અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

બે ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવાના રહેવાસી શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ બગદાણા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક છે. તેઓ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ ભીતરની વાતને મર્માળુ ઉદાહરણો દ્વારા સમજાવીને, એ લાગણીઓને અભિવ્યક્ત થવાનો અવસર આપે છે તો બીજી ગઝલ તો ગઝલની જ વ્યાખ્યા એક અનોખા સ્વરૂપે સ્થાપે છે. બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


વર્ડપ્રેસ વડે બનાવો તમારી વેબસાઈટ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 15

આજકાલ વેબસાઈટ્સ અને બ્લોગ્સની બોલબાલા છે. એક તરફ જ્યાં વર્ડપ્રેસ.કોમ અને બ્લોગર જેવી અનેક બ્લોગ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં સામે પક્ષે વર્ડપ્રેસ.ઓર્ગની મદદથી પોતાના ડોમેઈન પર વેબસાઈટ બનાવતા અનેક લોકો મળી આવશે. આવા જ હેતુઓને લઈને વર્ડપ્રેસની મદદથી વેબસાઈટ બનાવવાની રીત તથા ઉપયોગી સૂચનાઓ સાથેની એક ઈ-પુસ્તિકા આજે પ્રસ્તુત કરી છે. અહીં આપેલી માહિતિ આ વિષયની ખૂબ પ્રાથમિક અને શરૂઆત કરનારાઓ માટેની છે. વર્ડપ્રેસ.ઓર્ગનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને વિગતે સમજાવવા એક અલગ મોટું પુસ્તક લખવું પડે, એટલે અહીં ફક્ત વેબસાઈટ બનાવવા જેટલી જ માહિતિ આપી છે. આજથી આ ઈ-પુસ્તક પણ ડાઊનલોડ વિભાગમાં તદ્દન મફત ઉપલબ્ધ છે.


શ્રી મકરન્દ દવેના કાવ્ય ‘દૂરની ડાળી..’ નો આસ્વાદ – રાજેન્દ્રસિંહ રાયજાદા 6

રહસ્યાત્મક અનૂભુતિની અભિવ્યક્તિની દ્રષ્ટિએ નરસિંહ, મીરાં પછી મકરન્દ દવેને મૂકી શકાય તેવી ક્ષમતા તેમના કાવ્યોમાં છે. તેમની રચનાઓમાં રહસ્યવાદી અનુભવની ભીનાશ, કાવ્યાત્મક સૂક્ષ્મતા અને સૌંદર્ય વિશેષ ઉતર્યા છે. ‘દૂરની ડાળી’ કાવ્ય અગમની ઝૂલતી કાળી કાયાને પ્રતિબિંબિત કરે છે. આંતરપ્રજ્ઞા દ્વારા જે ઉદબુદ્ધ થાય છે તે રહસ્યાત્મક સ્પર્શને સહજ, પ્રવાહી અને માર્મિક રીતે શબ્દોમાં વ્યક્ત કરી શકવાની કવિ શક્તિ ધરાવે છે. આ કાવ્ય સુરેખ, ઉત્કૃષ્ટ અને આંતર અનુભૂતિની રહસ્યાત્મકતાને પ્રકટ કરતું અર્વાચીન ગુજરાતી કવિતાનું એક વિરલ કાવ્ય લાગે તો એમાં આશ્ચર્ય નથી. માણીએ શ્રી મકરન્દ દવેનું આ કાવ્ય અને કાવ્યનો આસ્વાદ.


મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક 1

આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા શરૂ થયેલ આવો જ એક સંબંધ જે અક્ષરનાદની જ નિપજ છે, ઘણાં ઓનલાઈન મિત્રો માંથી એક, વડીલ અને છતાં યુવાન, જેમને હું ફક્ત એકાદ વખત ફક્ત અડધા કલાક પૂરતો અલપઝલપ જ મળ્યો છું અને છતાં દિવસમાં એક – બે ફોન ન થાય તો એમને કે મને અડવું લાગે એવા સહજ સ્વભાવવાળા અક્ષરનાદના નવા, પણ જૂના સંપાદક વિશે વાત સાથે બ્લોગજગત વિશે વિચાર.


