અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૧ 45

તો ‘સર્જન’ ગૃપના સભ્યો રચી રહ્યાં છે ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તાઓ અહીં આપેલા ચિત્ર પરથી, ચિત્રને આધારે અને એને પશ્ચાદભૂમાં રાખીને.. જુઓ વાર્તાલેખનના આ નવીન પ્રયોગની એક ઝલક અહીંના પ્રતિભાવોમાં..


ગઝલરચનાઓ અને હાઈકુ – મંંથન ડીસાકર 7

મૂળ ડીસા, હાલ સૂરત ખાતે ૧૫ વર્ષથી રહેતા, ૧૯૯૧ થી સર્જનપ્રવૃત્તિમાં રત મંથન ડીસાકરે ગઝલ, અછાંદસ કાવ્યો, ગીતો, સોનેટ અને હાઈકુ લખ્યા છે. આજે તેમની બે ગઝલરચનાઓ અને ત્રણ હાઈકુ પ્રસ્તુત છે. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે manthandisakar@gmail.com પર કરી શકાય છે.


ત્રણ પદ્યરચનાઓ.. – હર્ષિદા દિપકભાઈ ત્રિવેદી 5

રાજકોટના હર્ષિદા દિપકભાઈ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ પદ્યરચનાઓ છે. સર્જનના આ અનોખા અક્ષરનાદી વિશ્વમાં તેમનું સ્વાગત છે. તેમની કલમને શુભકામનાઓ..

સપનામાં બાઈ હું તો એવી મૂંઝાણી કે યાદોમાં ન્હાતું પરભાત,
નિંદરની સોંસરવા ઝબકીને જોયું તો શોણલાં સરીખી થઇ જાત..


અક્ષરનાદ પર ડાઉનલોડ માટે ત્રણ નવા ઈ-પુસ્તકો – સંપાદક

આપને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ત્રણ નવા ઈ-પુસ્તકો ઉમેરાયા છે…
૧. અભ્યંતર (ગઝલ સંગ્રહ) – પ્રવીણભાઈ શાહ
૨. સંકલિત વાર્તાઓ – ‘હરિશ્ચંદ્ર’ અને આશા વીરેન્દ્ર
૩. આનંદનું આકાશ – શશિકાંત શાહ
આ ત્રણેય ઈ-પુસ્તકો અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકાશે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા પરિચય) – નીલમ દોશી 5

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.


ચાર કાવ્યો – રાજેન્દ્ર શાહ

તેડું રે આવ્યું આ માઝમ રાતનું,
સહિયર આજથી સજાવ,
વ્હાલું ને વેરણ એવી જાતનું,
હૈયામાં વસમા છે ભાવ.

ઉગમણે આવ્યો રે કાજલનો રેણનો
તેજ નમણો મયડ્ડ;
શીલાંને હૂંફાળ એવાં વૅણનો,
જેમ સોહ્ય રે કલડ્ડ.


ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી 7

પ્રવીણકાન્ત શાસ્ત્રીની પ્રસ્તુત વાર્તામાં ટૂંકીવાર્તાના લગભગ બધા તત્વો મોજુદ છે. વિષય, સ્થળ, પાત્રો અને સંવાદ એમ બધી રીતે આ વાર્તા અનોખી બની છે. આજની વાર્તા ‘એસ્કોર્ટ’ શૃંગાર રસથી ભરેલી છે, પણ એમાંની હકીકતો સમાજમાં અસ્તિત્વમાં છે. જુવાનીની નાદાની, ઓછી મહેનતે બધું જ મેળવી લેવાની તમન્ના અને સામાજીક વાતાવરણ એક વ્યક્તિને કેટલી હદે માર્ગમાંથી ભટકાવી દે છે, એનું આ વાર્તામાં નિરૂપણ છે. “મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે.” આવું લખીને પ્રવીણભાઈએ માત્ર હકીકતોનું બયાન આપ્યું છે. જે પરિપેક્ષમાં આ વાર્તા લખાઈ છે, એ પરિપેક્ષમાં મુલવશો તો તમને આમાંનું વાર્તા તત્વ ગમશે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૭ (૩૦ વાર્તાઓ) 10

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.

તા. ૯ અને ૧૦ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ હતો..

“રમલીને એ સ્પર્શ રણઝણાવી ગયો. એની ઓગણીસ વર્ષની શાંત જિંદગીમાં ગૌતમનો એ અછડતો સ્પર્શ ઝંઝાવાત પેદા કરી ગયો..”

વળી આ વખતે ફક્ત શૃંગાર થીમ આધારીત માઈક્રોફિક્શન જ સર્જવાની હતી.


પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા 10

તમને એક સરસ મજાનો હાસ્યલેખ પીરસવાની મારી શુભ લાગણી છે. ને આમ જુઓ તો પીરસવા પાછળ આવી જ કંઈક શુભ ભાવના રહેલી છે ને? લોકો ભાવનાના ભૂખ્યા છે. પીરસીને ભૂખ શમાવી તેમને તૃપ્ત કરવા એ જ સાચો માનવધર્મ. દીકરો ક્યારેક ઊંચે અવાજે બોલી ઊઠે છે કે ‘મા, મને પીરસ મા. હવે હું મોટો થઇ ગયો. હું મારી મેળે બધું લઇ લઈશ.’ તોય મા પીરસશે, કેમ કે એમાં આવડત કે મદદનો પ્રશ્ન નથી. આ તો સ્નેહની વાત છે. હવે તો લગ્ન, નાતજમણ કે એવાં અન્ય પ્રસંગોમાં બૂફે-ડીનર રાખી દેવાય છે, તોય હજી વડીલો પીરસવાની પ્રથાનો આગ્રહ રાખે છે એની પાછળ આવી જ કોઈ લાગણી છૂપાયેલી હશે. વડીલો કહે છે, ‘બૂફે એ આપણી પ્રકૃત્તિ કે સંસ્કૃતિ નથી, પણ વિકૃતિ છે. તેણે તો આપણી ઉત્કૃષ્ટ ભોજનપ્રથાનું નિકંદન કાઢી નાખ્યું છે.’ ટૂંકમાં પીરસવાની પ્રથા હજી ‘જીવંત’ છે. (પીરસનારો ભલે પછી પીરસી પીરસીને ‘અધમુઓ’ થઇ જાય !)


‘અભ્યસ્ત’ ગઝલસંગ્રહ – પ્રવીણ શાહ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1

શ્રી પ્રવીણભાઈ શાહનો ગઝલસંગ્રહ ‘અભ્યસ્ત’ આજે અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેમાંથી ત્રણ ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. ૧૯૬૮થી વડોદરામાં સ્થાયી થયેલા પ્રવીણભાઈની કલમે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ની વચ્ચે લખાયેલી ગઝલરચનાઓ આ સંગ્રહમાં તેમણે મૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વડોદરાની બુધસભામાં નિયમિત હાજરી આપે છે અને ગઝલો પ્રસ્તુત કરે છે. આજથી તેમનો ગઝલસંગ્રહ ગઝલના ભાવકો માટે અક્ષરનાદ પર નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ) 5

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા ‘સંભવ-અસંભવ’માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી..

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”


ક્ન્યાની હઠ.. – ભાણદેવજી 4

બાર વર્ષની એક કન્યાએ પોતાની મા પાસે માગણી કરી – ‘મા, મારે નણંદ જોઈએ છે.’

માને નવાઈ લાગી, પણ વળી વિચાર્યું બાલિકા છે, પાડોશમાં કોઈને ઘેર કોઈની નણંદ જોઈને તેને નણંદ મેળવવાની ઈચ્છા થઈ હશે. આવી બાલ સહજ માગણીનો ઉત્તર પણ શો આપવો? મા મૌન જ રહી. માએ વિચાર્યું કે કાંઈ ઉત્તર નહીં આપું એટલે આપમેળે શાંત થઈ જશે.

માની ધારણા કરતાં જુદું જ બન્યું. તે બાલિકાએ તો જાણે હઠ જ પકડી, વેન જ લીધું –

‘મા, મારે નણંદ જોઈએ જ છે. તું મને નણંદ આપ ને આપ!’


થાઇલેન્ડનો પ્રવાસ : શ્યામ દેશ છે રંગીન – પરીક્ષિત જોશી 5

દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત પ્રાચીન ‘શ્યામદેશ’ કે જેને આજે આપણે ‘થાઇલેન્ડ’ તરીકે ઓળખીએ છીએ એ દેશ ૧૧ મે, ૧૯૪૯ સુધી ‘સિયામ’ તરીકે ઓળખાતો હતો. દેશની થાઇ પ્રજાની ઓળખ એવા ‘થાઇ’ શબ્દના થાઇ ભાષામાં થતાં ‘આઝાદ’ એવા અર્થસંદર્ભ સાથે આજે એ થાઇલેન્ડ તરીકે ઓળખાય છે. એની પૂર્વે લાઓસ અને કંબોડિયા, દક્ષિણે મલેશિયા અને પશ્ચિમે મ્યાનમાર આવેલા છે.

અત્યારે અહીં રાજા રામ નવમા તરીકે ઓળખાતા હિઝ મેજીસ્ટી રાજા ભૂમિબોઇ અદુલ્યાદેજનું રાજ ચાલી રહ્યું છે. જે તેના સમગ્ર રાજ્યતંત્ર ઉપરાંત સશસ્ત્ર દળો સહિત બૌદ્ધ ધર્મના વડા છે. થાઇલેન્ડની ૮૦ ટકા વસતી થાઇ પ્રજા છે. અન્યમાં ૧૦ ટકા ચીની, ૩ ટકા મલાયા અને બાકીના લોકો વસે છે. એક ભારતીય રૂપિયાની કિંમત થાઇ ચલણ બાહટ (ટીએચબી) બાસઠ પૈસા થાય છે. બીજી રીતે કહેવું હોય તો એક બાહટ બરાબર ૧.૬૦ રૂપિયા થાય.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૫ (૨૦ વાર્તાઓ) 13

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૩-૨૪ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે ધૈવતભાઈ ત્રિવેદીની નવલકથા ‘૬૪ સમરહિલ’માંથી ઉદધૃત જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી..

અહીં સદીઓ જૂના પથ્થરની ખાંચમાં પાંચમી પંક્તિય કોતરાયેલી હતી.. ‘સ્વરૂપમ ત્વદિયં ન વિન્દન્તિ દેવા…’


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૨) (અંતિમ) 2

અશ્વિનભાઈએ જ્યારે આ નવલકથાની ફાઈલ વાંચવા મોકલી હતી ત્યારે એક બેઠકે વાંચી ગયેલો.. આજે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે ત્યારે એક વાચક તરીકે સંંતોષની સાથે એક સંપાદક તરીકેનો, એક સરસ પ્રસ્તુતિના અંતનો વસવસો પણ એટલો જ છે. વાચકોએ વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા ઘણી વખત આગળના હપ્તાઓ વિશે પૃચ્છાઓ કરી હતી એ તેમની નવલકથા સાથેનું જોડાણ બતાવે છે.. અનેક વાચક મિત્રોએ અને પ્રસ્થાપિત સાહિત્યકાર મિત્રોએ આ સુંંદર સર્જનને બિરદાવ્યું એ સઘળો યશ શ્રી અશ્વિનભાઈને જાય છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, તેમની કલમને અનેક શુભકામનાઓ.


કિંમત – પ્રફુલ્લ પંડ્યા 4

ચિત્તા બળી રહી હતી. ઉપર ઉઠતી જ્વાળાઓને હું સમસમીને જોઈ રહ્યો હતો. મને ડર હતો કે મા ત્યાંથી ઉઠીને હજીયે મારી પાસે આવી શકે છે; અને મારો હાથ પકડીને ચૂપચાપ ઘર તરફ ચાલવા માંડે તેમ છે. ઘરે પહોંચીને તેને જે આઘાત લાગે તેમ હતો તેની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. આ ડરને કારણે જ મને રડવું પણ આવતું નહોતું. હું ચૂપચાપ આગની જ્વાળાઓમાંથી ઉપર ઉઠતી ચિનગારીઓને અંધારામાં ડૂબતી જોઈ રહ્યો હતો.

અચાનક એક ફટાકડો ફૂટવા જેવો અવાજ આવ્યો. સળગતા લાક્ડાઓમાં થોડી હલચલ થઈ. હું સમજી ગયો કે કપાલક્રિયા થઈ ગઈ છે. હવે મા ત્યાંથી ઊઠીને અહીં નહીં આવી શકે. મને એક ક્રૂર તસલ્લીનો અહેસાસ થયો. વિડંબના પણ હતી જ કે હું દુઃખી થવાને બદલે આશ્વસ્ત થઈ રહ્યો હતો. મને વધુ સંતોષ તો એ વાતનો હતો કે અંતિમ સમયે માએ મારી જે જૂઠી વાતને સાચી માની લીધી હતી તે હવે સાચી જ બનીને રહી ગઈ. તે સમયે જો હું જૂઠું ન બોલ્યો હોત તો તેમનો આત્મા દુઃખી થઈ જાત. મારા જૂઠને કારણે તેમના અંતિમ શ્વાસ સુગમ બની રહ્યાં.


ચાર ગઝલરચનાઓ – પારસ એસ. હેમાણી 8

આજે પ્રસ્તુત છે જાણીતા ગઝલકાર પારસભાઈ હેમાણીની ચાર સુંદર ગઝલરચનાઓ.. અક્ષરનાદને આ ચારેય સુંદર ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ તેમનો આભાર.

શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે
મારી અંદર ક્યાંકતો ભીનાશ પણ છે

દૂર જાવા આમતો મથતો રહું છું
આમ તો તારા ઉપર વિશ્વાસ પણ છે


આઠ વૃત્તિઓ શિક્ષકની અષ્ટભુજા છે – મોરારિબાપુ 5

સમાજમાં શિક્ષકોને ભરપૂર આદર મળવો જોઈએ. જે સમાજ શિક્ષકને આદર આપવાનું ભૂલી જાય છે તે સમાજનું ભવિષ્ય જોખમાય છે. અને શિક્ષક આદરને બરાબર લાયક હોય તે પણ એટલું જ જરૂરી છે. સમાજના આદરમાટે લાયકાત સિદ્ધ કરવા માટે શિક્ષકે આઠ પ્રકારની વૃત્તિઓ કેળવવી પડશે. જે શિક્ષકમાં આ આઠ વૃત્તિઓ હશે તે અવશ્ય લોકાદર પામશે અને આદર્શ શિક્ષક બનશે તેમાં શંકા નથી.


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૮-૧૯ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”


લાટા એર્વોડ – રજનીકુમાર પંડ્યા 2

“ઓહો!… ઘણા દિ’એ કાંઈ?”

“બે ચાર વરસ કાંઈ ઘણા દિ’ કે’વાય?” ગોલુભા બોલ્યા – “જિંદગીની સો વરસની હોય ત્યાં બે – ચાર વરસ તો બગાસમાં જાતા હોય એને ઘણા દિ’નો કે’વાય.”

“સાચું, સાચું” વિરોધનો જ્યારે વિરોધ થાય ત્યારે “સાચું, સાચું” એમ બે વાર ભણવાથી સામાનો વિરિધ મોળાઈ જાયએમ શાસ્ત્રમાં ભાલેખ છે.(બનતા સુધી)એ હું સમજું…એટલે મેં પૂછ્યુંઃ “ફરમાવો, કામ ફરમાવો,”

“નાનાના ચાંદલાની વાત હલવું છું.”

“મોટા કુંવરનું પતી ગયું?”


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૧) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


ઘનના ઢગલામાં ખોવાયેલું બાળક – રણછોડ શાહ 3

બાળઉછેર એ પ્રત્યેક મમ્મી – પપ્પાની ફરજ છે. બાળકના જન્મ બાદ તેનો વ્યવસ્થિત, યોગ્ય અને સંપૂર્ણ ઉછેર થાય તે જવાબદારી સ્વીકારવાની તૈયારી સાથે જ બાળકને જન્મ આપવો જોઈએ. આપણને આપણી વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ વધુ મહત્ત્વની અને અગત્યની લાગતી હોય તો સંતાનપ્રાપ્તિની આશા – અપેક્ષામાંથી દૂર રહેવું બધુ સલાહભર્યું તેનો અર્થ એવો નથી કે જીવનમાં સંતાનના આગમન બાદ વ્યક્તિએ પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવું નહીં. પરંતુ સંતાનના વિકાસના ભોગે કારકિર્દી, પૈસા, પ્રતિષ્ઠા મળતાં હોય તો બેમાંથી કોને અગ્રતાક્રમે રાખવું તે મમ્મી – પપ્પાએ સાથે બેસીને નિરાંતે વિચારી નિર્ણય લેવો જોઈએ. નહીં તો અવિકસિત, અર્ધવિકસિત અથવા બળવાખોર સંતાનોના વડીલો તરીકે સમાજમાં ઓળખાવાની તૈયારી રાખવી જોઈએ.


મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી 49

નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરીક્ષા પૂરી થાય એટલે મોજ. મારા પિતાજીને બુક – સ્ટેશનરીની દુકાન. એટલે વેકેશનમા કામ ઘણુ (જૂના ચોપડા ખરીદવાનું અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનું). વેકેશનમા નાણાકીય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી, પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવનની મુલાકાત લેવી, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થતો. પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી માણવાની. પહેલા મિક્ષર અથવા ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાનેથી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરીઓને ધોઈ કાઢું…


છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ) 4

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત છોકરી … અનાથઆશ્રમ ૧૪. સંજોગોએ પથ્થર ફેંક્યા, મનમાં કોમી રમખાણો.. ૧૫. મિલનું ભૂંગળુ વાગ્યું, મજૂરો – ‘હાશ’ મંદિરમાં શંખ ફૂંકાયો ભગવાન – ‘ઓફ્ફ’ ૧૬. એની યાદમાંં રડ્યો’તો યાદ કરીને હસવું […]


અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ 1

આજે ૧૬ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭ ના રોજ આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણકે ૧૯ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭, સોમવારના રોજ સવારે ૬ વાગ્યે આ શરીરને ફાંસી પર લટકાવી દેવાની તારીખ નિયત થઈ છે. એટલે મારે આ લીલા નિયત સમયમાં જ પૂરી કરી દેવી પડશે. આ સર્વ શક્તિમાન પ્રભુની લીલા છે, બધાં કાર્યો એની ઈચ્છાનુસાર જ થાય છે. આ પરમપિતા પરમાત્માના નિયમોનું જ પરિણામ છે કે કેવી રીતે અને કોણે દેહ ત્યાગ કરવાનો છે. મૃત્યુના બધા જ કારણો નિમિત માત્ર છે. જ્યાં સુધી કર્મ પૂરું નથી થતું, ત્યાં સુધી આત્માએ જન્મ મરણના બંધનમાં પડવું જ પડે છે, આ જ શાસ્ત્ર નિશ્ચય છે. છતાં પણ આ વાત તે પરબ્રહ્મ જ જાણે છે કે કયાં કર્મોના પરિણામ સ્વરૂપ કયું રૂપ આ આત્માએ ગ્રહણ કરવું પડશે પરંતુ, સ્વયં માટે આ મારો દૃઢ નિશ્ચય છે કે હું ઉત્તમ શરીર ધારણ કરી નવીન શક્તિઓ સહિત જલ્દી પાછો ભારતવર્ષમાં જ કોઈ નજીકના સંબંધી કે કોઈ ઈષ્ટમિત્રના ઘરે જન્મ ગ્રહણ કરીશ


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૦)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ) 10

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”


૬ અનુદિત અસમિયા કવિતાઓ.. – અનુ. યોગેશ વૈદ્ય 3

યોગેશ વૈદ્ય સામે આસામના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને સમજવાનો આ એક અનોખો અને દુર્લભ મોકો હતો અને તેને બન્ને હાથે વધાવી લેવાનો પ્રયાસ તેમણે કર્યો છે. હકીકતે આ કામે તેમને અંદરથી સમૃદ્ધ થવાની ઘણી તકો પણ આપી છે. કામ આગળ વધતું ગયું તેમ તેમ અનેક અસમિયા કવિઓની સાથે સંપર્ક સ્થપાયો.

અહીં થયેલા અનુવાદ મૂળ કવિતાના હિંદી કે અંગ્રેજી અનુવાદ પરથી થયા છે આથી મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચાયું છે કે કેમ તેની સતત મૂંઝવણ રહ્યા કરી છે. મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચવામાં ઘણી વખત અડચણો આવી છે. આ અનુવાદોને ત્રણ-ચાર વખત તપાસવામાં ખાસો સમય પણ વીત્યો છે. દરેક અનુવાદકે માધ્યમ દ્વારા ઊભા થતા આવા પડકારોનો સામનો કરવાનો હોય જ છે. યોગેશ વૈદ્યે પણ સુંદર કોશિશ કરી છે.


દુનિયાનું પ્રખ્યાત પેઈન્ટીંગ મોનાલીસા.. – પ્રવીણ શાહ 1

મોના લીસાના પેઈન્ટીંગ (ચિત્ર) વિષે કોણે નહિ સાંભળ્યું હોય? ઘણાએ તો એ અસલી ચિત્ર જોયું પણ હશે. એ પેઈન્ટીંગ અત્યારે પેરીસના લુવ્રે મ્યુઝીયમમાં જોવા મળે છે. આ ચિત્ર એ એક સ્ત્રીનું પોર્ટ્રેઈટ છે. ઇટાલિયન ચિત્રકાર લીઓનાર્ડો દ વિન્ચીએ તે દોરેલું છે. આ ચિત્ર દુનિયાના સૌથી વધુ લોકોએ જોયેલું અને સૌથી વધુ જાણીતું છે. એના વિષે સૌથી વધુ સાહિત્ય લખાયેલું છે.

લીઓનાર્ડો દ વિન્ચી મહાન ચિત્રકાર હતો. એણે આ ચિત્ર ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં ઈ.સ. ૧૫૦૩થી ૧૫૦૬ વચ્ચેના સમયગાળામાં દોર્યું છે. એવું કહેવાય છે કે લીઓનાર્ડોએ લીસા ગેરારડીની નામની સ્ત્રીને સામે મોડેલ તરીકે બેસાડીને આ ચિત્ર તૈયાર કર્યું છે. આ સ્ત્રી એક ગૃહિણી હતી.


ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ… – પરમ દેસાઈ 27

ઉપરનાં સંવાદો જરા.. પચતા નથી, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો – લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો – લેખિકાઓની કલમને ટોકવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર મૂકેલા સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો!