સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હાસ્ય વ્યંગ્ય


ખણખોદ…. ફરી એક વાર (૧૩) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 14

ખણખોદના સંકલનો સમયાંતરે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, કેટલાક હસાવે છે, કેટલાક સ્મિત કરાવે છે તો કેટલાક વિચાર માંગી લે છે. અંગત મિત્રો અને સગાઓ આ ખણખોદ વાંચીને પછી રૂબરૂ મળે ત્યારે એ ફરીથી મને જ સંભળાવે છે, એવા લોકોને લાગતું હશે કે હું પેલા બાપુ જેવો છું જે એક જોક પર ત્રણ અલગ અલગ સમયે હસે છે. ચાલો હશે, હસે તેનું ઘર વસે અને ન હસે તેના ઘરે…..


હઝલાયન… – સંકલિત 7

હઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.


ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ 25

ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે… મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું “વિદાય વેળાએ’ હાથમાં આવ્યું, પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો…..


ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 10

મિત્રો, આજે ફરીથી એક વખત પ્રસ્તુત છે કેટલીક સંકલિત ખણખોદ – અવનવી વાતો, ક્યાંક સ્મિત છે, ક્યાંક મરકાટ તો ક્યાંક ચળકાટ. કોઈક માથું દુખાડશે તો કોઈક હસાવશે. આશા છે આપ સૌને આ સંકલન ગમશે.


ખણખોદ…. ફરી એક વાર (૧૧) – સકલન. જીજ્ઞેશ અધ્યારૂ 15

ઘણા વખત પહેલા સુધી અક્ષરનાદ પર સતત નિયમિત રીતે ‘શું તમે આ ખણખોદ વાંચી’ શીર્ષક હેઠળ સંકલિત કરીને મૂકાતી હતી. આજે ઘણા વખત પછી ફરીથી એ જ શૃંખલાને આગળ વધારી રહ્યો છું. પ્રસ્તુત છે થોડાક ટૂચકાઓ અને હાસ્યસભર વાક્યો. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


મિથ્યાભિમાન – દલપતરામ 3

જીવરામ ભટ્ટ એક રતાંધળો મિથ્યાભિમાની બ્રાહ્મણ છે, તેની પત્ની જમના, રઘનાથ તેના સસરા, દેવબાઈ તેની સાસુ અને સોમનાથ તેનો સાળો છે. ગંગા એ જમનાની સહિયર છે. આજથી એકસોચાલીસ વર્ષ પૂર્વે લખાયેલ આ પ્રહસન એક જાહેરાતના જવાબમાં લખાયેલું. ૧૮૬૯ના જુલાઈમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી એવી જાહેરાત કરાયેલી કે મિથ્યાભિમાન વિશે હાસ્યરસમાં નાટકરૂપે બુદ્ધિપ્રકાશ જેવડા ૫૦ પૃષ્ઠનો નિબંધ લખીને મોકલશે તેમાં સૌથી સરસ નિબંધને કચ્છના ગોવિંદજી ઠક્કર તરફથી ૧૦૦ રૂ.નું ઈનામ અપાશે. એ જાહેરાતના જવાબમાં લખાયેલ કૃતિ એટલે આ મિથ્યાભિમાન. એ એક વિલક્ષણ નાટ્યકૃતિ છે, લોકબોલીમાં, શુદ્ધ દેશી શૈલીએ નીપજાવેલી ગુજરાતી જ કહી શકાય તેવી આ નાટ્યકૃતિને ઐતિહાસીક અને ક્લાસિક કહી શકાય. આ પહેલા પણ આ નાટકનો અંશ અક્ષરનાદ પર પ્રસ્તુત થયો જ છે. આજે પ્રસ્તુત છે આ જ નાટકનો એક અન્ય હાસ્યસભર કટાક્ષસભર અને સચોટ અંક.


બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે 2

શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને ‘પલ દો પલ’ નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક – ‘પલ દો પલ’. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. ‘પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ’ તથા ‘જરા ગુજરાતી ગુંજન…’ શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.


ચાલો… સભ્યતા સભ્યતા રમીએ ! – રમેશભાઈ ચાંપાનેરી 7

મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક ‘આનંદદ્વાર’ પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો – સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. સભ્યતા સપ્તાહ ના અખતરાનો પ્રસ્તુત હાસ્યલેખ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


અકબરી લોટો – અન્નપૂર્ણાનંદ વર્મા, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 14

શાળા સમયના કેટલાક યાદગાર પાઠમાંનો એક એટલે શ્રી અન્નપૂર્ણાનંદ વર્મા દ્વારા લિખિત ‘અકબરી લોટા’ મૂળ હિન્દીમાં લખાયેલ આ હાસ્યકૃતિ એ સમયે અમારા બધા સહપાઠીઓને ખૂબ ગમતી. અકબરી લોટા અને જહાંગીરી ઈંડાની પરિકલ્પના જ ખૂબ અનોખી અને હાસ્યાસ્પદ લાગતી. લોકો આટલી સહેલાઈથી મૂર્ખ બનતા હશે એ આશ્ચર્ય પણ થતું. એ જ સદાબહાર લેખ શોધીને આજે તેનો અનુવાદ અત્રે પ્રસ્તુત કર્યો છે.


વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 4

‘विकलांग श्रद्धा का दौर’ – એ નામનો એક હાસ્યલેખ હિન્દીના એક અદના હાસ્યકાર શ્રી હરિશંકર પરસાઈની કલમે લખાયેલો અને એ એટલો તો અચૂક રહ્યો કે આ કટાક્ષ લેખ માટે તેમને ઈ.સ. ૧૯૮૨નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. હરિશંકર પરસાઈ તેમની સીધી અને ચોટદાર કટાક્ષભાષા માટે જાણીતા છે. તેમની આ જ રચનાનો અનુવાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જો કે હાસ્યલેખનો અનુવાદ કરવો ખૂબ અઘરો છે અને એવો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો.


પાણીપૂરી ડોટ કોમ – ચિત્રસેન શાહ 14

શ્રી ચિત્રસેન શાહ આમ તો એન્જીનીયર છે છતાં સાહિત્યરચનામાં તેમની હથોટી અનોખી છે. તેમનો પ્રસ્તુત હળવો હાસ્ય લેખ ‘ગુજરાતી હાસ્ય – ગઈકાલ અને આજ’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. આજકાલ બે સિવાયના લગભગ બધા જ બિઝનેસમાં મંદી ચાલે છે. જે બે બિઝનેસમાં તેજી છે તેમાં એક છે ‘ખાણીપીણી’ (એટલે કે પાણીપૂરી વગેરે) અને બીજો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ડોટ કોમ) નો! આ લેખમાં લેખકે આ બે વસ્તુની ચટાકેદાર ભેળ (!) બનાવી છે.


આધુનિક વિશ્વના અનોખા દુઃખ – સંકલિત 10

આમ તો અહીં દર્શાવેલી કોઈ પણ વાત ખરેખર દુ:ખદાયક નથી, હળવા હ્રદયે માણી શકાય એવી છે, પરંતુ ટ્વિટર અને ફેસબુક પરથી એકઠાં કરેલા આ વાક્યો આધુનિક સમયના અફસોસ દર્શાવવાનો પ્રયત્ન છે. સુવિધાઓની ભરમાર વચ્ચે એ બધાં અસુવિધાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે એ દર્શાવવાનો એક પ્રયત્ન છે. આજની આ અનોખી પોસ્ટ સમર્પિત છે ટ્વિટર, +1 અને ફેસબુકની આપણી આ પેઢીને.


ધીરજકાકા – કનૈયાલાલ મુનશી 7

‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એ શ્રી કનૈયાલાલ મુનશીની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા છે. આ કૃતિ ‘અડધે રસ્તે’ માંથી લેવામાં આવી છે. લેખકના પિતાના મિત્ર એવા ધીરજકાકાના રમૂજી સ્વભાવનો સુંદર પરિચય પ્રસ્તુત પ્રસંગોમાંથી મળે છે. ધીરજકાકાને મન જીવન એક મોટી મજાક હતી; એમાંથી તોફાન ને હાસ્યના અનેક રંગો એ કાઢતા ને બધાને તેનો પાશ લગાડતા, હાસ્યરસ – રમૂજવૃત્તિના દર્શન કરાવતા આ પ્રસંગોની પાછળની ટિખળવૃત્તિનો સરસ પરિચય પણ મળી રહે છે.


અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 8

સપ્ટેમ્બર ૧૮૫૦માં બનારસમાં જન્મેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના જનક કહેવાય છે. તેમના અનેક પ્રખ્યાત નાટકોમાં વૈદિક હિંસા હિંસા ન ભવત્તિ, ભારત દુર્દશા, સત્યવાન હરિશ્ચંદ્ર તથા અંધેર નગરી મુખ્ય છે. આ સિવાય તેમણે પદ્ય તથા નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. અંધેર નગરી એક ધારદાર વ્યંગ ધરાવતું અને રાજકીય પશ્ચાદભૂમાં રાચતું અનોખું અને સબળ નાટક છે. ૧૮૮૧માં લખાયેલ આ નાટક હિન્દી નાટ્ય જગતનું એક પ્રમુખ અને અત્યંત પ્રચલિત નાટક છે, અનેક ભાષાઓમાં એના અનુવાદો પણ થયા છે. આજે પ્રસ્તુત છે ચુને હુએ બાલ એકાંકી માંથી તેનો અનુવાદ.


ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4

કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.


મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 14

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


લાંચ – રતિલાલ બોરીસાગર 5

પ્રસિદ્ધ તત્વચિંતક ખલિલ જિબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’નું સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલ સુંદર ભાષાંતર ‘વિદાય વેળાએ…’ ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષ રચનાઓનું શ્રી રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘જ્ઞ થી ક સુધી’ એક સાદ્યાંત મલકાવતું, કટાક્ષો રૂપી ચાબખા વીંઝતું ખલિલ જિબ્રાને જે વિષયોનું તત્વચિંતન કરેલું એ જ વિષયોના વિશાળ વિષયરસને આવરી લઈને, ‘લગ્ન’ થી ‘મૃત્યુ’ સુધીના વિષયો વિશે વ્યંગની ધારથી લખ્યું છે. અને એકે એક શબ્દ માણવાલાયક, વિચારવ્યસન લાયક બન્યો છે. આ જ પુસ્તકમાંથી આજે પ્રસ્તુત છે ‘લાંચ’ વિશે ચિંતનનું વજન દૂર કરીને નિપજતુ હાસ્ય.


(માંદગી ઉપર) મુલાકાતીઓ – દુષ્યંત પંડ્યા 3

તમે કદી માંદા પડ્યા છો? ગંભીર રીતે માંદા પડ્યા છો? એ હૉસ્પિટલની નાનકડી ઓરડીમાં એક સામટા તમારા અર્ધો ડઝન શુભેચ્છકો આવી ચડે એવો અનુભવ તમને થયો છે ખરો? અને તમારી સમક્ષ પોતાના કાકાના દીકરા ગણપતની, ફઈની દીકરી કુંદનની, પડોશી જગજીવનની અને એવી બધી વાતોનો પટારો ખોલે છે. તમારી માંદગી બાજુએ રહી જાય છે. ના. એમની આ બધી પૈડથી તમારું માથું દુખવા લાગે છે. આખરે મોડી સંજે એ જાય છે ત્યારે, તમે પ્રભુને પ્રાર્થના કરો છો કે, ‘હે પ્રભુ!તું આવી માંદગી ન દેજે અને માંદગી દેવાનો હો તો, આવા મુલાકાતીઓ ન દેજે.’ પણ મુલાકાતીઓ પર માંદા પડનારનો અંકુશ નથી. આવી જ માંદગીથી મુલાકાતીઓના અજોડ સંબધને દર્શાવતો શ્રી દુષ્યંતભાઈનો આ લેખ અત્રે પ્રસ્તુત છે.


