સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : હાસ્ય વ્યંગ્ય


તુમ મુજે યું જલા ના પાઓગે.. – રમેશ ચાંપાનેરી 7

ચાલો! શાંતિ થઇ ગઈને? બાળી લીધો મને? હવે જાવ બધા પોતપોતાના ઘરે… ને જલસો કરો. આવતા વરસે પાછાં મળીશું. આ જ દશેરાએ ને આ જ સ્થળે! હહા હા હહા હા! (રાવણનું અટ્ટહાસ્ય) એક વાત કહું દોસ્તો? તમે એમ માનો છો કે હું બળી ગયો ને તમે બધાએ મને બાળી દીધો. મારું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું! ભૂલો છો, તમે તો માત્ર મારું શરીર બાળ્યું.


કોલંબસે કામવાળી શોધવા જ દરિયો ખેડ્યો… – રમેશ ચાંપાનેરી 10

પરણેલાને પૂછો તો ખબર પડે કે આ કામવાળીનો પ્રશ્ન એટલો ભારે કે જાણે માથા ઉપર ગોવર્ધન પર્વત ન પડ્યો હોય? બાંધેલી કામવાળી જો એક જ દિવસ ન આવી હોય તો ખલ્લાસ… ઘરમાં જાણે સુનામી આવી જાય. આંધીમાં આખું ઘર હલી નીકળે. પતિ પલકમાં કોડીનો થઇ જાય. જાણે વાઈફને વગર નવરાત્રીએ દશામા ન પધાર્યા હોય? હસબંધની હાલત તો ઠંડા ભજીયા જેવી થઇ જાય. ધડાધડ હસબંધને અલ્ટીમેટમ આપવા માંડે કે, “ઝટ જાઓ, કામવાળી લેતા આવો, રસોડે ન રાંધુ રે…”


મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી 7

એ જ તો આપણી મિસ્ટેક છે કે, સમજવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. યોગ એટલે પેટને ધમણની માફક હલાવ્યા પછી, ખવાઈ એટલી કેરી ખાઈને ગોટલા કાઢવા એવું થોડું? મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમ છે. શરીર અને આત્મા બંનેને જોડવું, એનું નામ યોગ. અને આડેધડ ભચેડ ભચેડ કરવું એનું નામ રોગ. થયું એવું કે, માણસ એનો વિકાસ કરવાને બદલે, શરીરનો વિકાસ કરવાં લાગ્યો. ચામડા નીચે ચરબીનો થર એવો જમાવી દીધો કે, એ માણસ છે કે, મલબાર હિલ છે એ જ ખબર ન પડે. ને આ વાત રાજદરબારમાં પહોંચી. એટલે, આખાં વિશ્વમાં ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગદિન ઉજવાઈ ગયો. બહુ સારાં અને મુલાયમ શબ્દોમાં કહીએ તો, ‘ગાગરિયા પેટવાળા માટે ૨૧ મી જૂનનો દિવસ “હવા ટાઈટ દિવસ” બની ગયો. ઘણાની ચરબીઓ હલી ઉઠી. વિશ્વમાં ભલભલા ચરબીધારીઓ ઠેંસ થઇ ગયાં.


રમૂજી ટુચકાઓ… – સંકલિત 8

‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ એ એક જ પ્રશ્નના કેટકેટલા રમૂજી જવાબો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યા છે? ટુચકાઓ ક્યારેક મલકાવી જાય છે તો ક્યારેક ખડખડાટ હસાવી જાય છે. સોનિયાબેન ઠક્કર દ્વારા આજે અહીં સંકલિત અને પ્રસ્તુત થયેલા ટુચકાઓ જનકલ્યાણ, સહજ બાલઆનંદ, પુસ્તકાલય, તથાગત જેવા સામયિકોમાંથી લીધા છે. સહજ હાસ્ય અને નિર્ભેળ આનંદ પીરસતા આ હાસ્યપતંગો આપને ગમશે એવી આશા છે.


હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 1

રમેશભાઈ ચાંપાનેરીના અનેક હાસ્યલેખો અક્ષરનાદ પર આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીના તેમના અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આ ૨૧ લેખો અહીં ક્લિક કરીને માણી શક્શો. આ સિવાયના તેમના હાસ્યલેખોનું એક સંકલન પુસ્તક ‘હાસ્ય વહાલનો દરિયો..’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ પુસ્તક માટે લેખો સાથે તેને પ્રસ્તુત કરવાની, વહેંચવાની વગેરે બધી જ જવાબદારી વિશ્વાસ સાથે તેમણે અમને આપી હતી. પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે અમને આશા છે કે એ જવાબદારીને અમે સફળતાપૂર્વક નિભાવી શક્યા છીએ.


લગ્ન સંસારનો રોજમેળ નથી… – રમેશભાઈ ચાંપાનેરી 6

ચમનીયો કહે, ‘માન કે ન માન. પણ વિરોધ પક્ષની, મૂડીવાદી વાળી બૂમરાણ ખોટી તો નથી જ! સાલા કાગડા કૂતરાનો કોઈ ભાવ નથી પૂછતું અને સરકાર સિંહની વસ્તી ગણતરી કરવાં નીકળી! શાના માટે ભાઈ? એ જંગલનો અનિલ અંબાણી છે એટલે? અરે જંગલનો રાજા હોય તો એના વનમાં. આને મૂડીવાદ ના કહેવાય તો શું સમાજવાદ કહેવાનો.? શું કૂતરા, કાગડા, કબૂતરા, ને બિલાડાને જીવ નથી? બિચારા રાજા નથી તો શું થયું, “એમ.ઓ.યુ” તો એની સાથે પણ કરવાં જેવાં ઘણાં છે. ક્યારેક ભિખારીઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક ગાંડાઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક રાજમાં વાંઢાઓની વસ્તી ગણતરી કરી છે? ન જ કરી હોય. કરતી હોય તો કહેવાય કે સરકાર સાલી દિન દુખિયાની પડખે પણ છે! બિચારી રખડતી ગૌ માતાની જેમ કોઈ એનું વિચારતું જ નથી. હવે તમે જ કહો, એ બિચારા ‘મનકી બાત’ કોને કહેવા જવાના? એમના પણ કોઈ ખૌફ તો હોય જ ને? એ ક્યાં કાઢે? તો અમારાં ઉપર કારણ હવે તો એમને પણ ખબર પડી જ ગઈ છે કે, અમે જ મત આપીને આ સરકાર બનાવીએ છીએ!


જો દિખતા હૈ ઉસે… – રમેશભાઈ ચાંપાનેરી 8

ઘેલછા છે ભાઈ! “યે આતી હૈ, જાતી હૈ, ઔર રૂપ બદલકે વાપિસ આતી હૈ!” એમાં ‘ઓન્લી ફોર એડલ્ટ’ જેવું જરાયે ના હોય! ઓપન ફોર ઓલ! ઉંમરનો બાધ જ નહિ, ભલે ઉંમરનું પૂંછડું આવી ગયું હોય, પણ ઘેલછાનું પૂંછડું તો છેલ્લાં શ્વાસે પણ તરફડે! અને એવું પણ નહિ કે ઉંમરના પ્રમાણમાં જ અભરખા આવે, અભરખાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહિ એના કોઈ રૂપ નહિ, એના કોઈ રંગ નહિ, ને એના કોઈ સ્વાદ નહિ! બિલકુલ આત્મા જેવાં! માથામાં માત્ર ભેજું જ જોઈએ જેવું જેનું ભેજું એવી ફળદ્રુપ એની ઘેલછા! ‘મન ચંગા તો કથરોટમે ગંગા’ જેવું! એકવાર ઉપડવી જ જોઈએ, પછી અટકે શાની? નવા નવા લેબાસમાં ચાલુ જ રહે!


મંગળ ઉપર આંટો મારવા આવવું છે…! – રમેશભાઈ ચાંપાનેરી 5

જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, “કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!” જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો.


ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર 5

મારા મિત્ર ચમનલાલના લગ્નનું ઠેકાણું પડતું ન હતું. લગ્ન માટે તેમણે આકાશ-પાતાળ એક કર્યાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. લગ્ન માટે તેમણે એક નવો દાવ અજમાવી જોયો હતો. તેમણે ‘મહિલા ઉત્કર્ષ મંડળ’ની સ્થાપના કરી અને તે તેના પ્રમુખ બન્યા. મહિલાઓની વારંવાર સભાઓ બોલાવતા થયા. તેમની આ પ્રવૃત્તિનું મેં કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું, ‘જો આમ કરવાથી કોઈ કુંવારી સ્ત્રી સાથે મારે આત્મિયતા, બંધાય તો પરણવાનો માર્ગ સરળ બને. લગ્ન માટે ચમનલાલની આ પ્રથમ યોજના નિષ્ફળ નીવડી. એક વખતે એક ઓળખીતાએ નિઃસંતાન અને લગ્નના પાંચેક મહિના પછી જ વિધવા બનેલી એક સ્ત્રીનાં લગ્ન ચમનલાલ સાથે ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે…


પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી 12

પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..!

એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ‘ ઝીરો ‘ જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં ‘નાડ-પારખું’ નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! ‘પંચાતિયા’ એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં!


પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે… પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે…. આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ, પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.


ખણખોદ…. ફરી એક વાર (૧૪) – સંકલિત 11

અક્ષરનાદ પર ખણખોદ શીર્ષક હેઠળ હાસ્યપ્રેરક ટૂચકાઓ મૂક્યાને લાંબો સમય થઈ ગયો છે. આજે પ્રસ્તુત છે કેટલાક મજેદાર જોક્સ. આશા છે એમાંથી એકાદ બે તો તમને મરકાવી જ શક્શે. તહેવારોની શરૂઆત થઈ રહી છે. સતત તણાવભર્યા જીવનમાં હાસ્ય અને આનંદ એ પણ આજના સમયનું ધન જ ગણાય ત્યારે આપ સૌને હાસ્યસભર ધનતેરસ મુબારક.


પાન ઘરડું થયું, ને તમે યાદ આવ્યા…! – રમેશભાઈ ચાંપાનેરી 13

રમેશભાઈ તેમના આજના લેખમાં કહે છે એ હું ટાંકુ, “આ સિનીયર સિટીઝન થવામાં એક મોટામાં મોટો ફાયદો પણ છે. આખી જીંદગી ભલે આપણે રાવણની વિચારધારામાં કાઢી હોય, પણ સિનીયર સિટીઝન થયાં પછી, એ બિલકુલ મહાત્મા ગાંધીની નજીક આવી જાય. કઈ રીતે બોલ બકા. કારણ, પહેલી ઓક્ટોબર એટલે ” વિશ્વ સિનીયર સિટીઝન ડે ” અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ.! કેવાં નજીક-નજીક છે?” વિશ્વ વૃદ્ધ દિવસ નિમિત્તે સિનીયર સિટીઝન મિત્રોને શુભેચ્છાઓ સહ રમેશભાઈનો પ્રસ્તુત લેખ સાદર. અક્ષરનાદને સુંદર લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10

ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.


ખુરશી સુધી જવાનો.. – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’ 7

આજકાલની પરિસ્થિતિઓ, સામાજીક, રાજકીય અને લોકજીવન વિશેની વાતો લઈને રમેશભાઈ ચાંપાનેરીએ પૂ. બાપુ, ગાંધીજીને એક પત્ર લખ્યો છે, હળવી શૈલીમાં પણ ભારે વાતો અસરકારક રીતે મૂકી શક્યા હોવાને લીધે રમેશભાઈનો પ્રસ્તુત લેખ ખૂબ જ સુંદર અને માણવાલાયક થયો છે. તેમની આગવી શૈલીની અસર સાથે અનેક વાતો તેમણે અહીં સાંકળી લીધી છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


સામાજિક રમૂજ – ભરત કાપડીઆ 8

રમૂજ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. જો હાસ્ય-વિનોદ આપણા રૂટીન જીવનમાં ન હોત તો આપણી શું દુર્ગતિ થાત, એ કલ્પના પણ મુશ્કેલ છે. વિનોદવૃત્તિના કેટલાય પ્રકાર છે. નિર્દોષ, નિર્ભેળ, નિર્દંશ હાસ્ય હવે બહુ ઓછું જોવા મળે છે. ટીવી પર જોવા મળતી કોમેડીમાં હવે બ્લેક કોમેડી (જેમાં મૃત્યુ, આતંકવાદ, રેપ, યુદ્ધ, વગેરે પ્રકારના વર્જ્ય વિષયો પર કોમેડી કરવામાં આવે છે.), બ્લૂ કોમેડી (જેમાં સેક્સ જેવા વિષય પર વિનોદ થાય છે), સટાયર, વિટ, વ. કેટલાય પ્રકારે દર્શક-શ્રોતા-વાચકનું મનોરંજન થતું હોય છે. આજકાલ ટીવીના માધ્યમથી સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા લોકોને હસાવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. એમાં ક્યારેક તો લોકોને ગલગલિયાં કરીને હસાવવાની ફરજ પડાતી હોય તેમ ગમે તેવી ભદ્દી કોમેડીનો પણ આશરો લેવાતો હોય છે. આ જ વિષય પરનો ભરતભાઈ કાપડીઆનો સરળ સુંદર લેખ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભરતભાઈ કાપડીઆનો આભાર અને શુભકામનાઓ.


કાંદા કોના થયાં કે.. – રમેશ ચંપાનેરી 12

રમેશભાઈ ચંપાનેરી ‘રસમંજન’. અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ કાંદા એટલે કે ગરીબોની કસ્તૂરી ડુંગળીને લઈને તથા તેના વધતા ભાવની ચિંતા સાથે પ્રસ્તુત થયા છે. અહીં રાજકારણની પણ વાત છે અને તાજા પરણેલાઓની પણ.. કાંદાની દાદાગીરી વિશે આજે તેઓ હળવીભાષામાં લખે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ રમેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


કોઈ મને લોકસભાની ટિકિટ આપો… – રમેશભાઈ ચાંપાનેરી 7

મને તો એ જ નથી સમજાતું કે જેને તેના ઘરના કોઈ ગણતા નથી, એને લોકો લોકસભામાં મોકલશે ખરા? વાત ચમન ચક્કીની છે કે જે કોઈની શોકસભામાં ગયો નથી, એ લોકસભામાં જવા શું કામ ઠેકડા મારતો હશે? શું લોકસભા એ કોઈ માયાવી ફાઈવ સ્ટાર હોટલ છે કે કરોડ વિનાનો માણસ પણ રોડ ઉપરથી કૂદકા મારે! એ શું જોઈ ગયો એ તો એ જ જાણે. મને કહે આ વખતે તો હું ‘આપ’નું પણ નહીં માનું ને બાપનું પણ નહીં માનું. કાં તો હું લોકસભામાં, કાં તો તમે બધા મારી શોકસભામાં. લુખ્ખી ધમકી… ભૂતનો વળગાડ તો સારો કહેવાય, જેના ભુવા પણ મળે, આ તો રાજકારણની અધીખી વળગણ. જેના ભુવા પણ ન મળે. એને રાજધૂન જ એવી વળગેલી કે એ બીજી કોઈ વાતને વળગવા એ તૈયાર નહીં. અંતે ચંચીએ પણ લીંબુ-મરચું ઓવારી વેઠ ઉતારી કે…..” જાવ ફતેહ થાવ!


(મુંબાઈ પ્રતિ) પ્રયાણ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 7

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


બાટલીમાં ઉતારતા આવડે છે? – રમેશભાઈ ચાંપાનેરી 9

જિંદગી જીવવી હોય, તો જીવનમાં કીડી જેટલી પણ ચિંતા કરવી નહિ. એટલું યાદ રાખવું કે, જેને આપણે શરીર કહીએ છીએ, એ પાર્સલ ભગવાને તો માત્ર બે જ રતલનું મોકલેલું. બાકીની લંબાઈ પહોળાઈ ને જાડાઈ એ બધી આપણી જ ઉપજ છે. જો મૂડી વગરનો કોઈ ધંધો જ કરવો હોય, તો બાટલીમાં ઉતારવાનો ધંધો ‘બેસ્ટ’ લોકોને બાટલીમાં ઉતારવાની આ વિદ્યા ક્યાંથી અને ક્યારથી આવી એની કોઈ નોંધ ઇતિહાસવિદો પાસે નથી, પણ રમેશભાઈ ચાંપાનેરી એ વિષયને બાટલીમાં ઉતારીને વાચકોને બાટલીમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે… આશા છે વાચકો બાટલીમાં… લેખ અક્ષરનાદને પાઠવવા બદલ રમેશભાઈનો આભાર અને શુભકામનાઓ.


આ વેલ-ઇન-ટાઈમ એટલે શું નાથ! – રમેશ ચાંપાનેરી 10

આ વેલ-ઇન-ટાઈમ ડે એટલે કે વેલેન્ટાઈન ડે વિશે ‘આમ આદમી’ ચમન અને ચંચીનો નિર્દોષ અને હાસ્યસભર વાર્તાલાપ રમેશભાઈ ચાંપાનેરીએ પ્રસ્તુત કર્યો છે. ચમનીયો ચાર વાગ્યેનો ઉઠીને, નાહીધોઈ તૈયાર થઈને ઉંદરડાની માફક ઘરમાં આંટા મારે છે. ચંચી હજી ઉઠી નથી. વેલેન્ટાઈન ડે નો ધુમાડો એના મગજે ચઢી ગયો છે. ફૂલ કરમાવા લાગ્યું છે. ઘડીક એમ પણ થાય કે લાવ બહાર નીકળીને કોઈને ફૂલ આપી જ આવું., પણ….


ભાષણ વિશે ભાષણ… – હરનિશ જાની 5

ભાષણ વિશે ભાષણ… ભાષણ કેટલું લાંબું હોવું જોઇએ? ભાષણની અસર લોકો પર કેવી છે? ભાષણનો વિષય, ભાષણ સાંભળવાની મઝા જેવા ભાષણને લગતા અનેક વિષયો પર લેખિતમાં ભાષણ આજે પ્રસ્તુત કર્યું છે. સૂરતમાં તાજેતરમાં યોજાઈ ગયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના અધિવેશનને લક્ષમાં રાખીને આ કૃતિ પ્રસ્તુત કરવાની ઇચ્છા થઈ. આ જ વિષયને લગતો અન્ય એક લેખ પણ ટૂંક સમયમાં પ્રસ્તુત થશે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હરનિશભાઈનો આભાર તથા શુભકામનાઓ.


મારા વ્યંગ કસરતના પ્રયોગો… – રમેશભાઈ ચાંપાનેરી 8

અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ બીમારી તથા તેને ટાળવા માટેની કસરતને લીધે થતા વ્યંગની વાત લઈને આવ્યા છે. પેટ ઘટાડવા માટે હોય, ડાયાબિટીસ નિવારવા માટે કે ફક્ત શોખ ખાતર હોય, કસરતના આવા પ્રયોગોની અનેક શક્યતાઓને તેઓ અહીં ચકાસે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રમેશભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની 17