પ્રણય ત્રિકોણ – હરજીવન થાનકી 4

ના – પ્રણય ત્રિકોણના ખૂણા સાથે ત્રણ બાજુઓ પણ ખરી. પ્રણય ત્રિકોણ શબ્દ ભારે છેતરામણો છે. આ પ્રણયમાં એકે ખૂણાને સ્થાન નથી, ત્યાં ત્રણની તો વાત જ શી કરવી? વાત તો હોવી જોઈએ સાથે ને સાથે રહેતા બે પાટાઓની જે શરૂઆતથી અંત સુધી એકબીજાનો સાથ નિભાવે છે, આવા જ વિચારો લઈને આજે આ નાનકડી ચિંતનિકા…


સાંતીડુ જોડીને – અખો 2

આપણા આદ્ય સાહિત્યકારોએ સામાન્ય જીવનપ્રવૃત્તિઓનો સહારો લઈને તેની પ્રવૃત્તિઓમાં સમજણના સૂર કેવા પ્રગટાવ્યા છે તેનું ઉદાહરણ અખાની આ સુંદર રચના છે. ખેડૂત ખેતી કરવા સાંતીડુ જોડે છે, ત્યારથી લઈને વાવણી સુધીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેને સતત માનવતા અનુભવવા, શ્રદ્ધા રાખવા અને મહેનત કરવાની શીખ કેવી માર્મિક રીતે અહીં અપાઈ છે !


શે’ર સમૃદ્ધિ – સંકલિત 8

આજે પ્રસ્તુત છે વિવિધ સંદર્ભોમાંથી મેળવેલા અને મને ગમતાં શે’રોનું એક નાનકડું સંકલન. આ શે’ર સંકલન વિવિધ વિષયોને આવરી લે છે અને વિવિધ ગઝલકારોના શે’ર અહીં સાભાર લીધાં છે. ક્યાંક વસંતનો વૈભવ તો ક્યાંક તૂટેલા હૈયાની વેદના, વિષયવૈવિધ્ય પણ આપોઆપ જળવાયું છે.


આપણે… – ‘રાઝ’ નવસારવી 5

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.


(ગુજરાતની ભજનપરંપરા ) ધુમ્રસરોને દૂર કરતી અખંડ જ્યોત ભાગ ૧ – તરુણ મહેતા 4

આજે પ્રસ્તુત છે ગુજરાતની ભજનપરંપરા અને પાટ ઉપાસના સંદર્ભે પ્રસારભારતી – દૂરદર્શન રાજકોટમાં કાર્યરત મિત્ર શ્રી તરુણભાઈ મહેતાનો આ વિશિષ્ઠ લેખ. આપણી ભજનપરંપરા અને તેના અસ્તિત્વની વિવિધ આધારભૂત તથા સંદર્ભિત વાતો સાથે તેમણે આ પ્રયત્ન કર્યો છે. ભજનનો એક અર્થ ‘છોડવું’ પણ થાય, જીવનની અનેક વિટંબણાને બાજુ પર મૂકી સંતોના વચનમાં શ્રદ્ધા ધરીને ઉપાસના થતી. આપણી આ જ ભજનપરંપરા વિશે વિગતે જાણીએ


સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો.


ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા 2

ધાંગધ્રાની એસ પી કોલેજમાં પંદર વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને કોલેજના ભીંતપત્ર ‘સ્પંદન’ નું સંપાદન કરતા શ્રી મહિમ્ન ભાઈ ધાંગધ્રા કોલેજમાં જ ગાંધીદર્શન કેન્દ્ર ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રશ્નોત્તરી સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધા જેવા આયોજનો કરે છે. ગાંધી નિર્વાણ દિન નિમિતે તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવેલો આ સરસ ચિંતન લેખ અમુક કારણોસર થોડોક વિલંબથી આવી રહ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં ગાંધી મૂલ્યો માટેની જરૂરતો તથા તેની મદદથી સમાજના વિભિન્ન વિભાગો અને અંગોને વિકસિત તથા તંદુરસ્ત રાખવા માટેની વિચારસરણી તેમણે પ્રસ્તુત લેખમાં વિગતે આપી છે. આ સુંદર કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી મહિમ્નભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ (પુસ્તક ડાઉનલોડ) 2

સ્વામી આનંદના પુસ્તક ‘ભારેમૂવાંવના ભેરુ’ ને ખિસ્સાપોથી સ્વરૂપે શ્રી મહેન્દ્ર મેઘાણીએ પ્રસ્તુત કરેલું. એ ખિસ્સાપોથીને આજે ઓનલાઈન ઇ-પુસ્તક સ્વરૂપે વહેંચતા આનંદ થાય છે. પ્રસ્તુત છે સ્વામી આનંદ વિશે શ્રી ઉમાશંકર જોશી અને શ્રી સુરેશ દલાલની વાત. પુસ્તક ડાઊનલોડ વિભાગમાં સૌ વાંચકમિત્રો ડાઊનલોડ કરી શકે તે માટે ઉપલબ્ધ છે. આપ એ કડી પર રાઈટ ક્લિક કરીને Save As… પસંદ કરી તમારા કોમ્પ્યુટરમાં નિરાંતે વાંચન માટે પણ સંગ્રહી શક્શો. પુસ્તક વિશે આપના પ્રતિભાવો આવકાર્ય છે.


