અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

‘અથશ્રી’ પ્રશ્નોત્તરીના જવાબો 1

મહાગ્રંથોની અકથિત પરંતુ રસપ્રદ વાતો કહેતું પુસ્તક ‘અથશ્રી’ ધનતેરસના શુભ દિવસથી પ્રિ બુકિંગ કરાવનાર મિત્રોને મોકલવાનું શરૂ થયું અને એમને પુસ્તક મળ્યા પછીના અદ્રુત પ્રતિભાવોથી અમારી દિવાળી ખરેખર રળિયાત થઈ છે.


Rangoli by Hardi Adhyaru

દીપોત્સવ : ખુશીનો ખજાનો – ગોપાલ ખેતાણી 6

તહેવાર – માનવ જીવનને તાજગી બક્ષતા દિવસો! આપ જ્યારે ભણતા હશો ત્યારે તહેવાર પર નિબંધ લખ્યો જ હશે. છતાં પણ તહેવાર, ઉત્સવની વાત આવે એટલે મન મંદ મંદ મુસ્કાન વિખેરવાં લાગે. આસપાસનું વાતાવરણ સકારાત્મક થતું જાય અને તેની અસર આપણા તન – મન પર થવા લાગે; તો કોઈક વાર ધન પર પણ, ખરું ને?


દિવાળીનો મૂડ નથી? – અમિતા દવે. 2

તહેવારો સજાવે છે સંબંધોને. મમ્મી-પપ્પા, દાદા-દાદી, મામા-મામી, ફોઈ-ફુઆ, બહેન-બનેવી, સાળા-સાળી, કોઈપણ સંબંધની પોતાની આગવી સુવાસ હોય છે, અનોખી મહેક હોય છે. દિવાળી સગાંવહાલાં, મિત્રોને મળવાની તક આપે છે.

tealight candle on human palms

વતનપ્રેમના સંસ્મરણો – મથુર વસાવા 3

સૌરાષ્ટ્રધરા પર જ જીવન જીવું છું તે છતાંય મારું વહાલું ગામડું હદયમાં ધબકે છે. જ્યારે જ્યારે રજાઓ ગાળીને ગામડેથી સોરઠ ભણી જાઉં છું ત્યારે ત્યારે ગામડું જાણે મને વાંંહેથી સાદ દેતું હોય તેમ ભાસે છે! મારા સઘળા સંસ્મરણો ગામડા સાથે જોડાયેલા છે. અતીતમાં મારું મનડું ફરી પાછું ચાલ્યું જાય ત્યારે મારા બધા જ સંસ્મરણો મારી નયન સામે તરવરે છે, સંસ્મરણો આંખો સામેથી ખસતાંં નથી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૮)

અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.


વરસાદી રચનાઓ – મીરા જોશી 7

મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, એમના નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૭)

બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.


માઇક્રોફિક્શન શૉટ્સ – પુસ્તક વિમોચન; તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ 1

સર્જનના નવા પુસ્તક ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ નું વિમોચન આવતીકાલે તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ સાંજે પાંચ વાગ્યાથી સર્જનના ફેસબુક પેજ પર લાઇવ..


ધમકી – દુર્ગેશ ઓઝા 8

મિતેશભાઈના પરિવારે શક્ય તેટલી સાવધાની રાખી હતી જેથી વાત બહાર ન જાય કે કોઈને તકલીફ ન થાય. જો કે એનો હેતુ સારો હતો. પણ વા લઇ જાય વાત. સોનલ આવી એના બીજા જ દિવસે અમુક પડોશીઓ એના ઘરે જવાનું નક્કી કરી રહ્યા. શેરીમાં એક ઘર ભીમાનું પણ ખરું, પણ તેને કોઈ ન વતાવે. એ ભીમા ભારાડી તરીકે કુખ્યાત. બોલવે કડવો. ગમે તેનું મોઢું તોડી લે ને ક્યારેક હાથ પગ પણ..!

optimist elderly ethnic man on urban street

person holding string lights photo

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૨) – અમી દલાલ દોશી 3

આપણે આ અગાઉ જોયું કે માણસના મગજના સાત અગત્યના ન્યુરોટ્રાન્સમીટર્સ / કેમિકલ્સ પૈકી ડોપામીન આપણા તન અને મનની તંદુરસ્તી પર કેવી રીતે અસર કરે છે. આજે આપણે બીજા એક અગત્યના ન્યુરોટ્રાન્સમીટર/બ્રેઇન કેમિકલ સેરોટોનિન વિશે જાણીએ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬) 3

માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?


આરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર! – રમેશ ચાંપાનેરી 2

કદાચ કોઈક અમારા રામાયણ ધારાવાહિકને જોવાનું મોડું શીખ્યા હોય કે મોડું શરૂ કર્યું હોય પણ આરામ કોને કહેવાય અને કેટલી વિધવિધ રીતે થાય એ લોકડાઉનમાં તરત શીખી ગયાં. ત્યાં સુધી કે હવે તો આરામના પણ ઉબકા આવે સાલા..! એમાં લોકડાઉન અઠવાડિયાઓ લંબાયા કરે પાછું..!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫) 1

ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.


સીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)

બન્યું એવુું કે જેલમાં રહેલા એક એંસી વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી ક્રરેલી. એંસી વર્ષનો બાપ અને ત્રીસ વર્ષનો પુત્ર, હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે, આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું, જીતુભાઈ, જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો, હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી.


સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી 11

અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીરમાં થતા દુખાવા એ બ્રેઇન કેમિકલ્સના ઇમ્બેલેન્સ નું કારણ હોઈ શકે છે.


ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી 27

લધુશંકા, ગુરુશંકા અને ઊંઘ, આ ત્રણેયને રોકવા બહુ અઘરા. પોતપોતાના જોખમે ટ્રાય કરવી! (અગેઈન, વોટ્સેપીયા, ફેસબુકીયા, સેટીંગ્યા અને સગાઈ થયેલા નિશાચરોને આ લાગું પડતું નથી.) રાત્રે અઢીથી ચારનો સમય એ ઊંઘ માટે ગોલ્ડન પિરિયડ કહી શકાય. તસ્કરશાસ્રીઓના ગ્રંથ મુજબ તેમના માટે આ સૌથી સાનુકુળ સમય છે અને તેમના મુહુર્ત પણ રાત્રે અઢીથી ચારના જ છે.


કલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા 10

દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે… અવનવા સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ. કલકત્તા શહેર મારા બાળપણ, મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે…


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪) 1

વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)

મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)

બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.


રીલ vs રિઅલ – આરોહી શેઠ 25

જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.


સગપણ મેળો – મીરા જોશી 31

આખરે એ દિવસ આવી જ ગયો. યુવક યુવતીઓના સગપણ મેળાનું પ્રવેશ કાર્ડ મારી નજર સામે હતું. ‘બેટા, સવારે વહેલા તૈયાર થઈ જજે..’ પપ્પાએ કહ્યું હતું. આખી રાત પડખું ફેરવવામાં જ વીતી. કેવા ચહેરાઓ હશે, કેટલી અજાણી આંખોનો તેને સામનો કરવો પડશે ને કઈ નજર તેને કેવી દ્રષ્ટિથી જોશે. આવા અનેક વિચારોનો જવાબ અત્યારે માત્ર પ્રશ્નાર્થ જ હતો.


અક્ષરનાદનો ચૌદમાં વર્ષમાં પ્રવેશ.. સતત ગૂંજતો શબ્દ.. 18

આજે અક્ષરનાદ વેબસાઇટ તેની આ સાહિત્યયાત્રાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશી. મે ૨૭, ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી અને પડતા આખડતા, ભૂલો કરતા અને સુધારતા, શીખતા અને અનેક મિત્રોને સાથે જોડી આ સાહિત્યયાત્રામાં સહયાત્રી બનાવતા મારા ગુજરાતી બ્લોગિંગમાં પા પા પગલી કરતાં તેર વર્ષ પૂર્ણ થયા એ વાતનો અનેરો સંતોષ છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૧) 3

વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે. તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૦) 1

વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.


નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર 21

વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી, આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૩ (લૉકડાઉનમાં લહેર) 7

દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ લૉકડાઉનના આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..


મુઘલ ગાર્ડન : રાષ્ટ્રપતિ ભવન – ગોપાલ ખેતાણી 18

અંદાજે ૧૫ એકરમાં ફેલાયેલા આ મુઘલ ગાર્ડનનો વિચાર આર્કિટેક્ટ સર એડવર્ડ લુટિયેન્સને ૧૯૧૭માં આવેલો પણ ગાર્ડન બન્યું ૧૯૨૮-૨૯માં.


લોકડાઉન : અનલોક માઈન્ડ – ધ્રુવ ગોસાઈ 8

જાત સાથે પણ મનગમતા સ્મરણોની ને જીવનગીતોની એક અંતાક્ષરી અને તમારી જ તમને ગમતી ખૂબીઓ અને તમને ખબર છે એવી ખામીઓ વચ્ચે લૂડો રમી જુઓ, સ્મરણોને પણ કોઈક ફૉટો ચેલેન્જ આપી જુઓ, જીવનની ચોપડીના વણખુલ્યા પાનાં વાંચી જુઓ..


રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. 16

રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. એમની કલમે જાણીએ શૂટિંગ વખતની વાતો..