ધ મંગલાષ્ટક લિમિટેડ – ઉમાશંકર જોશી 6

ઉમાશંકર ગાંધીયુગના પ્રમુખ કવિ, પણ આ કવિઓની પ્રવૃત્તિ કેવળ કાવ્ય પૂરતી સીમિત ન રહી. ગદ્યને પણ એમણે આરાધ્યું. તેમનામાં કવિ અને ચિંતક જોડાજોડ છે, એનું અજોડ પરિણામ એમના નિબંધમાં પ્રગટ્યું છે. તેમની કલમમાં હળવું હાસ્ય પણ છે પણ એ હળવા હળવા હાસ્યને ક્યારે હાસ્યની છોળો બનાવી મનને ભીંજવી દે એ વાચકને સમજાય એ પહેલા તો રસતરબોળ થઈને તે કૃતિ સાથે એકરસ થઈ જાય છે. ધ મંગલાષ્ટક લિમિટેડ તેમની એવી જ એક અનોખી રચના છે. કવિઓ પર મંગલાષ્ટક રચવાની ને એ રીતે આજીવિકા માટેની નવી વ્યવસ્થા ઉભી કરવાની સમગ્ર વાતને એટલી તો હળવાશથી તેઓ મૂકે છે કે આ અનોખો હાસ્ય-નિબંધ એક અજોડ વાંચન બની રહે છે.


પાઠકની છીંકે ? – સ્નેહરશ્મિ

શ્રી સ્નેહરશ્મિ તેમના પુસ્તક ‘સાફલ્યટાણું’ માં વર્ણવે છે, ‘પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.’ પ્રસ્તુત છે આ સુંદર હાસ્યાસ્વાદ.


આ-બૈલ ના કસ્ટમર કેરમાં – જીજ્ઞેશ અધ્યારૂ 2

મોબાઈલ અજબની વસ્તુ છે. ફક્ત બે માણસોને નહીં, બે વિચારધારાને, બે પેઢીઓને જોડતી એ અનેરી કડી થઈ રહી છે. સંદેશાવ્યવહાર ઉત્ક્રાંતિની શરૂઆતમાં પેજર આવ્યા, જે વચેટીયા જેવા હતાં, પણ ટૂંક સમયમાં એ પ્રજાતિ નામશેષ થઈ ગઈ. પછી મોબાઈલ આવ્યા, અને છવાઈ ગયા, તેમની નવી નવી જાતો ઉત્તરોત્તર વિકસતી રહી, આજે કોમ્પ્યુટરનું કામ સુધ્ધાં કરી આપતા મોબાઈલ ઉપલબ્ધ છે. સંદેશ પહોંચાડવાના મૂળભૂત કાર્યની સાથે અનેક અન્ય સુવિધાઓ પણ એમાં મળી રહે છે. મોબાઈલ સુવિધાઓનો હજુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને પૂરતો પરિચય નથી. આવા જ કોઈ ગામઠી મિત્ર કસ્ટમર કેરમાં ફોન કરે તો શું કરી શકે તેવી સંભાવનાઓ સભર વાર્તાલાપ કેવો હોય? હજુ આવા સરળ લોકો આપણી નજીક વસે છે એ પણ એક હકીકત છે.