લાંચ – રતિલાલ બોરીસાગર 5

પ્રસિદ્ધ તત્વચિંતક ખલિલ જિબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’નું સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલ સુંદર ભાષાંતર ‘વિદાય વેળાએ…’ ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષ રચનાઓનું શ્રી રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘જ્ઞ થી ક સુધી’ એક સાદ્યાંત મલકાવતું, કટાક્ષો રૂપી ચાબખા વીંઝતું ખલિલ જિબ્રાને જે વિષયોનું તત્વચિંતન કરેલું એ જ વિષયોના વિશાળ વિષયરસને આવરી લઈને, ‘લગ્ન’ થી ‘મૃત્યુ’ સુધીના વિષયો વિશે વ્યંગની ધારથી લખ્યું છે. અને એકે એક શબ્દ માણવાલાયક, વિચારવ્યસન લાયક બન્યો છે. આ જ પુસ્તકમાંથી આજે પ્રસ્તુત છે ‘લાંચ’ વિશે ચિંતનનું વજન દૂર કરીને નિપજતુ હાસ્ય.


ધીરે ધીરે પધારો, નાથ ! – કરસનદાસ માણેક 3

અંગ્રેજી શબ્દકોષ મુજબ પ્રાર્થનાના મુખ્યત્વે બે અર્થ જોવા મળે છે, પહેલી તે ઈશ્વર પાસેથી ઐચ્છિક વસ્તુની, વાતની નમ્ર માંગણી અને બીજી તે વિનંતિ કે માંગણી સ્વીકારાઈ જાય તે પછી ઈશ્વરનો આભાર માનતી પ્રાર્થના. પણ અમુક પ્રાર્થનાઓ આવા આલંબનોથી પાર હોય છે. ક્યારેક જવલ્લે જ આપણી પ્રાર્થનાઓ દ્વારા અંતરના અજ્ઞાનને દૂર કરીને પ્રકાશને પામવાની, મુક્તિની, પ્રભુનો સાક્ષાત્કાર પામવાની ઈચ્છા વ્યક્ત થાય છે. શ્રી કરસનદાસ માણેકની પ્રસ્તુત ભાવકવિતા આવી જ અનુભૂતિ કરાવી જાય છે.


ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર) 2

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ટેકનોલોજીની ક્રાંતિના પરીણામે ઉભા થયેલા પ્રશ્નો અને યુદ્ધ જેવા માનવ અસ્તિત્વને પડકારતા પ્રશ્નોને પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


કુંભ લગ્ન – ભારતી દલાલ 7

સંજોગો ક્યારેક તદ્દન વિરુદ્ધનું કામ કરતા હોય તેમ લાગ્યા કરે છે. જે વસ્તુની વાંછના હોય તે ન જ મળે એવું સતત બનતું પણ અનુભવાય. આવી જ એક સ્ત્રીની મનોવેદના, નસીબની વાતો, બાળક માટેની ઇચ્છા વગેરેને સાંકળીને એક સરસ વાત અહીં પ્રસ્તુત થઈ છે. સરી જતા નસીબને, ક્ષણોને, સંબંધોને પકડી રાખવાનો એક પ્રયાસ થતો અહીં જોઈ શકાય છે.


બાળકનું ઘરમાં સ્થાન કયું? – ગિજુભાઈ બધેકા 7

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે? દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે? બાળવિચારને આપણા હદયમાં કેટલું સ્થાન છે? આપણે કહીએ છીએ કે એનાથી એ ન બને; આપણે માનીએ છીએ કે એનામાં વ્યવસ્થા કરવાની શક્તિ જ નથી. પણ આપણને આંખ જ ક્યાં છે? અજ્ઞાન ઘોર અંધારું આપણી ફરતું ફરી વળ્યું છે. એના ઉપરના વિશ્વાસથી એને કોઇવાર આપણને તક આપી છે? બાળકો વિશેના આવા જ વિચારો સાથે આંખો ખોલી નાંખે તેવા તથ્યો સાથે ગિજુભાઈ બધેકાના આ લેખને આજે ‘મા બાપોને’ એ પુસ્તકમાંથી અહીં લીધો છે.