હેમિલ્ટન, ન્યૂ જર્સીમાં રહેતા શ્રી હરનિશભાઈ જાનીનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ નથી, અનેક સામયિકોમાં તેઓ લખે છે, તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ ને ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકૅડમિનો પુરસ્કાર મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને ગુજરાતી સાહિત્ય અકૅડમિનું વર્ષ ૨૦૦૭નું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં તેઓ ભારતીય વાહનવ્યવહારને અને અહીંની સિસ્ટમની વાતોને એકમેકસાથે સુંદર રીતે સાંકળે છે. કાયદેસર – ગેરકાયદે જેવા ભેદભાવોથી પર ચાલતી આ સિસ્ટમની વાત તેઓ સહજતાપૂર્વક અને સૂક્ષ્મ હાસ્ય સાથે મૂકી રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી હરનિશભાઈ જાનીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


સાસુ તારા વહેતા પાણી… – રમેશભાઈ ચાંપાનેરી 11

કંપનીવાળાઓ તો હમણાં હમણાં ઊંઘમાંથી ઉઠ્યા, કે અમારે ત્યાંથી અમૂક વસ્તુ ખરીદો તો ફલાણી વસ્તુ ફ્રી. બાકી આ આઈડિયા એમણે આપણી લગ્ન વ્યવસ્થામાંથી જ તફડાવેલો છે. લગ્ન કરીએ એટલે એમાં પણ એક પર એક નહિ, ઢગલાબંધ ફ્રી ની સ્કીમ છે. સાસુ – સસરા – દિયર – જેઠ – જેઠાણી વગેરે વહુને ફ્રી માં જ મળે છે ને? પણ એક વાત છે કે લગ્ન વખતે બંને ઘરે એનો સ્ટોક હોવો જોઈએ. નાટકની માફક લગનના આ આખા મામલામાં પણ અનેક પાત્રો આવે છે. એમાં જે નાયક છે એ લગન પછી ખલનાયક લાગે. તેમાં નણંદ અને સાસુ એટલે તો જાણે ભીંત ઉપર ઉગેલો પીપળો. નહિ તો એનું વટવૃક્ષ થાય કે નહિ એની છોડવામાં ગણતરી થાય. હકીકતમાં સાસુ ક્યારેય ખરાબ નથી હોતી. અરે ફળ સારું હતું, એટલે તો ભવ ભવના બંધને બંધાયા. તો એનું ઝાડ તો ક્યાંથી ખરાબ હોય ? પણ આ ‘સાસુ’ શબ્દ જ ખતરનાક છે. ‘સાસુ’ વિશેની કેટલીક વિશેષ વાત લઈને રમેશભાઈ ચાંપાનેરી આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


માંદો પડ્યો તે મહાસુખ માણે.. – રમેશભાઈ ચાંપાનેરી 16

જેમ ચોમાસુ એટલે વરસાદમાં તરબોળ થવાની અને એને માણવાની મૌસમ, એમ જ ચોમાસું એટલે અનેકવિધ બીમારીઓ અને અસુખનો પણ સમય. માંદગીના સમયમાં અનેક અસુખ ભોગવતા બીમાર વ્યક્તિને પણ કેટલીક વાતોએ એ માંદગીને લઈને સુખ હોય હે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરતો પ્રસ્તુત હાસ્યલેખ શ્રી રમેશભાઈ ચાંપાનેરીએ અક્ષરનાદને પાઠવ્યો છે. માંદગી પણ કેટલાક સુખ આપી શકે એવી વાત પ્રસ્તુત કરતો આ લેખ વાંચીને સહજ મરકી જવાય. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ગ્રંથની ગરબડ – ચુનીલાલ મડિયા 2

કહેવાયું છે કે પુસ્તકો પ્રજાની સંસ્કારિતાનું દર્પણ છે, કોઈએ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના ઘરમાં કેવા પુસ્તકો છે એ મને કહો તો હું તેના ચારિત્ર્ય વિશે કહી શકીશ. આ જ માન્યતાનો છેદ ઉડાડતી શ્રી ચુનીલાલ મડિયાની પ્રસ્તુત કૃતિ એક અનોખી હાસ્યરચના છે. હાસ્યરચનાઓને માણવા માટે પણ એક વિશેષ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે, અને તેમાં રહેલા સૂક્ષ્મ હાસ્યને માણવાની મજા અલગ જ હોય છે. ચુનીલાલ મડિયાની આ અનોખી રચના માણવાલાયક કૃતિ છે.


ઉકરડાનું કાવ્ય (હાસ્યનિબંધ) – ન. પ્ર. બુચ 7

ઉકરડો એ આપણી એક સનાતન લોકસંસ્થા છે. લોકગીતની પેઠે એની ઉત્પત્તિ અને વિકાસ પણ અનેક અજ્ઞાત માણસોને હાથે થાય છે. શેરીની બાજુમાં કે ગામને છેડે આવેલી એકાદ ખુલ્લી જગ્યા પર કોઈક આવી રાખની ઢગલી કરી જાય. કલાક બે કલાકે બીજું કોઈ જણ આવી દૂધીનાં છોતરાં કે ડુંગળીનાં ફોતરાં ત્યાં ફેંકી જાય. વળી થોડી વારે ત્રીજું કોઈ આવી તૂટેલી તાવડી કે ફાટેલો જોડો નાખી જાય. આમ ઉકરડાનો પાયો નંખાય, પછી તો વાર્તામાંની રાજકુમારીની પેઠે તે દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે અને એમ કરીને જોતજોતામાં ભારે ઝડપી વિકાસ સાધે. આજે નાની સરખી ઉકરડી હોય તે આવતી કાલે વધીને મોટા મહાકાવ્ય જેવો ઉકરડો બની જાય. તે ક્યારે વધે તે આપણને ખબર પણ ન પડે તેથી જ આપણે તારુણ્યમાં પ્રવેશતી કન્યાની વૃદ્ધિને ઉકરડાના વિકાસ સાથે સરખાવીએ છીએ.


જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.. – કામિની સંઘવી 8

ફૂલછાબ દૈનિકની વિશેષ પૂર્તી ગુલમોરમાં પ્રસિદ્ધ થતી જેમની કૉલમ ‘તુલસીક્યારો’ વાચકોમાં ખૂબ લોકપ્રિય છે તેવા લેખિકા-પત્રકાર શ્રી કામિનીબેન સંઘવીની કલમ સ્ત્રીઓને લગતા વિષયોને એ સ્તંભમાં રસપ્રદ અને અસરકારક રીતે આવરે છે. અક્ષરનાદ પર આ તેમની પ્રથમ કૃતિ છે. પ્રસ્તુત હાસ્યલેખ અંતર્ગત તેઓ કેશ વિશેની અનેક ‘ફ્રેશ’ અવનવી વાતો લઈને આવે છે. આશા છે તેમનું આ ‘કેશપુરાણ’ વાચકોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કામિનીબેનનો આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


શકુની ની રોજનીશી (ભાગ ૭) – કોલસાનું કાળું કુરૂક્ષેત્ર 7

ગોટાળા, આંતરીક રાજકારણ અને સમય પારખીને પલટી જતા રાજકારણીઓ – ના આ ફક્ત આજના સમયની વાત નથી, મહાભારતકાળમાં પણ એવું જ કાંઈક હતું એ સ્પષ્ટ થાય છે શકુનીજીની ડાયરી પરથી. આજે તેમની ડાયરીનું ગતાંકથી આગળનું એક પૃષ્ઠ પ્રસ્તુત છે. કોલસાનું કાળુ રાજકારણ ત્યારે પણ ખેલાયું હતું. ખંધા રાજકારણીઓ તો સર્વવ્યાપક, સાવર્ત્રિક અને સમયના બંધનોથી પર સમસ્યા છે. આજે વાંચીએ શકુનીજીના વિચારો, તારીખ ૪ સપ્ટેમ્બર ૨૨ ડી.કે. (ડ્યુરીંગ કૃષ્ણ).