(મહમ્મદ ગઝનવી) ફ્રિક્વન્ટ રાઈડર – હરનિશ જાની 12

“માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય, માણસામાંથી ગુજરાત નીકળતું નથી.” એમ કહેનારા હરનીશભાઈ જાની ભલે અમેરિકા વસે છે, પરંતુ તેમના સર્જનોને એવી કોઈ સરહદો બાંધી શક્તી નથી. શ્રી રતિલાલ બોરીસાગર તેમના માટે કહે છે તેમ, “સંવેદનશીલતા, સર્જકતા ઉપરાંત હાસ્ય પ્રેરવાની મૂળભૂત શક્તિ ધરાવતા ત્રિગુણમૂર્તિ સર્જક એટલે હરનીશ જાની. એમના લોહીમાં હાસ્ય ઘોળાયેલું છે, એટલે હાસ્યના ઉપલક્ષ્યમાં લોહીની તપાસ થાય તો તેમનું ગ્રૃપ H Positive નીકળે.” તેમની હાસ્યવાણી એક અમેરીકન ગુજરાતીની પ્રેમાળ, સંવેદનશીલ મજાક સાથે શિષ્ટ મિષ્ટ હાસ્યરસ સતત પીરસતી એક અમેરીકન ગુજરાતીની દ્રષ્ટિ છે, અને એક ગુજરાતી અમેરીકનનો દ્રષ્ટિકોણ. આજે તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ માંથી પ્રસ્તુત રચના અહીં સાભાર લીધી છે.


જીવરામ ભટ્ટ જમવા બેઠા – દલપતરામ 8

‘મિથ્યાભિમાન’ નાટકમાંથી આ નાટ્યખંડ લેવામાં આવ્યો છે. મિથ્યાભિમાની જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા લેખકે હાસ્યનું નિરૂપણ કર્યું છે. જીવરામ ભટ્ટ આપણા સાહિત્યનું એક ચિરંજીવ પાત્ર છે. મિથ્યાભિમાનનું એ પૂતળું છે. એ રતાંધળો હોવા છતાં પોતે દેખે છે એવું બતાવવા જતાં એની મુર્ખતા અને મિથ્યાભિમાન પકડાઈ જાય છે, અને તેમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અહીં સંકલિત કરેલા નાટ્યખંડમાંથી જીવરામ ભટ્ટનું લાક્ષણિક વ્યક્તિત્વ ખડું થાય છે. પત્નીને તેડવા આવેલા જીવરામ ભટ્ટ અંધારું થવાથી ગામ બહાર ખાડામાં પડ્યા રહ્યા હતા, ત્યાંથી સસરા રઘનાથ ભટ્ટ અને સાળો સોમનાથ એમને દોરીને ઘેર લાવે છે, ત્યાર પછીનો આ જીવરામ ભટ્ટના જમવા બેસવાનો પ્રસંગ છે. જીવરામના નાહવાનો, પાઘડી લેવા બાબતનો, દીવાલ સામે અવળે મોઢે બેસવાનો, કંસાર પીરસતા સાસુને પાડી સમજી લાત મારવાનો, શાસ્ત્રજ્ઞાનના વાદ- વિવાદનો વગેરે પ્રસંગોમાં દલપતરામ જીવરામ ભટ્ટના પોકળ મિથ્યાભિમાનપણાને પ્રગટ કરીને હાસ્ય નિપજાવે છે. જીવરામ ભટ્ટના વ્યક્તિત્વ પર ટીકા-કટાક્ષ કરતું મશ્કરા રંગલાનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે. માણસમાં છુપાયેલા દંભ -આડંબર અને પોકળતાને આ નાટ્યખંડમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્રારા દલપતરામ દર્શાવી આપે છે.


નવો મગર અને નવો વાંદરો – બકુલ ત્રિપાઠી 6

શ્રી બકુલ ત્રિપાઠીનો હાસ્યકથા સંગ્રહ “શેક્સપિયરનું શ્રાદ્ધ” એ નામે ૧૯૯૪માં પ્રસિદ્ધ થયેલો, કુલ ૨૫ હાસ્યલેખોના આ અનેરા ખડખડાટ સંગ્રહમાં વિષયશિર્ષકો પણ એવા જ અનેરા છે, જેમ કે, વાટકી-એક રહસ્યકથા, પિનાક વિનાના પિનાકપાણી, કવિતાનું શું થયું, ડોક્ટર થર્મોમીટર ગળી ગયા વગેરે. આજે આ હાસ્યસંગ્રહમાંથી માણીએ એક પ્રતિવાર્તા, નવો મગર અને નવો વાંદરો.


શું તમે આ ખણખોદ વાંચી? (10) – સંકલિત 6

હસે એનું ખસે કે ઘર વસે એ વિષય પર થોડી કન્ફ્યૂઝન થઈ જાય એવા સુંદર મજાના એકપંક્તિય ગરીબ ટૂચકાઓ (PJ એટલે poor joke નું મૌલિક ભાષાંતર) ઘણાં વખતથી એકત્રીત થયા કરતા હતાં, અનેકવિધ સ્તોત્રથી મેળવેલા આ બીચારા ગરીબ હાસ્યશ્લોકો આજે એક સાથે આપ સૌ માટે પ્રસ્તુત છે. હસો અને હસાવો અને ખસેલું ન હોય તો ખસાવો…


મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ” 4

આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.


આઉચ્ચ … – અશોક દવે 4

હાસ્યલેખોની આપણે ત્યાં એક આગવી પધ્ધતિ છે અને ગુજરાતી હાસ્યલેખકોની બોલબાલા તો આજકાલ આખા ભારતમાં ફેલાઈ રહી છે. વર્ષોથી બુધવારની બપોર વડે લોકોની સવારોને હાસ્યમય બનાવતા આપણાં આદરણીય લેખક શ્રી અશોક દવેનું પુસ્તક પેટ છૂટી વાત હમણાં વાંચવામાં આવ્યું, અને હસતાં હસતાં કોઈકને લાગે કે આપણું ખસી ગયું છે એટલું હસ્યાં. આ જ પુસ્તકમાંથી એક કૃતિ અત્રે પ્રસ્તુત છે. રાધેશ્યામ શર્માએ તેમના માટે કહ્યું છે કે, “આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે.” પ્રસ્તુત લેખ અંગ્રેજી શબ્દો પરનો ગુજરાતી કટાક્ષ છે. આ લેખ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી – જ્યોતીન્દ્ર દવે 8

જ્યોતિન્દ્ર દવે આપણી ભાષાના સીમાસ્તંભ રૂપ હાસ્યકાર છે, તેમની ડંખ કે કટુતા વગરની સરળ અને સુંદર રચનાઓ હાસ્યરસનું નવનીત છે, એમની રચનાઓ ખૂબ વંચાય છે. પ્રસ્તુત રચનામાં તેઓ પોતાની માંદગી અને શરીર વિશે ઠેકડી ઉડાડતા જોવા મળે છે, પોતાના નબળા શરીર અને ઓછા વજન વિશેની તેમની સમજણ અને તે અંગેનું વિચાર અવલોકન ખરેખર દાદ માંગી લે તેવું છે. પોતાની શારીરિક નબળાઈઓને અને માંદગીઓ સાથેના સત્તત સંબંધને તેઓ હાસ્યરસમાં તરબોળ કરીને આપણી સમક્ષ મૂકે છે, નરસિંહ મહેતાના પદની પ્રતિરચના “અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી, જૂજવે રૂપે અનંત ભાસે….” પણ કેટલી સચોટ ઉપયોગ કરી છે ! આખોય લેખ આવી જ સહજતા – સરળતાને લીધે માણવાલાયક છે.


અમો એવા રે એવા, ગુજરાતીઓ – રતિલાલ બોરીસાગર 4

શ્રી રતિલાલ બોરીસાગરનો પ્રસ્તુત હાસ્યલેખ નવનીત સમર્પણના દીપોત્સવી વિશેષાંકની એક જ વિષય “અમો એવા રે એવા ગુજરાતીઓ” વિશે વિવિધ હાસ્યલેખકોના લેખો માંથી લેવામાં આવ્યો છે. લેખકે નરસિંહ મહેતાના કાવ્ય “અમો એવા રે એવા” નું સરસ પ્રતિકાવ્ય પણ સાથે આપ્યું છે. હાસ્યરસનો ખજાનો એવો આ લેખ પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનો ખૂબ ખૂબ આભાર.


(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) 9

ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.

પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે.