આપણા અબોલાથી ઝૂર્યા કરે… – મેઘબિંદુ 14
જનમો જનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે,
હવે આપણે સજાવેલી મેડી………
જનમો જનમની આપણી સગાઈ
હવે શોધે છે સમજણની કેડી,
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે,
હવે આપણે સજાવેલી મેડી………
નિમિષાબેન દલાલની પ્રસ્તુત વાર્તા એક માતાની લાગણીઓને ખૂબ સુંદર રીતે અને ચોક્કસ ઘટનાક્રમની એરણે વાચા આપે છે. નિમિષાબેનની વાર્તાઓ અક્ષરનાદને સતત મળતી રહે છે એ સદભાગ્ય છે, તેમની કૃતિઓ વાચકને ભાવવિશ્વની અનોખી સફરે લઈ જાય છે અને વાર્તાતત્વમાં એકરસ થઈને વાચક એ ઘટનાપ્રવાહમાં સાંગોપાંગ ડૂબી રહે છે એ જ તેમના સર્જનની ખૂબીઓ છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.
‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે’
કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, ‘ગાય તેનાં ગીત’ માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.
મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.
અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી અઠવાડીયે એક વાર પ્રસ્તુત થશે.
આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’ નવલકથાનો ભાગ 3.
આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેમને કરેલા લાંબા લાંબા કૉલ્સ દરમ્યાન મોબાઈલ પર તેમની નવી લખાયેલી કૃતિઓને સાંભળવી અને સાઈટ પર અનેક સહકાર્યકરોના આશ્ચર્ય વચ્ચે તેમની ગઝલોને ‘વાહ સાહેબ, વાહ’ કહેવું એ એક અગમ્ય લહાવો છે. અનેક સિદ્ધહસ્ત ગઝલકારો અને સંપાદકો દ્વારા તેમની કલમના ગરિમાગાન સાંભળ્યા છે. આજે પ્રસ્તુત છે તેમની નવી રચનાઓ – મુક્તક સપ્તક. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભેચ્છાઓ. તેમનાં હસ્તાક્ષરમાં પણ એક મુક્તક અહીં પ્રસ્તુત કર્યું છે.
આશિષભાઈ આચાર્યની આ બે લઘુકથાઓ આપણા સંબંધોના મહત્વ અને આજના સમાજ જીવનની માનસીક કુરૂપતા છત્તી કરે છે. પ્રસ્તુત બે લઘુકથાઓ ગુર્જર પ્રકાશન દ્વારા ઓક્ટોબર ૨૦૦૯માં પ્રસિદ્ધ વાર્તા ઉત્સવમાં છપાઈ હતી. અક્ષરનાદને આ બે લઘુકથાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.
જેસલ જાડેજો હાલ્યો જાય છે, પાછળ આખુંય ગામ વાતોએ વળગ્યું છે, આ શું અચરજ? જેસલના માથે આ પોટલું શેનું? ખબર પડે છે કે ઓલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો તળાવ કિનારે.. આ શું? એક વખતનો ક્રૂર અને નરાધમ બહારવટીયો જેસલ આટલો બધો રાંક કઈ રીતે બની ગયો હશે? એ ચમત્કાર કોણે કર્યો જેના પ્રતાપે આ હિંસક માણસ આવો સાદગીભર્યો થઈ ગયો? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલાં ને લૂગડાં ધુએ છે. લોકો નિંદા કરે છે ત્યારે તોળલ કહે છે, ‘જેસલજી, શરમાશો નહીં, આ કળીયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે, નિંદાનાં નીરથી જ સાધુજનો નિર્મળા બને છે. એનાથી જ શિર પરનો ભાર ઉતરશે.’ નિંદાતો નિંદાતો જેસલ નવાણે પહોંચ્યો – ન પહોંચ્યો ત્યાં તો તેનો દેહ ઊજળો બની ગયો… જેસલ પીર અને સતી તોળલની આવી જ વાતચીતનો પડઘો ઉપરોક્ત કૃતિમાં પડે છે.
