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.
આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.
સંપત્તિ, સત્તા અને પૈસો કોઈને પણ સાનભાન ભૂલવવા માટે પૂરતા અનિષ્ટો છે, એવા સમયે જ્યારે તમારા પ્રભાવને લીધે અનેક લોકો તમારી આગળ પાછળ ફરતા હોય, પ્રસંશાના પુષ્પો વેરતા હોય અને બદલામાં તમારી સત્તા, સંપત્તિનો ઉપયોગ કરવાનો યત્ન કરે ત્યારે તમારા સગા વહાલા, મિત્રો વગેરેમાંથી કોઈ તમને પૂર્ણપણે ઓળખી શક્શે નહીં, તમને તમારા મનના દરેક પ્રશ્નનો સાચો જવાબ આપી શક્શે અરીસામાં દેખાતો એ માંહ્યલા માંહેનો માણસ. ૧૯૩૪માં ડેલ વિમ્ર્બો દ્વારા મૂળે અંગ્રેજીમાં લખાયેલી આ રચના તે પછી ખૂબ પ્રચલિત થઈ અને શબ્દોના ફેરફાર કરીને અનેક લોકોએ આ રચના સાથે પોતાનું નામ જોડ્યું. મૂળ રચનાનો એકે એક શબ્દ ખૂબ સૂચક છે અને એવો જ સુંદર અનુવાદ શ્રી ભરતભાઈ કાપડીઆની કલમે આપણને મળ્યો છે.
બાંધકામ કરનારાઓ તો ફક્ત એક મકાનનું નિર્માણ કરે છે પણ એને ઘર બનાવે છે એમાં વસનારા, તેની સાથે અનેક સપના અને ઘટનાઓને જોડનારા. ઘર વિશે અનેક સદાબહાર અને મનનીય પદ્યરચનાઓ આપણા ભાષા સાહિત્યમાં ઉપલબ્ધ છે, આવો આજે એવી જ થોડી રચનાઓનો આનંદ લઈએ.
મુરલી ઠાકુરની પ્રસ્તુત રચના સદા આગળ ધપતા રહેવાની, પ્રયત્ન છોડી દીધા સિવાય સતત મહેનત કરતા રહેવાની વાત કહેતી સુંદર રચના છે. કવિ પોતાના ચરણને અને એ રીતે પોતાના મનોબળને, આત્મવિશ્વાસને અને સફળતા પ્રત્યેની શ્રદ્ધાને પ્રસ્તુત રચના દ્વારા આગળ વધતા રહેવાની વાત કહે છે.
આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની બે સદાબહાર ગઝલો…
હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,
ત્યાં તમારું નામ બોલાયું બહુ સારું થયું.
અને
અલગારી મન આસવ પીધો
કોઈ નયનથી સીધે સીધો
પગ લથડ્યા તો કોઈ રૂપાળી
કેશલતામાં વળ થઈ જાવું.
અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં મૂકવા માટે લોકમિલાપ ટ્રસ્ટની પરવાનગીથી તેમના દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ ટાઈપ કરી રહ્યો છું. અને એમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. એમાંથી જ આજે ત્રણ અછાંદસ મૂક્યા છે. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આ અછાંદસ વિશે કહેવા માટે શબ્દો ખૂબ ઓછા પડે છે, એ તો અનુભવે જ કહી શક્શો.
ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરે છે ને વળી આગળ ધપે છે. લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે એમ માની એને સ્થિર કરી. દૂર દૂર ક્ષિતિજમાં કંઈ ને કંઈ ફેલાયેલું છે. એની પાછળ કુદરતનો જ હાથ છે પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ? એને કોઈ સાંત્વન નથી. ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી, આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી, કારણ નજરો લાચાર છે, ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે, ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી. બસ ઘૂરક્યા જ કરે છે.
આજે પ્રસ્તુત છે અનેકવિધ સર્જકોનું શેર સંકલન. વિવિધ વિષયો અને વિચારોને સાંકળીને અનેક રચનાકારોની પ્રસાદી રૂપે આ શેર નિપજ્યા હશે, એ શેર આજે આપ સૌની સાથે મમળાવવાની મજા લેવી છે.
એક સર્જક, કવિ, ડ્રામા આર્ટિસ્ટ, આકાશવાણીના કૅઝ્યુઅલ એનાઉન્સર એમ બહુરંગી પ્રતિભા ધરાવતા શ્રી શૈલેષભાઈ પંડ્યા ‘ભીનાશ’ નો પદ્ય સંગ્રહ જૂન ૨૦૧૨માં પ્રસિદ્ધ થયો. ૬૬ ગઝલો, ૧૨ ગીતો, ટ્રાયોલેટ અને અછાંદસ ધરાવતો એક સુખદ અનુભવ એટલે શૈલેષભાઈનો પ્રસ્તુત સંગ્રહ ‘નિખાલસ’ જે સંગ્રહના નામની જેમ જ તેમની નિખાલસતાનો અને ભીનાશનો ખૂબ સુંદર સ્પર્શ કરાવી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત સંગ્રહ પાઠવવા બદલ શ્રી શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આપણને હજુ આવી જ સુંદર રચનાઓ પ્રાપ્ત થતી રહે એ માટે અનેકો શુભકામનાઓ. આજે માણીએ આ સંગ્રહના ગીતોમાંથી ચાર મને ગમતીલા સુંદર ગીત.
વાચકમિત્રોની સંકલિત રચનાઓમાં આજે પ્રસ્તુત છે શ્રી મનુભાઈ દેસાઈની કૃતિ ‘વિશ્વબંધુત્વ’, શ્રી પી. કે. દાવડાની હાસ્ય પદ્યરચના એવી ‘ઈન્ટરનેટને આંગણે શ્રી ગિરધારી’ અને શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયાની સચોટ ધારદાર રચના ‘ગુજરાત છે ભાઈ, અહીં રહો તો જ સમજાય…’ પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
કરસનદાસ માણેક કેવળ કવિ નહોતા, તેમણે અનેક નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તેઓ તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ. આજે પ્રસ્તુત છે શ્રી કરસનદાસ માણેકની ત્રણ સુંદર પદ્યરચનાઓ. જાનારાને જાવા દેજે.., હે જીવનદાતા આવો, તથા ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો ! ત્રણેય રચનાઓ સુંદર અને મનનીય છે.
સાહિત્યમાં વ્રજ, અવધિ, મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ તથા સંગીતમાં પણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત તેમજ રાગદારીનો અભ્યાસ જેમણે મેળવ્યો તેવા શ્રી નીનુ મઝુમદારની ઉપરોક્ત રચના કઈ કોટડી વિશે વાત કરે છે એ સમજવું ભાવક માટે જરાય મુશ્કેલ નથી. અર્થ સાવ સરળ અને સહજ છે. જીવનને એક કોટડી ગણી એમાં ભરેલા સામાનને, એના વિવિધ સ્વરૂપોને કવિ પ્રસ્તુત પદ્યરચનામાં અસરકારક રીતે વર્ણવે છે.
આજે પ્રસ્તુત છે ફક્ત ત્રણ વર્ષાકાવ્યો, દેવિકા ધૃવ, પ્રજારામ રાવળ અને મનોજ ખંડેરિયાની આ સુંદર રચનાઓ છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા વર્ષાકાવ્યોની આ મજલિસને અનોખા રંગે રંગીને તરબરત રસસભર કરશે એ ચોક્કસ. આપને આ ઈ-વર્ષાઋતુ કેવી લાગે છે તે ચોક્કસ કહેશો.
આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.
આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે…
ગઈકાલે કેટલાક વર્ષાકાવ્યો મૂક્યા હતા જેને આપ સર્વે મિત્રોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો. આજે પ્રસ્તુત છે બીજા પાંચ એવા જ મનોહર વર્ષાકાવ્યો. આશા છે આપને આ વરસાદ ભીંજવતો હશે, સ્મરણોના – પ્રેમના – વહાલના – આનંદના – મિત્રતાના એમ વિવિધરંગી વરસાદમાં રસતરબોળ કરતો હશે. આજે પ્રસ્તુત છે શ્રી અવિનાશ વ્યાસ, ગની દહીંવાલા, બાલમુકુન્દ દવે, ઝવેરચંદ મેઘાણી અને ત્રિભુવન વ્યાસની વર્ષાકૃતિઓ. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશું પાંચ વધુ વર્ષાકાવ્યો એકત્ર કરીને પ્રસ્તુત કરવાનો.
આપણા આદ્યકવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, ન્હાનાલાલ કવિ અને કૃષ્ણલાલ શ્રીધરાણીના વર્ષાકાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. આ વર્ષાકાવ્યોના વરસાદમાં સૌને રસતરબોળ કરવાનો પ્રયત્ન હજુ આગળ વધવાનો છે જે અંતર્ગત વધુ કાવ્યો મૂકાવાના છે. બે દિવસના વડોદરાના મુકામ દરમ્યાન વરસાદને મન ભરીને માણ્યો, શરીર પલળ્યું, મન પલળ્યું તો થયું વેબવિશ્વને પણ વર્ષાકાવ્યોના વરસાદમાં તરબોળીએ…
કૃષ્ણભક્તિની વાત આવે અને નરસિંહનું નામ સ્મરણમાં ન આવે એ કેમ શક્ય છે? જન્માષ્ટમી નિમિત્તે આજે પ્રસ્તુત છે નરસિંહ મહેતાની સર્જેલી કુલ ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ… આ સુંદર રચનાઓ એકત્ર કરી, ટાઈપ કરી મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.
આજે શ્રી કૃષ્ણ અવતરણના સ્મૃતિદિને, જન્માષ્ટમી નિમિત્તે કેટલાક કૃષ્ણકાવ્યો એકઠા કરીને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કાવ્યો એકત્ર કરી ટાઈપ કરી મોકલી આપવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો ખૂબ ખૂબ આભાર. દસેય કાવ્યરચનાઓ અજોડ છે અને મને ખૂબ ગમે છે. પ્રભુ સર્વેને સુખ, શાંતિ અને ઐચ્છિક આશીષ આપે એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને જન્માષ્ટમીની શુભકામનાઓ.
રોજીરોટી કમાવા અથવા અન્ય વિટંબણાઓને લઈને વતનથી દૂર જવું પડ્યું છે તેમને માટે અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વતનની યાદ સતાવે છે. એમાં વર્ષાઋતુ મુખ્ય છે. પહેલા વરસાદમાં પોતાના વતનને – ગામને યાદ કરતા એ અદના માણસની મનોવેદના કવિશ્રી ઉશનસના પ્રસ્તુત કાવ્યમાં સુપેરે વ્યક્ત થાય છે. આ પરથમ પહેલાના ઘનઘોરેલ આકાશે માટીની સુગંધ અને હરીયાળી થઈ રહેલી ધરાને જોઈને કવિને પોતાના વતનથી દૂર હોવા છતાં ત્યાં જ હોવાનો અહેસાસ થાય છે. ગામના કાંઠે વહેતી નદી, ઘર, પણિયારાની માટલી અને આથમણા પાદર જાણે કવિને હાથવેંત છેટા જ લાગે છે. આવી સુંદર રચના એ સર્વેને અર્પણ જે ગોરંભાયેલા વતનના આકાશને યાદ કરીને તેનાથી દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ જીવંત રાખી શક્યા છે. પ્રસ્તુત રચના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત ‘કાવ્યકોડીયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.
અમૃત ઘાયલ સાહેબની બે અપ્રતિમ ગઝલ – ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે – અને – ચાહ કરે છે, લાડ કરે છે, પ્રેમ નહીં, એ પાડ કરે છે….. આપ સૌ માટે ઉપલબ્ધ છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડીયાં સંપાદનમાંથી આ રચનાઓ સાભાર લેવામાં આવી છે.
બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.
આજનો સમય અનેક વિટંબણાઓ અને તકલીફો વચ્ચે જીવનને એક માર્ગ કરી આપવાની સતત ચાલતી મહેનતનો છે. ભ્રષ્ટાચાર એ સૌથી મોટો રાક્ષસ છે જે અનેકોના મુખમાંથી અન્ન લઈને કોઈ એકને મોતીઓ ભરી આપે છે, સર્વત્ર વ્યાપક ભ્રષ્ટાચાર આપણી પદ્ધતિ થઈ ગઈ છે અને એ જ મુદ્દાને લઈને લડત લડી રહેલા અન્ના હજારેના આંદોલનને આપણૉ ટેકો એ હેતુસર પણ હોવો ઘટે.આપણામાંથી કોઈક તો જાગે એવા વિધાન સાથે શરૂ થઈ રહેલ શ્રી વેણીભાઈ પુરોહિતનું આ સુંદર અને ગર્ભશ્રીમંત કાવ્ય અંતે તો આપણામાંથી તું જ જા આગે… જેવી સ્વ-ઓળખની વાતને જ સૂચવે છે. આજે પ્રસ્તુત છે આ સુંદર અને અર્થસભર કાવ્ય.
અમદાવાદના શ્રી ભાવિનભાઈ ગોપાણીની અક્ષરનાદ પર આ પ્રથમ બે રચનાઓ છે. તેમની ગઝલો આજે આપના પ્રતિભાવો માટે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ શ્રી ભાવિનભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.
મહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે?
અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટ નિસર્ગના સાનિધ્યમાં રહેનારા કવિ હતા. સરળ શબ્દોમાં સામાન્ય દેખાતી ઘટનાને અસામાન્ય કરવાની કલાના ઉત્તમ સાધક હતા. કવિની દ્વિધા એના શીર્ષકથી શરુ થાય છે. બે અર્થો લઇ શકાય છે. એક અર્થ ક્ષુલ્લક (minor) અથવા બીજો અર્થ મંદ (minor musical note). શેક્સપીઅરના હેમ્લેટની દ્વિધા “કરું કે ન કરું” પ્રમાણે કવિ આ કાવ્યમાં પોતાની દ્વિધા દર્શાવે છે. પક્ષીના અવાજથી કંટાળી ગયા છે તો પણ એ ખબર છે કે પક્ષીનો ગાવાનો પણ એટલો જ અધિકાર છે. મનુષ્ય અને નિસર્ગ વચ્ચેનો દૈનંદિન સંઘર્ષ અહી દેખાય છે. કવિ માને છે કે વૈયક્તિક સ્વાતંત્ર્ય – જેના પર અમેરિકાનું બંધારણ રચાએલું છે- ખુબ મહત્વનું છે અને ગીતનો અવાજ અથવા વિરોધી મતને દબાવવું ખોટું છે અને સૃષ્ટિ સાથે સંઘર્ષને બદલે સંપર્ક રાખવાની સલાહ આપે છે.
ઉમાશંકરભાઈની સુંદર પદ્યરચનાઓમાં પ્રગટ થતી તેમની સર્જનશક્તિ જાણીતી છે. પણ એ કદી ચાતુકિત કે ચતુરાઈમાં નથી સરી પડતી. એમાં ક્યાંક અંતરની દીપ્તિ અને પ્રીતિને સ્પર્શ રહ્યો હોય છે. એમની પ્રદ્યરચનાઓના વિશાળ સંચયમાંથી આજે પ્રસ્તુત છે કેટલીક કણિકાઓ.
કોઈ ગીત કે ગઝલ એટલી સુંદર કૃતિ હોય કે તેને વાંચતા વાંચતા ગાવાની ઈચ્છા થઈ આવે, એ મનમાં આપમેળે ગણગણાવા લાગે ત્યારે એટલું તો ચોક્કસ કે મનના વણજોયા તારને સ્પર્શતું એ ગીત કોઈક તો વિશેષતા ધરાવતું હશે જ. ગીતમાં કવયિત્રી સર્જનહાર પ્રત્યેની શ્રદ્ધાની વાત કહે છે. પ્રસ્તુત કૃતિમાં ક્યાંક રચનાકારને આધ્યાત્મિક જગત સાથે સીધો તર સંધાયો હોય એવી સંવેદના વાચકને થાય છે. પોતાના ભાવજગતમાં રહીને જે રચનાકારોની કૃતિઓ આપોઆપ ઉતરે છે તેમનો કૃત્રિમ રીતે કારખાનામાં બનતી વસ્તુઓની જેમ સર્જન કરતા સર્જકો કરતાં અંદાઝ સમૂગળો અલગ જ અનુભવાય છે. પ્રસ્તુત કૃતિ પણ જાણે આખેઆખી રચનાકારના માનસમાં ઉપસી હોય એવી સુંદર અને શ્રદ્ધાસભર છે.
ગઈકાલે ફાધર્સ ડે હતો. અત્યાર સુધી એક પુત્ર તરીકે જ આ દિવસને વિચારતા એ અનોખી વાતનો અહેસાસ જ ન થયો – ગઈકાલે મારી પુત્રીએ જ્યારે તેની મમ્મીના શીખવ્યા મુજબ ‘હેપ્પી ફાધર્સ ડે પપ્પા’ કહ્યું ત્યારે લાગણીઓની વાત અનોખી થઈ રહી. ‘તો પપ્પા હવે ફોન મૂકું’ જેવી સુંદર અને હ્રદયસ્પર્શી રચના આપનાર આપણા કવિ શ્રી મનોહર ત્રિવેદીની એક અનોખી રચના દીકરીઓ વિશે જ છે… કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા અને તેની ત્રણ દીકરીઓ વિશેની આ રચના હ્રદયસ્પર્શી તો છે જ – પિતા માટે એ લાગણીની સફર છે…. અને આજે પ્રસ્તુત છે એ જ સફર મનોહરભાઈના શબ્દો સાથે અને આપણી લાગણીના ઉંડાણે.