સ્વામી અને સાંઇ – મકરંદ દવે 4

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ ત્રીજા લેખમાં માણીએ સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચેના પત્રવ્યવહારને સંકલિત કરીને હિમાંશીબેન શેલત દ્વારા પ્રકાશિત પુસ્તક ‘સ્વામી અને સાંઈ’ માંથી એક પત્ર અને તેનો સ્વામીજીનો જવાબ.


કોળી બાપા – મકરંદ દવે 1

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. આ બીજા લેખમાં તેમણે ઉપસાવેલું એક પાત્રચિત્ર સામાજિક ને આર્થિક દૃષ્ટિએ એ પછાત ગણાતા વર્ગના કોળીબાપાનું છે. તેમના વ્યક્તિત્વમાં એક જાતનું ગૌરવ હતું અને સ્વાભાવિકતાથી એ સહુની વચ્ચે સમાન આસને બેસતા. હસે ત્યારે સરળ નિખાલસ બાળકનું મુક્ત હાસ્ય ઊછળી ઊઠે અને સાદી વાતોમાંથી પણ અધ્યાત્મના સૂક્ષ્મ ચમકારા થતા જાય. એક સક્ષમ પાત્રચિત્ર ઉપસાવવાની તેમની ક્ષમતાનો આ અનેરો પરિચય છે.


સત્યનું સ્વાગત – મકરંદ દવે 2

આપણી ભાષાના સાહિત્યમાં સંતત્વની પરિભાષા ઉમેરનાર, સાંઇ મકરંદ સ્વ. શ્રી મકરંદ દવેની આજે પુણ્યતિથિ છે. અક્ષરનાદ તરફથી પ્રસ્તુત છે આજે તેમની કલમની ત્રણ પ્રસાદી. પ્રથમ લેખમાં માણીએ મહાભારતના કેટલાક પ્રસંગો વિશે તેમનાં વિચારમોતી, બહારથી એ પ્રસંગો એવા વરવા લાગે છે કે એને છીપલાંની જેમ ફગાવી આગળ વધવાનું મન થાય. પણ એને હાથમાં લઇ બરાબર તપાસીએ ને એનાં પડ ભેદી જોવા પ્રયત્ન કરીએ તો સત્યનું સુંદર મોતી એમાં ઝગારા મારતું હોય છે. આવો એક પ્રસંગ, જેમાં મહાભારતનાં બીજ પડ્યાં છે એ, વ્યાસના નિયોગનો છે.


‘હિંદ સ્વરાજ’ ની મૂળ વાત નખ દર્પણમાં – કાન્તિ શાહ

હિંદ સ્વરાજ ભલભલા થાપ ખાઈ જાય એવું પુસ્તક છે. ગોખલેને આ લખાણ એટલું અણઘડ લાગેલું કે તેમણે ભવિષ્ય ભાખ્યું કે ગાંધી હિંદમાં એક વરસ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. નહેરૂએ કહેલું કે હું આને અવાસ્તવિક માનું છું. કોંગ્રેસે તો તેની ચર્ચા વિચારણા કરવાનું જ મુનાસિબ નથી માન્યું. જ્યારે બીજી બાજુ ગાંધીજીએ જાતે થઈને લખ્યું હોય, અંદરના ધક્કાથી લખ્યું હોય તેવું આ એક જ પુસ્તક છે, એમણે કહ્યું છે, ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યુ, બહુ વિચાર્યું જે મારા વિચારો છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા મારી ફરજ સમજ્યો છું.’ આ પુસ્તકના મૂળ વિચારનો શ્રી કાન્તિભાઈ શાહનો સંવર્ધિત અને સરળ આસ્વાદ આજે અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધી નિર્વાણ દિવસે આજે તેમના વિચારોને સાચા અર્થમાં સમજવા અને આત્મબદ્ધ કરવાથી વધુ મોટી શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે?


પ્રથમ લોકમત અને ભેટ યોજના – વિજેતાઓ… 2

આ પહેલા અહીં જાહેર કરેલી લોકમત અને ભેટ યોજના (ઇ-પુસ્તક) માં ભાગ લઈને ખૂબ ઉપયોગી પ્રતિભાવો તથા સૂચનો આપનાર અનેક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. અનેક મિત્રોએ પોતાનો કીમતી સમય ફાળવીને આખું ફોર્મ તથા જરૂરી વિગતો ભરી આપી છે, એ અંતર્ગત અમુક સૂચનો અમને ખૂબ ઉપયોગી લાગ્યા છે, શક્ય એટલી ઝડપે તેમનો અમલ કરવાની પૂરી તૈયારી કરવામાં આવશે. કેટલાક સૂચનો હાલ પૂરતા તો અમલમાં મૂકવા શક્ય નથી અથવા તે માટે કેટલાક ડિઝાઈનર અથવા ડેવલોપર મિત્રો તરફથી ટેકનીકલ માર્ગદર્શનની જરૂર છે. આ યોજનામાં જે મિત્રોને ઇ-પુસ્તકા આપવામાં આવ્યા છે તેમના નામ આ પોસ્ટમાં મૂક્યા છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૭ 5

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ વિશે જણાવતી અક્ષરનાદની આ વિશેષ શ્રેણી અંતર્ગત આજે જાણીએ કોમ્પ્યુટર પર કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર શરીર રચનાની ત્રિપરીમાણીય સફર કરાવતી વેબસાઈટ, ગૃહશોભાના વિવિધ વિકલ્પો, ચિત્રો તથા ફોટૉગ્રાફ્સને સુધારવા – બદલવા માટેનું ઓનલાઈન મફત સોફ્ટવેર, બિલ બનાવી આપતી ઓનલાઈન સુવિધા તથા ઈ-પુસ્તકોના શેલ્ફ રૂપ મફત સોફ્ટવેર જેવી સુવિધાઓ આપતી વેબસાઈટ્સ વિશે વિગતે વાત.


(માંદગી ઉપર) મુલાકાતીઓ – દુષ્યંત પંડ્યા 3

તમે કદી માંદા પડ્યા છો? ગંભીર રીતે માંદા પડ્યા છો? એ હૉસ્પિટલની નાનકડી ઓરડીમાં એક સામટા તમારા અર્ધો ડઝન શુભેચ્છકો આવી ચડે એવો અનુભવ તમને થયો છે ખરો? અને તમારી સમક્ષ પોતાના કાકાના દીકરા ગણપતની, ફઈની દીકરી કુંદનની, પડોશી જગજીવનની અને એવી બધી વાતોનો પટારો ખોલે છે. તમારી માંદગી બાજુએ રહી જાય છે. ના. એમની આ બધી પૈડથી તમારું માથું દુખવા લાગે છે. આખરે મોડી સંજે એ જાય છે ત્યારે, તમે પ્રભુને પ્રાર્થના કરો છો કે, ‘હે પ્રભુ!તું આવી માંદગી ન દેજે અને માંદગી દેવાનો હો તો, આવા મુલાકાતીઓ ન દેજે.’ પણ મુલાકાતીઓ પર માંદા પડનારનો અંકુશ નથી. આવી જ માંદગીથી મુલાકાતીઓના અજોડ સંબધને દર્શાવતો શ્રી દુષ્યંતભાઈનો આ લેખ અત્રે પ્રસ્તુત છે.


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


કોઇને કોઇની સાંકડ તો ન પડે ! – નિરંજન ટોલિયા 3

કોઈ એક જગ્યાની ક્ષમતાથી વધુ દ્રવ્ય કે લોકોનો સમાવેશ ન કરી શકાય તેવી સ્થિતિને સાંકડ કહે છે, તેના પરથી સાંકડમુકડ શબ્દ આવ્યો છે, પરંતુ પ્રસ્તુત અછાંદસમાં સાંકડ શબ્દને જેટલા અવનવા અને ક્યારેય વિચાર્યા ન હોય એવા અર્થો સાથેની વિભાવનાઓ સાથે ઉપયોગમાં લીધો છે એ જોઈને ખરેખર આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. આમ પણ મનની સાંકડ સ્થળની સાંકડ કરતા વધુ હાનિકારક અને અકળાવનારી બની રહે છે.


એ ખોવાયેલી દીકરી…. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે વિશેષ 5

૨૪ જાન્યુઆરીની તારીખને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ જાહેર કરીને ભારત સરકારે દર વર્ષે એ દિવસની ઉજવણી અને તે દ્વારા દીકરીઓ વિશે જાગૃતિ અને સદભાવ પ્રગટાવવાનું ધ્યેય રાખ્યું છે. શા માટે આ એક વિશેષ દિવસની જાહેરાત કરવાની જરૂર પડી? કહેવાતા આટલા બધા આધુનિક જમાનામાં પણ કોઈ એક જાતિને પોતાનું અસ્તિત્વ જાળવવા અને સમસ્યાઓ ઉકેલવા આ વિશેષ ધ્યાન જોઈએ છે? વાત એક નાનકડી બાળકીની છે… વાંચો વધુ આ વિશે.


આંસુઓ, મિથ્યા આંસુઓ – આલ્ફ્રેડ ટેનિસન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 1

વિક્ટોરીયન સમયના નોંધપાત્ર કવિ આલ્ફ્રેડ, લોર્ડ ટેનિસન (૧૮૦૯-૧૮૯૨) દ્વારા “ધ પ્રિન્સેસ” ના ગીત સ્વરૂપે લખાયેલ આ રચના માઉન્ટમાઉથશાયર નામના સ્થળના એક ખંડેર મઠની મુલાકાતથી પ્રેરાઈને તેમણે આ કવિતા “Tears, idle tears” લખેલી. વિલિયમ વર્ડ્ઝવર્થ દ્વારા પણ આ જ સ્થળની મુલાકાતે એક રચના લખાયેલી. શબ્દોના લાલિત્યને લઈને આ રચના ખૂબ સભર લેખાઈ છે. વિરોધાભાસી અને દ્વિઅર્થી સૂરોને લઈને આ કવિતા ચર્ચામાં રહી છે, જેમ કે આંસુઓ મિથ્યા છે અને છતાંય હ્રદયની ગહનતામાંથી ઉભરે છે, શરદઋતુના લહેરાતા ખેતરો ઉદાસી ઉભી કરે છે. એક વિવેચક કહે છે કે જ્યારે ટેનિસન આવા શબ્દો અને વલણો દાખવે છે ત્યારે તે શબ્દોની અદભુતતા સાથે નાટકીય પાસું પણ ઉમેરાય છે. આ જ કવિતાના ભાવાનુવાદનો એક નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે.


જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક 11

જીંદગી વિશે અનેક વિચારો, અનેક ચિંતનો અને વિવેચનો આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, પણ જીવનના સમગ્ર દ્રશ્યને શબ્દોની પીંછી વડે વ્યાખ્યાથી લઈને અનુભવ સુધીના કેનવાસ પર એબસ્ટ્રેક્ટ સ્વરૂપે ચીતરવાનો સુંદર પ્રયત્ન શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનો છે. વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈની આ ત્રીજી કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ 2

મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ઈ.સ. ૧૮૬૨માં પ્રકાશિત, ગુજરાતી ભાષાનો જેને પ્રથમ પ્રવાસગ્રંથ મનાય છે તે ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને કરસનદાસજી મૂળજી દ્વારા ૧૮૬૬માં પ્રગટ ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ આપણા આદ્ય ભ્રમણવૃતો છે. આ પુસ્તકોનું ઐતિહાસીક મૂલ્ય છે તો પ્રવાસવર્ણનની ગુજરાતી પરંપરાના તે સ્તંભો છે. આ જ પુસ્તકોની શ્રેણીમાં એક મહિલા લેખીકા દ્વારા, ૧૯૩૬માં શ્રી શાન્તાબહેન ચી. કવિએ કરેલા કાશ્મીર પ્રવાસનું વિગતપ્રચૂર છતાં સરળ અને રસપ્રદ શૈલીમાં કરેલું પ્રવાસવર્ણન તેમનાં પુસ્તક ‘કાશ્મીર’ (૧૯૫૪) માંથી મળી આવે છે. અડધી સદીથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ પુસ્તકના વર્ણનો તથા વિગતો કાશ્મીર આ ધરતી પરનું સ્વર્ગ હતું એ વાતની સહજ પુષ્ટિ કરે છે. તો પ્રવાસવર્ણનના લેખ લખતી વખતે વિગતો અને સ્થળવિશેષ વર્ણનો સાથે પ્રવાહી શૈલી કઈ રીતે જાળવી રાખી શકાય એ કળા પ્રસ્તુત લેખ પરથી સમજી શકાય છે. પ્રવાસવર્ણનોના ગુજરાતીના અનેક પુસ્તકોની વચ્ચે આ એક આદ્યપુસ્તક સમાન રચના છે એમાં બે મત નથી.