તાજેતરમાં ઉતરાખંડમાં થયેલા વિનાશની તસવીરો, વર્ણનો અને પ્રકોપ જોઈને હૈયું રડી ઉઠે એ સ્વભાવિક છે, હજારો લોકો જેમાં મૃત્યુનો ભોગ બન્યા છે અને કેટલાય કુટુંબો જે હોનારતમાં વિચ્છેદ પામ્યા છે એવા કુટુંબોના, મૃત્યુ પામેલા એ શ્રદ્ધાળુ યાત્રીઓના અને તેમના કુટુંબીજનોના દુઃખને અને તેમની વ્યથાને, જે ભોગ બન્યા છે એ સિવાય કોઈ ભાગ્યે જ સમજી શકે. લગભગ દરેક હતભાગી કુટુંબ એ જ પ્રશ્ન પૂછી રહ્યું છે, ‘આવું અમારી સાથે જ શા માટે? અમારો શો વાંક?’ કુદરતની સામે લાચાર વામણા માણસની આ આંતરીક ખોજ છે, જે સતત ચાલતી આવી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે… આવા જ સૂરની – એક અનોખી વ્યથાની કૃતિ આજે પ્રસ્તુત કરી છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ બાદ લખાયેલી શ્રી ગુણવંતભાઈ વૈદ્યની પ્રસ્તુત વાર્તાને ‘ઓપિનિયન’ સમાચારપત્ર, લંડન દ્વારા યોજાતી વ।ર્તાસ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અક્ષરનાદના વાચકો માટે ગુણવંતભાઈએ પાઠવેલી આ વાર્તા આજે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. ઈશ્વર સૌ મૃતકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
કહેવાયું છે કે પુસ્તકો પ્રજાની સંસ્કારિતાનું દર્પણ છે, કોઈએ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના ઘરમાં કેવા પુસ્તકો છે એ મને કહો તો હું તેના ચારિત્ર્ય વિશે કહી શકીશ. આ જ માન્યતાનો છેદ ઉડાડતી શ્રી ચુનીલાલ મડિયાની પ્રસ્તુત કૃતિ એક અનોખી હાસ્યરચના છે. હાસ્યરચનાઓને માણવા માટે પણ એક વિશેષ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે, અને તેમાં રહેલા સૂક્ષ્મ હાસ્યને માણવાની મજા અલગ જ હોય છે. ચુનીલાલ મડિયાની આ અનોખી રચના માણવાલાયક કૃતિ છે.
આજકાલ સોશિયલ મીડીયાનો જમાનો છે, ફેસબુક, ટ્વિટર અને એવી કાંઈ કેટલીય સાઈટ્સ માધ્યમ બનીને લોકોને એકબીજા સાથે જોડે છે. વર્ચ્યુઅલ વિશ્વનો આ સંબંધ ક્યારેક બે હૈયાંને નજીક લાવવામાં પણ કારણભૂત બનતો હોય છે. પરંતુ આ આભાસી વિશ્વના સંબંધો અને ઓળખાણ પર કેટલો વિશ્વાસ રાખી શકાય? શક્ય છે કે કોઈ તમારી સાથે છળ કરવા ન માંગતુ હોય પરંતુ એ તમને ગુમાવવા પણ ન ઈચ્છતું હોય, એવા સંજોગોનું શું ? રાજુભાઈ કોટકની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે, અને છતાંય તેમના લેખનમાં ક્યાંય નવોદિત હોવાને લીધે કોઈ પણ ઉણપ વર્તાતી નથી. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર’ માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો બીજો ભાગ.
મુર્તઝાભાઈ પટેલની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, અને વાચકમિત્રોના અપાર પ્રેમને પામી છે. પણ આજે તેઓ પોતાની ઘરેડથી અલગ – નવી જાણકારી, મેનેજમેન્ટ અને વ્યવસાયિક વાતોને મૂકીને એક હ્રદયસ્પર્શી પ્રસંગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. વળી આ પ્રસંગ તેમના અવાજમાં સ્વરબદ્ધ પણ થયો છે, તો આવો આજે વાંચીએ, સાંભળીએ અને માણીએ મુર્તઝાભાઈ પટેલની નવી કૃતિ, ‘દુવાની અસર…’ પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મુર્તઝાભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી અઠવાડીયે એક વાર પ્રસ્તુત થશે.
આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’ નવલકથાનો ભાગ ૨.
યુદ્ધના અને શાંતિના – એમ બે ભિન્ન સમય દરમ્યાનની સારા માણસ અને ખરાબ માણસ વિશેની બદલાતી વ્યાખ્યાઓ વિશે એક કિશોર તેના પિતાને પૂછે છે અને એ જવાબ આપતાં તેના પિતા જે મૂંઝવણ અનુભવે છે એ પ્રસ્તુત કૃતિમાં પિતા-પુત્ર વચ્ચેની સહજ વાતચીતના માધ્યમથી વ્યક્ત થાય છે. આર્ટ બુકવોલ્ડની પ્રસ્તુત રચના ‘રોજેરોજની વાંચનયાત્રા’માંથી સાભાર લેવામાં આવી છે.
પાછલા આંગણાની દીવાલ પર દયાભાજન હોલાઓનું જોડું ઘણીવાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ-તુ’, ‘પ્રભુ-તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ-તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર’, ‘કુટુર્ર’, ‘કુટુર્ર’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંના ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે: કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો….
આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.
ગુજરાતીમાં માઈક્રોફ્રિક્શન ક્ષેત્રે ખૂબ જ ઓછું ખેડાણ થયું છે, અક્ષરનાદ એ ક્ષેત્રમાં સતત આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કદાચ અત્યાર સુધીમાં અન્ય કોઈ પણ માધ્યમની સરખામણીએ અહીં સૌથી વધુ આવી અત્યંત ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થતી રહી છે. એ દ્રષ્ટિએ અક્ષરનાદને પ્રયોગખોર કહી શકાય અને હાર્દિકભાઈ એ અખતરાઓમાં અવ્વલ રહ્યા છે. આ જ શૃંખલા અંતર્ગત આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની વધુ વીસ ખૂબ જ ટૂંકી એવી આ વાર્તાઓ. હાર્દિકભાઈની આ સાથે લગભગ ૬૦થી વધુ વાર્તાઓ પૂર્ણ થઈ રહી છે. આપને તેમની આ પહેલા પ્રસ્તુત થયેલ વાર્તાઓની સરખામણીએ આ નવો પ્રયત્ન કેવો લાગ્યો એ અવશ્ય જણાવશો.
પાછલા દિવસોમાં ઝેન જીવનપદ્ધતિ વિશે ઘણું વાંચવા મળ્યું, નકારાત્મક વિચારો અને દ્રષ્ટિકોણને દૂર હટાવીને સંતોષ મેળવવાનો અચૂક માર્ગ એટલે ઝેન, ઝેન એ હવે કોઈ ધર્મ કે ધર્મની શાખાવિશેષ રહી નથી પણ સહજ જીવન જીવવાનો તથા સ્વને ખોજવાનો – સમજવાનો એક અનોખો માર્ગ બની રહે છે. ઝેન વિશે વધુ જાણવા સમજવાનો પ્રયત્ન શરુ કર્યો છે અને પરિપાક રૂપે વિચારપ્રવાહને એક નવો માર્ગ મળ્યો. નેટ પરના ઉપલબ્ધ સાહિત્યમાંથી, પુસ્તકોમાંથી અને ઝેન વિશે જાણનારાઓ સાથેના ઈ-મેલ સંપર્ક દ્વારા – એમ વિવિધ સ્ત્રોતો દ્વારા જે એકત્રિત થયું એ સઘળું આપ સર્વે સાથે વહેંચવાની આજથી શરૂઆત કરી રહ્યો છું. આ શ્રેણી ‘સ્વાન્તઃ સુખાય’ હેતુથી લખાઈ રહી હોવા છતાં સર્વેને ઉપયોગી બની રહેશે એવી અપેક્ષા છે.
અક્ષરનાદ પર સતત હપ્તાવાર પ્રસ્તુત કરી શકાય એવી કૃતિઓ જેમ કે નવલકથાઓ, વિષયવિશેષ સંપાદિત વાર્તાઓ, ચિંતનલેખો વગેરેની શ્રેણી શરૂ કરવાની શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક અને શ્રી ગોપાલભાઈ પારેખની સહીયારી ઈચ્છાના સ્વરૂપે હવેથી એક નવા વિભાગ તરીકે અક્ષરનાદ પ્રસ્તુત કરે છે પ્રેરણાદાયક જીવનચરિત્રો અને સદાબહાર નવલકથાઓનો અનોખો ભંડાર. આ ચરિત્રો અને નવલકથાઓ પૂર્ણતાને અંતે ઈ-પુસ્તક વિભાગમાં સ્થાન પામશે. આ શ્રેણી એક ચોક્કસ સમયાંતરે પ્રસ્તુત થશે, કદાચ અઠવાડીયે એક વાર કે તેથી ઓછા સમયાંતરે…
આ નવીન શ્રેણીમાં પ્રથમ પ્રયાસ સ્વરૂપે આજથી પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની કલમની પ્રસાદી રૂપ જીવનચરિત્ર ‘સંત દેવીદાસ’. ‘પુરાતન જ્યોત’ માંથી લેવામાં આવેલ સંત દેવીદાસ અને અમરમાંની અનોખી સેવાભેખની આ હ્રદયંગમ વાત આપ સૌને પણ પ્રેરણા અને હકારાત્મક વિચારની અનોખી ભેટ આપશે એવી શ્રદ્ધા સાથે સત દેવીદાસ અને અમરમાંના ચરણોમાં પ્રસ્તુત છે એક અનોખો મનોહર વાતવસ્તાર ‘સંત દેવીદાસ’..
ગીતા જો એક ગઝલ રૂપે લખાઈ હોય તો કયા સ્વરૂપમાં હોય એ વિષયને લઈને આપણા શીર્ષ હાસ્યકાર સ્વ. શ્રી જ્યોતિન્દ્ર દવે દ્વારા લખાયેલ આ હાસ્યલેખ વિશે તેઓ લેખમાં કહે છે, “સ્વ. મણિકાન્તે રચેલી ‘ગઝલમાં ગીતા’માં ગઝલને યોગ્ય વાતાવરણ નથી એમ લાગવાથી, વીર કવિ નર્મદની પુણ્યપ્રતિજ્ઞાથી પ્રેરાઈને ગુર્જર ભાષાની સેવા કરવાના મદહોશથી મેં વ્રત લીધું છે, કે જ્યાં સુધી હું ગીતાનું ગઝલમાં યોગ્ય ભાષાંતર નહિ કરું ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહિ — પહેરીશ નહિ એટલું જ નહિ પણ વસાવીશ સુદ્ધાં નહિ. ટોપીથી કે હૅટથી ચલાવી લઈશ. હજી સુધી મેં કદી પાઘડી પહેરી નથી તેમ જ લાંબા વખત સુધી પાઘડી પહેરવાનો મારો વિચાર પણ નથી. છતાં એ વસ્તુસ્થિતિથી મારી પ્રતિજ્ઞાને બાધ આવતો નથી, ઊલટું પ્રતિજ્ઞાપાલન વધારે દૃઢતાથી થાય છે.” ગીતાની ગઝલનો આ સુંદર હાસ્યલેખ આજે પ્રસ્તુત છે…
પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.
પ્રસ્તુત લઘુકથા શ્રી ગુણવંતભાઈ વૈદ્યએ ઈ. સ. 1969 માં લખી હતી અને તેમના ભણતર દરમ્યાન – કોલેજમાં યોજાતી વાર્તાસ્પર્ધામાં એ પ્રથમ વિજેતા ઘોષિત થઇ હતી. તેમના લેખનકાર્યની સહુ પ્રથમ રચના આ વાર્તા જ હતી. એટલે કે વાર્તા ક્ષેત્રે તેમનું પ્રથમ સંતાન આ ‘ગોરખપુરનો કલાકાર’ વાર્તા. આશા છે કે આપને તેમનો વીતેલા વખતનો આ પ્રયાસ ગમશે. આ વાર્તા અંગેના પ્રતિભાવો આપ જરૂરથી આપશો. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ગુણવંતભાઈ વૈદ્યનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
એનસીઈઆરટી – દિલ્હી દ્વારા પ્રાયોજીત ૨૮મી રાષ્ટ્રીય પારિતોષિક સ્પર્ધામાં વર્ષ ૧૯૯૪-૯૫માં સર્વોત્તમ પુસ્તકનું ઈનામ પ્રાપ્ત કરનાર શ્રી ઉદયનભાઈ ઠક્કરના બાળવાર્તાઓના પુસ્તક ‘એન મિલાકે ટેન મિલાકે છૂ…’ માંથી આજની વાર્તા સાભાર લીધી છે. રોજીંદા જીવનના સરળ અને સહજ પ્રસંગો બાળમન પર અસર છોડે છે, એવા જ પ્રસંગો બાળકને કુદરત અને પ્રાણીજગત સાથે પણ જોડી આપે છે. અક્શરનાદને પ્રસ્તુત પુસ્તકની સામગ્રી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ઉદયનભાઈનો અને મદદ માટે શ્રી દિનેશભાઈ બૂચ સાહેબનો ખૂબ ખૂબ આભાર.
શ્રી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં થયેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ન્યાયાધીશ તરીકે પોતાની ભૂમિકા ભજવવા ઉપરાંત સામાજ સુધારણાના અનેક કાર્યોમાં તેમણે નેતૃત્વ પૂરું પાડીને પ્રજાને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. તેમના જીવનના કેટલાક પ્રસંગો ખૂબ પ્રેરણાદાયક છે, તેમાંથી બે પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. શ્રી યશવન્ત મહેતા દ્વારા સંકલિત અને શ્રી એમ પી પટેલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ‘અત્તરનાં પૂમડાં’માંથી આ પ્રસંગો સાભાર લેવામાં આવ્યા છે.
અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘અધ્યારૂનું જગત’થી શરૂ થયેલી યાત્રા જે સુંદર અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ અને આનંદ થાય એ સ્વભાવિક છે, તો સફરની પોતાની મોજ પણ આગળ વધવાનું સતત ઈજન આપતી રહે છે. આવા પ્રસંગો વાચકમિત્રો સાથે સંવાદનું માધ્યમ બની રહે એવા પ્રયત્ન કર્યા છે અને આજે પણ એવી જ રીતે અક્ષરનાદ વિશેની, અમારા વિશેની અને આ યાત્રા વિશેની કેટલીક વાતો આપની સાથે વહેંચવી છે, પણ એ પહેલા એક વેબસાઈટ તરીકે, રોજ સવારે પ્રેમપૂર્વક હાજરી નોંધાવીને, ઈ-મેલમાં મળતા નવી કૃતિઓના સંદેશા જોઈને તેને વધાવીને – પ્રતિભાવ આપીને, ફોન – ઈ-મેલ દ્વારા સ્નેહાળ ઉઘરાણી રૂપે પુસ્તકની કે લેખની માંગણી કરીને અને એમ દરેક વખતે ઉત્સાહ વધારીને આગળ વધવાની પ્રેરણા આપતા સર્વે વાચકમિત્રોને સાદર પ્રણામ.
આજે પ્રસ્તુત છે ગની દહીંવાળાની મશહૂર ગઝલ ‘દીવાનો બની જા સમજદાર જેવો’ જે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કોડીયા’ માંથી લેવામાં આવી છે..
દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો…
નિમિષાબેનની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે, સરપ્રાઈઝ અને અંતિમ – એ બે વાર્તાઓનું વિષયવસ્તુ તદ્દ્ન ભિન્ન અને જુદા જુદા દ્રષ્ટિકોણને સ્વરૂપ આપનારું છે, ટૂંકી વાર્તા અને લઘુકથાના સ્વરૂપની વચ્ચે સ્થિર થયેલ પ્રસ્તુત રચનાઓ નિમિષાબેનની સબળ તથા અર્થપૂર્ણ કલમની પરિચાયક છે. આપનો આ વાર્તાઓ વિશેનો પ્રતિભાવ જાણવા તેઓ આતુર છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.
પહેલેથી આપવામાં આવેલા – નિશ્ચિત કોઈક વિષયવિશેષને અનુલક્ષીને લખી હોય એ પ્રકારની આ મારી પ્રથમ કૃતિ છે. ખલિલ જિબ્રાનના ‘ધ પ્રૉફેટ’ ના ગદ્ય સ્વરૂપે લખાયેલ ઉપરોક્ત ‘ગ્રીષ્મ’ વિશેષ કૃતિ થોડાક કટાક્ષ અને થોડાક ચિંતન સાથેની સંમિશ્રિત કૃતિ છે. ઉનાળો એ આપણી ત્રણ ઋતુઓમાંની એક એવી આગવી ઋતુ છે જેમાં ઋતુલક્ષી અનેક ફાયદા – ગેરફાયદાઓ નિહિત છે. આ જ વાતને ધ્યાનમાં લઈને આજના વગ્રની તે સમયના ‘પ્રૉફેટ’ સાથેની વાત અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક ભાષા ભદ્રંભદ્રીય પણ થઈ જતી લાગે એ શક્ય છે. આશા છે આપને ગમશે.
હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમના અનેક ચાહકોમાં એક હું પણ છું, ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહેલી તેમની પ્રસ્તુત કૃતિ એક પુરૂષની અનોખી અસમંજસને દર્શાવે છે, આમ તો આ વાર્તા કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી, પરંતુ વાચકને વાર્તાના અંતે એવો જ કાંઈક અહેસાસ જરૂર થશે…. અને છતાંય જાતિ આધારીત ભિન્નતા ધરાવતા સમાજની બીક એક પુરુષને કેવી બાબતોમાં ડર ભોગવતો કરી દે છે એ પ્રસ્તુત વાર્તા પરથી સ્વયં સ્પષ્ટ છે. નવા વિષયો, અનોખા ઘટનાક્રમ અને માનવ લાગણીઓને સહજતાથી પ્રગટ કરી શકવાની હાર્દિકભાઈની ક્ષમતા ખરેખર કાબિલેદાદ છે. વાચકમિત્રોના પ્રતિભાવોની તેઓ રાહ જોઈ રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.